કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: CDS જનરલ અનિલ ચૌહાણને 'Z' પ્લસ સીક્યોરિટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 21:27:52

કેન્દ્ર સરકારે આજે મહત્વનો નિર્ણય કરતા નવનિયુક્ત ચીફ ડિફેંસ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણને દિલ્હી પોલીસની 'Z' શ્રેણીનું સશસ્ત્ર સુરક્ષા કવચ આપવાનો નિર્ણય કર્યો છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ હાઈટેક હથિયારોથી સજ્જ દિલ્હી પોલીસના લગભગ 33 સશસ્ત્ર કમાન્ડો CDS અનિલ ચૌહાણને તેમના નિવાસસ્થાન અને પ્રવાસ દરમિયાન પણ સુરક્ષા પૂરી પાડશે. ગૃહ  મંત્રાલયે ગુપ્તચર એજન્સીના ઈનપુટ બાદ આ નિર્ણય લીધો છે.


જનરલ અનિલ ચૌહાણ તમામ ત્રિ-સેવા બાબતોમાં સંરક્ષણ પ્રધાનના મુખ્ય લશ્કરી સલાહકાર તેમજ સચિવ તરીકે લશ્કરી બાબતોના વિભાગના વડા છે. વધુમાં, તેઓ ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC)ના કાયમી અધ્યક્ષ પણ છે.


CDS જનરલ અનિલ ચૌહાણની કામગીરી


CDS જનરલ અનિલ ચૌહાણે ત્રણે સેનાઓ સાથે પ્રથમ વખત વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે આર્મી, નેવી અને એરફોર્સને એકીકૃત થિયેટર કમાન્ડની રચના તરફ આગળ વધવા કહ્યું હતું.થિએટર કમાન્ડની રચનાના લાંબા સમયથી અટકેલા પ્રસ્તાવ પર ફરીથી ચર્ચા શરૂ થઈ છે.  


 અનિલ ચૌહાણની સૈન્ય કારકિર્દી


કેન્દ્ર સરકારે નવા CDS તરીકે  લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણની  28 સપ્ટેમ્બરે નિમણૂક કરી હતી. રક્ષા મંત્રાલયે માહિતી આપી હતી કે તેઓ ભારત સરકારની સેન્યની બાબતોના વિભાગમાં સચિવના રૂપમાં કામ કરશે. લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણે ગોરખા રાઈફલથી સેનામાં પ્રવેશ કર્યો હતો, તો PoKમાં બાલાકોટ સ્ટ્રાઈકના પ્લાનિંગમાં પણ  શામેલ હતા અને તેઓ ગયા વર્ષ જ વયનિવૃત્ત થયા છે.


લગભગ 40 વર્ષોથી વધુ સમયની કારકિર્દીમાં લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણે કેટલાય કમાન્ડ. સ્ટાફ અને સહાયકોની નિંમણૂક કરી છે. જમ્મુ-કશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતના આતંકવાદ વિરોધી કામગીરીનો તેઓને બહોળો અનુભવ છે. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે