દેશમાં વસ્તી ગણતરી ક્યારે યોજાશે, કેન્દ્ર સરકાર શા માટે ટાળી રહી છે?


  • Published By :
  • Published Date : 2023-01-09 15:25:09

દેશભરમાં વસ્તી ગણતરી ક્યારે શરૂ થશે? મોદી સરકાર સામે સતત આ સવાલ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર કોરોનાનું બહાનુ ધરીને કે બીજા અન્ય કારણો આપીને દેશમાં વસ્તી ગણતરી કરાવવાનું ટાળી રહી છે. વિરોધ પક્ષો ખાસ કરીને સ્થાનિક પાર્ટીઓ બસપા, આરજેડી, સપા અને જેડીયું મોદી સરકાર પર જાતિ આધારીક મતગણતરી કરાવવાનું  દબાણ કરી રહી છે. જો કે મોદી સરકાર ટસની મસ થતી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી.


શા માટે વસ્તી ગણતરી ટાળવામાં આવે છે?


કેન્દ્ર સરકાર વસ્તી ગણતરીની તારીખો આગળ વધારી રહી છે. પહેલા 31 ડિસેમ્બર 2019 પછી 31 માર્ચ 2021, 31 ડિસેમ્બર 2021, 31 ડિસેમ્બર 2022 અને હવે 30 જુન 2023ની તારીખ જાહેર કરવામાં આવી છે. જો કે નિષ્ણાતો આ તારીખને પણ છેલ્લી માનતા નથી. કેટલાક વસ્તી નિષ્ણાતોના માને છે કે વસ્તી ગણતરી ટાળવાનું એક કારણ OBC વર્ગનું વધવાનું છે. વર્તમાનમાં માત્ર અનુસુચીત જાતિ(SC) અને જનજાતિની(ST) વર્ગની સંખ્યાની જ વસ્તી ગણતરી થાય છે. હવે અનેક રાજ્યો જાતિ આધારીત વસ્તી ગણતરી કરવાની માગ કરી રહ્યા છે. ખાસ કરીને OBC વર્ગની વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર માટે માથાનો દુ:ખાવો બની છે. કેન્દ્ર સરકાર આ ઝંઝટમાં પડવા માંગતી નથી તેથી વસ્તી ગણતરીની કવાયત ટાળી રહી છે.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.