CBSE ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો સમગ્ર ટાઈમ ટેબલ


  • Published By :
  • Published Date : 2022-12-29 22:18:32

CBSEની પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહેલા પરીક્ષાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સેન્ટ્રલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE)એ ધોરણ 10 અને 12માંની વર્ષ 2023માં લેવાનારીની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. CBSE બોર્ડ દ્વારા ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 ના રોજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગોની વાર્ષિક પરીક્ષાઓ માટે CBSE ટાઈમ ટેબલ 2023 જાહેર કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર CBSE 10મી તારીખ પત્રક 2023 PDF અને CBSE 12મી તારીખ પત્રક 2023 PDF ડાઉનલોડ કરવા માટેની લિંકને પણ એક્ટિવ કરી છે. આ સ્થિતિમાં, CBSE બોર્ડ સાથે સંલગ્ન સ્કૂલોમાં વર્ષ 2022-23 દરમિયાન વાર્ષિક પરીક્ષાઓ માટે નોંધાયેલા અને ફોર્મ ભરેલા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરેલા વિદ્યાર્થીઓ તેમના સંબંધિત વર્ગો માટે CBSE ટાઈમ-ટેબલ 2023 PDF બોર્ડની વેબસાઇટ પર એક્ટિવ લિંક કે નીચે આપવામાં આવેલી ડાયરેક્ટ લિંક ડાઉનલોડ કરી શકે છે.


CBSE ધોરણ 10 અને 12માની પરીક્ષા


CBSE બોર્ડ પરીક્ષા 2023 મુજબ, માધ્યમિક (વર્ગ 10) વાર્ષિક પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 21 માર્ચ, 2023 સુધી ચાલશે. પેઈન્ટિંગ, રાય, ગુરુંગ, તમંગ, શેરપા અને થાઈના પેપર પ્રથમ દિવસે લેવાશે અને સોથી છેલ્લે 21 માર્ચે ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકની પરીક્ષા લેવામાં આવશે. તેવી જ રીતે, ઉચ્ચતર માધ્યમિક (ધોરણ 12) વાર્ષિક પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 5 એપ્રિલ સુધી ચાલશે. પ્રથમ દિવસે આંત્રપ્રિન્યોરશીપનું પેપર હશે અને છેલ્લા દિવસે સાયકોલોજીનું પેપર લેવામાં આવશે.



CBSE પરીક્ષા 2023નું એડમિટ કાર્ડ પણ જલ્દી 


CBSE 12માની પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાન્યુઆરીમાં જારી કરી શકાય છે. જોકે, આ અંગે બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ CBSE 12મી પરીક્ષા 2023 સંબંધિત લેટેસ્ટ અપડેટ્સ માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ ચેક કરતા રહે. કોઈપણ અન્ય નકલી વેબસાઇટ પર વિશ્વાસ કરશો નહીં.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.