ધોરણ ૧૧-૧૨ના વિધાર્થીઓ કેમ ડમી શાળા તરફ વળી રહ્યા છે?


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-30 21:30:32

ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે એડમિશન શરુ થયા છે. વિધાર્થીઓ ધોરણ ૧૧ થી જ  પ્રતિષ્ઠિત મેડીકલ અને એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન મેળવવા માટે JEE અને NEET જેવી કોમ્પિટેટીવ પરીક્ષાઓની તૈયારી કરવાનું શરુ કરે છે. આ પરીક્ષામાં સખ્ત સ્પર્ધા હોવાથી, સારી રેન્કિંગ મેળવવા માટે વિધાર્થીઓ ડમી શાળામાં એડમિશન લે છે. 

આ પરીક્ષામાં ગૃપ A,ગૃપ B અને ગૃપ ABના વિધાર્થીઓ JEE અને NEETની કોમ્પિટેટીવ પરીક્ષાઓ આપે છે.ઉચ્ચતર  માધ્યમિકમાં ભણતાં વિધાર્થીઓએ પોતાનું ગૃપ પસંદ કરવાનું હોય છે જેમાં ગૃપ A,ગૃપ B અને ગૃપ AB એમ ત્રણ ગૃપ હોય છે. આ ગૃપમાં કેમેસ્ટ્રી, ફીઝીક્સ,બાયોલોજી અને મેથ્સ એમ ચાર મુખ્ય વિષય હોય છે. વિદ્યાર્થીઓ પોતાના ગમતાં વિષય સાથે ગૃપની પસંદગી કરવાની હોય છે.   

પ્રતિષ્ઠિત મેડીકલ અને એન્જીનિયરીંગ કોલેજમાં JEE અને NEETના સ્કોરથી જ એડમિશન મળે છે. દર વર્ષે લાખો વિધાર્થીઓ આ પરીક્ષાઓ આપે છે જેમાંથી અમુક લાખ વિધાર્થીઓ જ સરકારી કોટામાં એડમિશન મેળવી શકે છે. સીટ ઓછી છે અને વિધાર્થીઓ વધારે છે, તેથી વિધાર્થીઓને ભારે ચિંતા અને સખ્ત સ્પર્ધાત્મક વાતાવરણમાં તમેની પરીક્ષાની તૈયારીઓ કરવી પડે છે. પ્રાઇવેટ કોલેજ તગડી ફી લેતી હોય છે, તેથી દરેક વિધાર્થીઓ આટલી મોંઘી ફી ભરી શકતા નથી. 

ખાસ મધ્યમ વર્ગના વિધાર્થીઓ દેશની રેન્કિંગ ધરાવતી કોલેજમાં સરકારી કોટામાં એડમિશન માટે શરૂઆત થી જ મહેનત કરે છે. કારણ કે JEE અને NEET પરીક્ષામાં સારો સ્કોર મેળવે, તો જ સરકારી કોટામાં ઓછી ફી સાથે મધ્યમ વર્ગનો વિધાર્થી તેનો આગળનો અભ્યાસ કરી શકે. મોટા ભાગના ઉચ્ચતર માધ્યમિકના વિધાર્થીઓ એટલેજ ડમી શાળામાં એડમિશન લે છે.

પરંતુ હાલમાં જ વર્ષ ૨૦૨૫-૨૬ માટે CBSE ગવર્નિંગ બોર્ડની બેઠકમાં ડમી શાળાઓને લઈને, બોર્ડએ પોતાનું વલણ ફરીથી સ્પષ્ટ કર્યું છે.જેમાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ નિયમિતપણે શાળામાં જાય તે સુનિશ્ચિત કરાશે.આ મીટીંગમાં આગામી સમયમાં બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારે CBSE બોર્ડ વારંવાર શાળાના સંચાલન,એડમિશન અને હાજરી અંગેના નિયમોમાં ફેરફાર કરે, તે વાલીઓ અને વિધાર્થીઓ માટે ચિંતાનો વિષય છે. 

સરકાર કેમ ડમી શાળાઓ માટે ચિંતા કરે છે? જવાબ છે કે સરકારને વિધાર્થીઓને તનાવ ભર્યા વાતાવરણથી દુર રાખવા છે.ડમી શાળા કોને કહેવાય? ડમી શાળા એટલે એવી શાળા જેમાં વિધાર્થીઓ રેગ્યુલર રીતે એડમિશન લે છે, પરંતુ આ શાળામાં વિધાર્થીએ રોજબરોજ જવાનું હોતું નથી અને કોઇપણ પ્રકારના પ્રોજેક્ટ્સ કે તાસ ભરવાના રહેતા નથી.વિધાર્થીઓ સારો રેન્ક ધરાવતી મેડીકલ અને એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન મેળવવા માટે કરીને, આ પરીક્ષાની વધુ સારી તૈયારી માટે ડમી શાળાની પસંદગી કરે છે. કેમ વિધાર્થીઓ અને વાલીઓ ઉચ્ચતર માધ્યમિકમાં ડમી શાળામાં એડમિશન લે છે? પ્રાઇવેટ કોલેજ તગડી ફી વસુલે છે જેથી મધ્યમ વર્ગના વિધાર્થીઓ સરકારી કોટામાં એડમિશન લેવા માટે કરીને મજબુરીમાં ડમી શાળાઓમાં એડમિશન લે છે.





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.