દેશમાં વસ્તી ગણતરી ક્યારે યોજાશે, કેન્દ્ર સરકાર શા માટે ટાળી રહી છે?


  • Published By :
  • Published Date : 2023-01-09 15:25:09

દેશભરમાં વસ્તી ગણતરી ક્યારે શરૂ થશે? મોદી સરકાર સામે સતત આ સવાલ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર કોરોનાનું બહાનુ ધરીને કે બીજા અન્ય કારણો આપીને દેશમાં વસ્તી ગણતરી કરાવવાનું ટાળી રહી છે. વિરોધ પક્ષો ખાસ કરીને સ્થાનિક પાર્ટીઓ બસપા, આરજેડી, સપા અને જેડીયું મોદી સરકાર પર જાતિ આધારીક મતગણતરી કરાવવાનું  દબાણ કરી રહી છે. જો કે મોદી સરકાર ટસની મસ થતી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી.


શા માટે વસ્તી ગણતરી ટાળવામાં આવે છે?


કેન્દ્ર સરકાર વસ્તી ગણતરીની તારીખો આગળ વધારી રહી છે. પહેલા 31 ડિસેમ્બર 2019 પછી 31 માર્ચ 2021, 31 ડિસેમ્બર 2021, 31 ડિસેમ્બર 2022 અને હવે 30 જુન 2023ની તારીખ જાહેર કરવામાં આવી છે. જો કે નિષ્ણાતો આ તારીખને પણ છેલ્લી માનતા નથી. કેટલાક વસ્તી નિષ્ણાતોના માને છે કે વસ્તી ગણતરી ટાળવાનું એક કારણ OBC વર્ગનું વધવાનું છે. વર્તમાનમાં માત્ર અનુસુચીત જાતિ(SC) અને જનજાતિની(ST) વર્ગની સંખ્યાની જ વસ્તી ગણતરી થાય છે. હવે અનેક રાજ્યો જાતિ આધારીત વસ્તી ગણતરી કરવાની માગ કરી રહ્યા છે. ખાસ કરીને OBC વર્ગની વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર માટે માથાનો દુ:ખાવો બની છે. કેન્દ્ર સરકાર આ ઝંઝટમાં પડવા માંગતી નથી તેથી વસ્તી ગણતરીની કવાયત ટાળી રહી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.