ધોરણ ૧૧-૧૨ના વિધાર્થીઓ કેમ ડમી શાળા તરફ વળી રહ્યા છે?


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-30 21:30:32

ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે એડમિશન શરુ થયા છે. વિધાર્થીઓ ધોરણ ૧૧ થી જ  પ્રતિષ્ઠિત મેડીકલ અને એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન મેળવવા માટે JEE અને NEET જેવી કોમ્પિટેટીવ પરીક્ષાઓની તૈયારી કરવાનું શરુ કરે છે. આ પરીક્ષામાં સખ્ત સ્પર્ધા હોવાથી, સારી રેન્કિંગ મેળવવા માટે વિધાર્થીઓ ડમી શાળામાં એડમિશન લે છે. 

આ પરીક્ષામાં ગૃપ A,ગૃપ B અને ગૃપ ABના વિધાર્થીઓ JEE અને NEETની કોમ્પિટેટીવ પરીક્ષાઓ આપે છે.ઉચ્ચતર  માધ્યમિકમાં ભણતાં વિધાર્થીઓએ પોતાનું ગૃપ પસંદ કરવાનું હોય છે જેમાં ગૃપ A,ગૃપ B અને ગૃપ AB એમ ત્રણ ગૃપ હોય છે. આ ગૃપમાં કેમેસ્ટ્રી, ફીઝીક્સ,બાયોલોજી અને મેથ્સ એમ ચાર મુખ્ય વિષય હોય છે. વિદ્યાર્થીઓ પોતાના ગમતાં વિષય સાથે ગૃપની પસંદગી કરવાની હોય છે.   

પ્રતિષ્ઠિત મેડીકલ અને એન્જીનિયરીંગ કોલેજમાં JEE અને NEETના સ્કોરથી જ એડમિશન મળે છે. દર વર્ષે લાખો વિધાર્થીઓ આ પરીક્ષાઓ આપે છે જેમાંથી અમુક લાખ વિધાર્થીઓ જ સરકારી કોટામાં એડમિશન મેળવી શકે છે. સીટ ઓછી છે અને વિધાર્થીઓ વધારે છે, તેથી વિધાર્થીઓને ભારે ચિંતા અને સખ્ત સ્પર્ધાત્મક વાતાવરણમાં તમેની પરીક્ષાની તૈયારીઓ કરવી પડે છે. પ્રાઇવેટ કોલેજ તગડી ફી લેતી હોય છે, તેથી દરેક વિધાર્થીઓ આટલી મોંઘી ફી ભરી શકતા નથી. 

ખાસ મધ્યમ વર્ગના વિધાર્થીઓ દેશની રેન્કિંગ ધરાવતી કોલેજમાં સરકારી કોટામાં એડમિશન માટે શરૂઆત થી જ મહેનત કરે છે. કારણ કે JEE અને NEET પરીક્ષામાં સારો સ્કોર મેળવે, તો જ સરકારી કોટામાં ઓછી ફી સાથે મધ્યમ વર્ગનો વિધાર્થી તેનો આગળનો અભ્યાસ કરી શકે. મોટા ભાગના ઉચ્ચતર માધ્યમિકના વિધાર્થીઓ એટલેજ ડમી શાળામાં એડમિશન લે છે.

પરંતુ હાલમાં જ વર્ષ ૨૦૨૫-૨૬ માટે CBSE ગવર્નિંગ બોર્ડની બેઠકમાં ડમી શાળાઓને લઈને, બોર્ડએ પોતાનું વલણ ફરીથી સ્પષ્ટ કર્યું છે.જેમાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ નિયમિતપણે શાળામાં જાય તે સુનિશ્ચિત કરાશે.આ મીટીંગમાં આગામી સમયમાં બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારે CBSE બોર્ડ વારંવાર શાળાના સંચાલન,એડમિશન અને હાજરી અંગેના નિયમોમાં ફેરફાર કરે, તે વાલીઓ અને વિધાર્થીઓ માટે ચિંતાનો વિષય છે. 

સરકાર કેમ ડમી શાળાઓ માટે ચિંતા કરે છે? જવાબ છે કે સરકારને વિધાર્થીઓને તનાવ ભર્યા વાતાવરણથી દુર રાખવા છે.ડમી શાળા કોને કહેવાય? ડમી શાળા એટલે એવી શાળા જેમાં વિધાર્થીઓ રેગ્યુલર રીતે એડમિશન લે છે, પરંતુ આ શાળામાં વિધાર્થીએ રોજબરોજ જવાનું હોતું નથી અને કોઇપણ પ્રકારના પ્રોજેક્ટ્સ કે તાસ ભરવાના રહેતા નથી.વિધાર્થીઓ સારો રેન્ક ધરાવતી મેડીકલ અને એન્જીનિયરીંગ કોલેજમાં એડમિશન મેળવવા માટે કરીને, આ પરીક્ષાની વધુ સારી તૈયારી માટે ડમી શાળાની પસંદગી કરે છે. કેમ વિધાર્થીઓ અને વાલીઓ ઉચ્ચતર માધ્યમિકમાં ડમી શાળામાં એડમિશન લે છે? પ્રાઇવેટ કોલેજ તગડી ફી વસુલે છે જેથી મધ્યમ વર્ગના વિધાર્થીઓ સરકારી કોટામાં એડમિશન લેવા માટે કરીને મજબુરીમાં ડમી શાળાઓમાં એડમિશન લે છે.





થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .