કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: CDS જનરલ અનિલ ચૌહાણને 'Z' પ્લસ સીક્યોરિટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 21:27:52

કેન્દ્ર સરકારે આજે મહત્વનો નિર્ણય કરતા નવનિયુક્ત ચીફ ડિફેંસ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણને દિલ્હી પોલીસની 'Z' શ્રેણીનું સશસ્ત્ર સુરક્ષા કવચ આપવાનો નિર્ણય કર્યો છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ હાઈટેક હથિયારોથી સજ્જ દિલ્હી પોલીસના લગભગ 33 સશસ્ત્ર કમાન્ડો CDS અનિલ ચૌહાણને તેમના નિવાસસ્થાન અને પ્રવાસ દરમિયાન પણ સુરક્ષા પૂરી પાડશે. ગૃહ  મંત્રાલયે ગુપ્તચર એજન્સીના ઈનપુટ બાદ આ નિર્ણય લીધો છે.


જનરલ અનિલ ચૌહાણ તમામ ત્રિ-સેવા બાબતોમાં સંરક્ષણ પ્રધાનના મુખ્ય લશ્કરી સલાહકાર તેમજ સચિવ તરીકે લશ્કરી બાબતોના વિભાગના વડા છે. વધુમાં, તેઓ ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC)ના કાયમી અધ્યક્ષ પણ છે.


CDS જનરલ અનિલ ચૌહાણની કામગીરી


CDS જનરલ અનિલ ચૌહાણે ત્રણે સેનાઓ સાથે પ્રથમ વખત વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે આર્મી, નેવી અને એરફોર્સને એકીકૃત થિયેટર કમાન્ડની રચના તરફ આગળ વધવા કહ્યું હતું.થિએટર કમાન્ડની રચનાના લાંબા સમયથી અટકેલા પ્રસ્તાવ પર ફરીથી ચર્ચા શરૂ થઈ છે.  


 અનિલ ચૌહાણની સૈન્ય કારકિર્દી


કેન્દ્ર સરકારે નવા CDS તરીકે  લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણની  28 સપ્ટેમ્બરે નિમણૂક કરી હતી. રક્ષા મંત્રાલયે માહિતી આપી હતી કે તેઓ ભારત સરકારની સેન્યની બાબતોના વિભાગમાં સચિવના રૂપમાં કામ કરશે. લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણે ગોરખા રાઈફલથી સેનામાં પ્રવેશ કર્યો હતો, તો PoKમાં બાલાકોટ સ્ટ્રાઈકના પ્લાનિંગમાં પણ  શામેલ હતા અને તેઓ ગયા વર્ષ જ વયનિવૃત્ત થયા છે.


લગભગ 40 વર્ષોથી વધુ સમયની કારકિર્દીમાં લેફ્ટનન્ટ જનરલ (Retd.) અનિલ ચૌહાણે કેટલાય કમાન્ડ. સ્ટાફ અને સહાયકોની નિંમણૂક કરી છે. જમ્મુ-કશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતના આતંકવાદ વિરોધી કામગીરીનો તેઓને બહોળો અનુભવ છે. 




પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.