પહેલવાનોના મુદ્દા પર ચર્ચા કરવા કેન્દ્ર તૈયાર! અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આપ્યું આમંત્રણ, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-07 10:12:01

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે છેલ્લા ઘણા સમયથી પહેલવાનો પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપ મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ થયો. ત્યારે ગઈકાલે બ્રિજભૂષણ સિંહની પૂછપરછ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે કેન્દ્રએ વાતચીત માટે હાથ લંબાવ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે મોડી રાત્રે ટ્વિટ કરી જણાવ્યું કે સરકાર પહેલવાનોના સાથે વાતચીત કરવા તૈયાર છે. હું ફરી એક વાર વાતચીત કરવા પહેલવાનોને આમંત્રણ આપું છું. ત્યારે મળતી માહિતી અનુસાર પહેલવાનો મીટિંગ કરવા તૈયાર થયા છે. 


કુસ્તીબાજોએ અમિત શાહ સાથે કરી હતી બેઠક!

ઘણા સમયથી પહેલવાનો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. પોલીસે ભાજપના સાંસદ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસ દાખલ કર્યો હતો પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ કુસ્તીબાજોમાં નારાજગી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા અમિત શાહ સાથે કુસ્તીબાજોએ મુલાકાત કરી પોતાની વાત રજૂ કરી હતી. મળતી માહિતી અનુસાર અમિત શાહે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ સમાચાર પણ ઘણા કલાકો વિતી ગયા ત્યાર બાદ સામે આવ્યા હતા. 


પહેલવાનોએ આંદોલનમાં પીછેહઠ કરી તેની ઉડી હતી અફવા! 

અમિત શાહ સાથે થયેલી મુલાકાતના સમાચાર સામે આવ્યા બાદ એવા સમાચારોએ જોર પકડ્યું કે સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિતના પહેલવાનોએ આંદોલન છોડી દીધું છે. પરંતુ તે વાતને ખુદ પહેલવાનોએ અફવા ગણાવી. એ વાત સાચી છે કે તેમણે નોકરી ફરી જોઈન કરી લીધી હતી. પરંતુ આંદોલન પાછું ખેચવાની વાત ખોટી હતી. તે બાદ કુસ્તીબાજોએ નોકરી છોડવાની ધમકી આપી હતી. 


અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આપ્યું આમંત્રણ!

આ મામલે કેન્દ્રીય નેતાઓએ તેમજ વડાપ્રધાન મોદીએ મૌન સેવ્યું છે. આ વાતને લઈ વિપક્ષ દ્વારા અનેક વખત પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારે કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આમંત્રણ આપ્યું છે. અનુરાગ ઠાકુરે ટ્વિટ કર્યું, "સરકાર કુસ્તીબાજો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. મેં આ માટે ફરી એકવાર કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું છે." આ પહેલા પણ અનુરાગ ઠાકુર વિરોધ કરી રહેલા પહેલવાનો સાથે બેઠક કરી ચૂક્યા છે. હવે જોવું એ રહ્યું કે આ બેઠકમાં શું થાય છે? શું કુસ્તીબાજો જે આંદોલન કરી રહ્યા છે તે ખતમ કરી દેશે કે પછી જ્યાં સુધી બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન શરૂ રાખે છે?          



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.