ધોરણ ૧૧-૧૨ના વિધાર્થીઓ કેમ ડમી શાળા તરફ વળી રહ્યા છે?


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-30 21:30:32

ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે એડમિશન શરુ થયા છે. વિધાર્થીઓ ધોરણ ૧૧ થી જ  પ્રતિષ્ઠિત મેડીકલ અને એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન મેળવવા માટે JEE અને NEET જેવી કોમ્પિટેટીવ પરીક્ષાઓની તૈયારી કરવાનું શરુ કરે છે. આ પરીક્ષામાં સખ્ત સ્પર્ધા હોવાથી, સારી રેન્કિંગ મેળવવા માટે વિધાર્થીઓ ડમી શાળામાં એડમિશન લે છે. 

આ પરીક્ષામાં ગૃપ A,ગૃપ B અને ગૃપ ABના વિધાર્થીઓ JEE અને NEETની કોમ્પિટેટીવ પરીક્ષાઓ આપે છે.ઉચ્ચતર  માધ્યમિકમાં ભણતાં વિધાર્થીઓએ પોતાનું ગૃપ પસંદ કરવાનું હોય છે જેમાં ગૃપ A,ગૃપ B અને ગૃપ AB એમ ત્રણ ગૃપ હોય છે. આ ગૃપમાં કેમેસ્ટ્રી, ફીઝીક્સ,બાયોલોજી અને મેથ્સ એમ ચાર મુખ્ય વિષય હોય છે. વિદ્યાર્થીઓ પોતાના ગમતાં વિષય સાથે ગૃપની પસંદગી કરવાની હોય છે.   

પ્રતિષ્ઠિત મેડીકલ અને એન્જીનિયરીંગ કોલેજમાં JEE અને NEETના સ્કોરથી જ એડમિશન મળે છે. દર વર્ષે લાખો વિધાર્થીઓ આ પરીક્ષાઓ આપે છે જેમાંથી અમુક લાખ વિધાર્થીઓ જ સરકારી કોટામાં એડમિશન મેળવી શકે છે. સીટ ઓછી છે અને વિધાર્થીઓ વધારે છે, તેથી વિધાર્થીઓને ભારે ચિંતા અને સખ્ત સ્પર્ધાત્મક વાતાવરણમાં તમેની પરીક્ષાની તૈયારીઓ કરવી પડે છે. પ્રાઇવેટ કોલેજ તગડી ફી લેતી હોય છે, તેથી દરેક વિધાર્થીઓ આટલી મોંઘી ફી ભરી શકતા નથી. 

ખાસ મધ્યમ વર્ગના વિધાર્થીઓ દેશની રેન્કિંગ ધરાવતી કોલેજમાં સરકારી કોટામાં એડમિશન માટે શરૂઆત થી જ મહેનત કરે છે. કારણ કે JEE અને NEET પરીક્ષામાં સારો સ્કોર મેળવે, તો જ સરકારી કોટામાં ઓછી ફી સાથે મધ્યમ વર્ગનો વિધાર્થી તેનો આગળનો અભ્યાસ કરી શકે. મોટા ભાગના ઉચ્ચતર માધ્યમિકના વિધાર્થીઓ એટલેજ ડમી શાળામાં એડમિશન લે છે.

પરંતુ હાલમાં જ વર્ષ ૨૦૨૫-૨૬ માટે CBSE ગવર્નિંગ બોર્ડની બેઠકમાં ડમી શાળાઓને લઈને, બોર્ડએ પોતાનું વલણ ફરીથી સ્પષ્ટ કર્યું છે.જેમાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ નિયમિતપણે શાળામાં જાય તે સુનિશ્ચિત કરાશે.આ મીટીંગમાં આગામી સમયમાં બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારે CBSE બોર્ડ વારંવાર શાળાના સંચાલન,એડમિશન અને હાજરી અંગેના નિયમોમાં ફેરફાર કરે, તે વાલીઓ અને વિધાર્થીઓ માટે ચિંતાનો વિષય છે. 

સરકાર કેમ ડમી શાળાઓ માટે ચિંતા કરે છે? જવાબ છે કે સરકારને વિધાર્થીઓને તનાવ ભર્યા વાતાવરણથી દુર રાખવા છે.ડમી શાળા કોને કહેવાય? ડમી શાળા એટલે એવી શાળા જેમાં વિધાર્થીઓ રેગ્યુલર રીતે એડમિશન લે છે, પરંતુ આ શાળામાં વિધાર્થીએ રોજબરોજ જવાનું હોતું નથી અને કોઇપણ પ્રકારના પ્રોજેક્ટ્સ કે તાસ ભરવાના રહેતા નથી.વિધાર્થીઓ સારો રેન્ક ધરાવતી મેડીકલ અને એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન મેળવવા માટે કરીને, આ પરીક્ષાની વધુ સારી તૈયારી માટે ડમી શાળાની પસંદગી કરે છે. કેમ વિધાર્થીઓ અને વાલીઓ ઉચ્ચતર માધ્યમિકમાં ડમી શાળામાં એડમિશન લે છે? પ્રાઇવેટ કોલેજ તગડી ફી વસુલે છે જેથી મધ્યમ વર્ગના વિધાર્થીઓ સરકારી કોટામાં એડમિશન લેવા માટે કરીને મજબુરીમાં ડમી શાળાઓમાં એડમિશન લે છે.





ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .