કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: CDS જનરલ અનિલ ચૌહાણને 'Z' પ્લસ સીક્યોરિટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 21:27:52

કેન્દ્ર સરકારે આજે મહત્વનો નિર્ણય કરતા નવનિયુક્ત ચીફ ડિફેંસ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણને દિલ્હી પોલીસની 'Z' શ્રેણીનું સશસ્ત્ર સુરક્ષા કવચ આપવાનો નિર્ણય કર્યો છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ હાઈટેક હથિયારોથી સજ્જ દિલ્હી પોલીસના લગભગ 33 સશસ્ત્ર કમાન્ડો CDS અનિલ ચૌહાણને તેમના નિવાસસ્થાન અને પ્રવાસ દરમિયાન પણ સુરક્ષા પૂરી પાડશે. ગૃહ  મંત્રાલયે ગુપ્તચર એજન્સીના ઈનપુટ બાદ આ નિર્ણય લીધો છે.


જનરલ અનિલ ચૌહાણ તમામ ત્રિ-સેવા બાબતોમાં સંરક્ષણ પ્રધાનના મુખ્ય લશ્કરી સલાહકાર તેમજ સચિવ તરીકે લશ્કરી બાબતોના વિભાગના વડા છે. વધુમાં, તેઓ ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC)ના કાયમી અધ્યક્ષ પણ છે.


CDS જનરલ અનિલ ચૌહાણની કામગીરી


CDS જનરલ અનિલ ચૌહાણે ત્રણે સેનાઓ સાથે પ્રથમ વખત વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે આર્મી, નેવી અને એરફોર્સને એકીકૃત થિયેટર કમાન્ડની રચના તરફ આગળ વધવા કહ્યું હતું.થિએટર કમાન્ડની રચનાના લાંબા સમયથી અટકેલા પ્રસ્તાવ પર ફરીથી ચર્ચા શરૂ થઈ છે.  


 અનિલ ચૌહાણની સૈન્ય કારકિર્દી


કેન્દ્ર સરકારે નવા CDS તરીકે  લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણની  28 સપ્ટેમ્બરે નિમણૂક કરી હતી. રક્ષા મંત્રાલયે માહિતી આપી હતી કે તેઓ ભારત સરકારની સેન્યની બાબતોના વિભાગમાં સચિવના રૂપમાં કામ કરશે. લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણે ગોરખા રાઈફલથી સેનામાં પ્રવેશ કર્યો હતો, તો PoKમાં બાલાકોટ સ્ટ્રાઈકના પ્લાનિંગમાં પણ  શામેલ હતા અને તેઓ ગયા વર્ષ જ વયનિવૃત્ત થયા છે.


લગભગ 40 વર્ષોથી વધુ સમયની કારકિર્દીમાં લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણે કેટલાય કમાન્ડ. સ્ટાફ અને સહાયકોની નિંમણૂક કરી છે. જમ્મુ-કશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતના આતંકવાદ વિરોધી કામગીરીનો તેઓને બહોળો અનુભવ છે. 




ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.