દેશમાં વસ્તી ગણતરી ક્યારે યોજાશે, કેન્દ્ર સરકાર શા માટે ટાળી રહી છે?


  • Published By :
  • Published Date : 2023-01-09 15:25:09

દેશભરમાં વસ્તી ગણતરી ક્યારે શરૂ થશે? મોદી સરકાર સામે સતત આ સવાલ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર કોરોનાનું બહાનુ ધરીને કે બીજા અન્ય કારણો આપીને દેશમાં વસ્તી ગણતરી કરાવવાનું ટાળી રહી છે. વિરોધ પક્ષો ખાસ કરીને સ્થાનિક પાર્ટીઓ બસપા, આરજેડી, સપા અને જેડીયું મોદી સરકાર પર જાતિ આધારીક મતગણતરી કરાવવાનું  દબાણ કરી રહી છે. જો કે મોદી સરકાર ટસની મસ થતી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી.


શા માટે વસ્તી ગણતરી ટાળવામાં આવે છે?


કેન્દ્ર સરકાર વસ્તી ગણતરીની તારીખો આગળ વધારી રહી છે. પહેલા 31 ડિસેમ્બર 2019 પછી 31 માર્ચ 2021, 31 ડિસેમ્બર 2021, 31 ડિસેમ્બર 2022 અને હવે 30 જુન 2023ની તારીખ જાહેર કરવામાં આવી છે. જો કે નિષ્ણાતો આ તારીખને પણ છેલ્લી માનતા નથી. કેટલાક વસ્તી નિષ્ણાતોના માને છે કે વસ્તી ગણતરી ટાળવાનું એક કારણ OBC વર્ગનું વધવાનું છે. વર્તમાનમાં માત્ર અનુસુચીત જાતિ(SC) અને જનજાતિની(ST) વર્ગની સંખ્યાની જ વસ્તી ગણતરી થાય છે. હવે અનેક રાજ્યો જાતિ આધારીત વસ્તી ગણતરી કરવાની માગ કરી રહ્યા છે. ખાસ કરીને OBC વર્ગની વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર માટે માથાનો દુ:ખાવો બની છે. કેન્દ્ર સરકાર આ ઝંઝટમાં પડવા માંગતી નથી તેથી વસ્તી ગણતરીની કવાયત ટાળી રહી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.