કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: CDS જનરલ અનિલ ચૌહાણને 'Z' પ્લસ સીક્યોરિટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 21:27:52

કેન્દ્ર સરકારે આજે મહત્વનો નિર્ણય કરતા નવનિયુક્ત ચીફ ડિફેંસ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણને દિલ્હી પોલીસની 'Z' શ્રેણીનું સશસ્ત્ર સુરક્ષા કવચ આપવાનો નિર્ણય કર્યો છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ હાઈટેક હથિયારોથી સજ્જ દિલ્હી પોલીસના લગભગ 33 સશસ્ત્ર કમાન્ડો CDS અનિલ ચૌહાણને તેમના નિવાસસ્થાન અને પ્રવાસ દરમિયાન પણ સુરક્ષા પૂરી પાડશે. ગૃહ  મંત્રાલયે ગુપ્તચર એજન્સીના ઈનપુટ બાદ આ નિર્ણય લીધો છે.


જનરલ અનિલ ચૌહાણ તમામ ત્રિ-સેવા બાબતોમાં સંરક્ષણ પ્રધાનના મુખ્ય લશ્કરી સલાહકાર તેમજ સચિવ તરીકે લશ્કરી બાબતોના વિભાગના વડા છે. વધુમાં, તેઓ ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC)ના કાયમી અધ્યક્ષ પણ છે.


CDS જનરલ અનિલ ચૌહાણની કામગીરી


CDS જનરલ અનિલ ચૌહાણે ત્રણે સેનાઓ સાથે પ્રથમ વખત વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે આર્મી, નેવી અને એરફોર્સને એકીકૃત થિયેટર કમાન્ડની રચના તરફ આગળ વધવા કહ્યું હતું.થિએટર કમાન્ડની રચનાના લાંબા સમયથી અટકેલા પ્રસ્તાવ પર ફરીથી ચર્ચા શરૂ થઈ છે.  


 અનિલ ચૌહાણની સૈન્ય કારકિર્દી


કેન્દ્ર સરકારે નવા CDS તરીકે  લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણની  28 સપ્ટેમ્બરે નિમણૂક કરી હતી. રક્ષા મંત્રાલયે માહિતી આપી હતી કે તેઓ ભારત સરકારની સેન્યની બાબતોના વિભાગમાં સચિવના રૂપમાં કામ કરશે. લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણે ગોરખા રાઈફલથી સેનામાં પ્રવેશ કર્યો હતો, તો PoKમાં બાલાકોટ સ્ટ્રાઈકના પ્લાનિંગમાં પણ  શામેલ હતા અને તેઓ ગયા વર્ષ જ વયનિવૃત્ત થયા છે.


લગભગ 40 વર્ષોથી વધુ સમયની કારકિર્દીમાં લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણે કેટલાય કમાન્ડ. સ્ટાફ અને સહાયકોની નિંમણૂક કરી છે. જમ્મુ-કશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતના આતંકવાદ વિરોધી કામગીરીનો તેઓને બહોળો અનુભવ છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.