પહેલવાનોના મુદ્દા પર ચર્ચા કરવા કેન્દ્ર તૈયાર! અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આપ્યું આમંત્રણ, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-07 10:12:01

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે છેલ્લા ઘણા સમયથી પહેલવાનો પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપ મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ થયો. ત્યારે ગઈકાલે બ્રિજભૂષણ સિંહની પૂછપરછ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે કેન્દ્રએ વાતચીત માટે હાથ લંબાવ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે મોડી રાત્રે ટ્વિટ કરી જણાવ્યું કે સરકાર પહેલવાનોના સાથે વાતચીત કરવા તૈયાર છે. હું ફરી એક વાર વાતચીત કરવા પહેલવાનોને આમંત્રણ આપું છું. ત્યારે મળતી માહિતી અનુસાર પહેલવાનો મીટિંગ કરવા તૈયાર થયા છે. 


કુસ્તીબાજોએ અમિત શાહ સાથે કરી હતી બેઠક!

ઘણા સમયથી પહેલવાનો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. પોલીસે ભાજપના સાંસદ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસ દાખલ કર્યો હતો પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ કુસ્તીબાજોમાં નારાજગી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા અમિત શાહ સાથે કુસ્તીબાજોએ મુલાકાત કરી પોતાની વાત રજૂ કરી હતી. મળતી માહિતી અનુસાર અમિત શાહે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ સમાચાર પણ ઘણા કલાકો વિતી ગયા ત્યાર બાદ સામે આવ્યા હતા. 


પહેલવાનોએ આંદોલનમાં પીછેહઠ કરી તેની ઉડી હતી અફવા! 

અમિત શાહ સાથે થયેલી મુલાકાતના સમાચાર સામે આવ્યા બાદ એવા સમાચારોએ જોર પકડ્યું કે સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિતના પહેલવાનોએ આંદોલન છોડી દીધું છે. પરંતુ તે વાતને ખુદ પહેલવાનોએ અફવા ગણાવી. એ વાત સાચી છે કે તેમણે નોકરી ફરી જોઈન કરી લીધી હતી. પરંતુ આંદોલન પાછું ખેચવાની વાત ખોટી હતી. તે બાદ કુસ્તીબાજોએ નોકરી છોડવાની ધમકી આપી હતી. 


અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આપ્યું આમંત્રણ!

આ મામલે કેન્દ્રીય નેતાઓએ તેમજ વડાપ્રધાન મોદીએ મૌન સેવ્યું છે. આ વાતને લઈ વિપક્ષ દ્વારા અનેક વખત પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારે કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આમંત્રણ આપ્યું છે. અનુરાગ ઠાકુરે ટ્વિટ કર્યું, "સરકાર કુસ્તીબાજો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. મેં આ માટે ફરી એકવાર કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું છે." આ પહેલા પણ અનુરાગ ઠાકુર વિરોધ કરી રહેલા પહેલવાનો સાથે બેઠક કરી ચૂક્યા છે. હવે જોવું એ રહ્યું કે આ બેઠકમાં શું થાય છે? શું કુસ્તીબાજો જે આંદોલન કરી રહ્યા છે તે ખતમ કરી દેશે કે પછી જ્યાં સુધી બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન શરૂ રાખે છે?          



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.