આવી રીતે કરાઈ પ્રજાસત્તાક દિવસની ઉજવણી, કર્તવ્ય પથ પર જોવા મળી અનેક રાજ્યોની ઝાંખી


  • Published By :
  • Published Date : 2023-01-26 17:34:43

સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, સહિતના નેતાઓએ ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. કર્તવ્ય પથ પર અનેક રાજ્યોની ઝાંખી તેમજ સંસ્કૃતિ બતાવામાં આવી હતી. પરેડને લઈને લોકો ઉત્સાહિત હતા. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 17 ઝાંખીઓ બતાવવામાં આવી હતી.

  


અનેક રાજ્યોની બતાવામાં આવી ઝાંખી 

17 ઝાંખીઓમાં આસામ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર,લદ્દાખ, દાદરાનગર હવેલી, દમણ અને દીવ, ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને કેરળનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત વિવિધ વિભાગોની ઝાંખી પણ બતાવામાં આવી હતી. અનેક  કર્તવ્ય પથ પર અનેક રાજ્યોની ઝાંખી બતાવામાં આવે છે. 

Republic Day tableau

કચ્છ સંસ્કૃતિની અપાઈ ઝલક  

ગુજરાતની ઝાંખી પણ બતાવામાં આવી હતી. ક્લિન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત વિષય પર આધારીત ટેબ્લો રજૂ કરવામાં આવી અને ઉર્જા ક્ષેત્રમાં આગળ વધવામાં આવે તેવો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવે તેવો હેતુ બતાવામાં આવ્યો હતો.  

Republic Day tableau

ગીતાજી પર આધારીત હતી હરિયાણાની ઝાંખી 

જો બીજા રાજ્યોના ઝાંખીની વાત કરીએ તો હરિયાણાની ઝાંખી ગીતા પર આધારીત હતી. ઝાંકીમાં ભગવાનકૃષ્ણનું વિરાટ સ્વરૂપ બતાવામાં આવ્યું છે. કુરુક્ષેત્રમાં અર્જુનને સંદેશો આપતા હોય તેવું બતાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રક્ષા મંત્રાલય અનુસાર ઝાંખીમાં મહાભારત કાળને દર્શાવામાં આવ્યો હતો. 

Republic Day tableau

નારી શક્તિ બતાવવાનો કર્યો પ્રયાસ

પશ્ચિમબંગાળની ઝાંખીમાં દુર્ગાપૂજાનું થીમ જોવા મળ્યું હતું. પંડાલ આગળ કલાકારો ઝૂમતા દેખાયા હતા. દુર્ગાપૂજાના મનોહર દ્રશ્યો કર્તવ્ય પથ પર બતાવાની કોશિશ કરવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર આ ઝાંખીમાં મહિલાશક્તિકરણ દર્શાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પશ્મિબંગાળની દુર્ગાપૂજાનો સમાવેશ યુનેસ્કોની ઈંટેન્જિબલ કલચરલ હેરિટેજ લિસ્ટમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

Republic Day tableau

જમ્મુ-કાશ્મીરની ઝાંખીમાં જોવા મળી અમરનાથની ગુફા

જમ્મુ-કાશ્મીરની ઝાંખી અમરનાથ યાત્રાની થીમ પર આધારીત હતી. રાજ્યની સમૃદ્ધિ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત કર્ણાટકની ઝાંખીમાં પણ નારી શક્તિ દર્શાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સમાજની સેવા માટે જીવન સમર્પિત કરનાર મહિલાઓની ઝાંકી બતાવવામાં આવી હતી.      




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.