પહેલવાનોના મુદ્દા પર ચર્ચા કરવા કેન્દ્ર તૈયાર! અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આપ્યું આમંત્રણ, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-07 10:12:01

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે છેલ્લા ઘણા સમયથી પહેલવાનો પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપ મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ થયો. ત્યારે ગઈકાલે બ્રિજભૂષણ સિંહની પૂછપરછ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે કેન્દ્રએ વાતચીત માટે હાથ લંબાવ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે મોડી રાત્રે ટ્વિટ કરી જણાવ્યું કે સરકાર પહેલવાનોના સાથે વાતચીત કરવા તૈયાર છે. હું ફરી એક વાર વાતચીત કરવા પહેલવાનોને આમંત્રણ આપું છું. ત્યારે મળતી માહિતી અનુસાર પહેલવાનો મીટિંગ કરવા તૈયાર થયા છે. 


કુસ્તીબાજોએ અમિત શાહ સાથે કરી હતી બેઠક!

ઘણા સમયથી પહેલવાનો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. પોલીસે ભાજપના સાંસદ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસ દાખલ કર્યો હતો પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ કુસ્તીબાજોમાં નારાજગી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા અમિત શાહ સાથે કુસ્તીબાજોએ મુલાકાત કરી પોતાની વાત રજૂ કરી હતી. મળતી માહિતી અનુસાર અમિત શાહે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ સમાચાર પણ ઘણા કલાકો વિતી ગયા ત્યાર બાદ સામે આવ્યા હતા. 


પહેલવાનોએ આંદોલનમાં પીછેહઠ કરી તેની ઉડી હતી અફવા! 

અમિત શાહ સાથે થયેલી મુલાકાતના સમાચાર સામે આવ્યા બાદ એવા સમાચારોએ જોર પકડ્યું કે સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિતના પહેલવાનોએ આંદોલન છોડી દીધું છે. પરંતુ તે વાતને ખુદ પહેલવાનોએ અફવા ગણાવી. એ વાત સાચી છે કે તેમણે નોકરી ફરી જોઈન કરી લીધી હતી. પરંતુ આંદોલન પાછું ખેચવાની વાત ખોટી હતી. તે બાદ કુસ્તીબાજોએ નોકરી છોડવાની ધમકી આપી હતી. 


અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આપ્યું આમંત્રણ!

આ મામલે કેન્દ્રીય નેતાઓએ તેમજ વડાપ્રધાન મોદીએ મૌન સેવ્યું છે. આ વાતને લઈ વિપક્ષ દ્વારા અનેક વખત પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારે કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આમંત્રણ આપ્યું છે. અનુરાગ ઠાકુરે ટ્વિટ કર્યું, "સરકાર કુસ્તીબાજો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. મેં આ માટે ફરી એકવાર કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું છે." આ પહેલા પણ અનુરાગ ઠાકુર વિરોધ કરી રહેલા પહેલવાનો સાથે બેઠક કરી ચૂક્યા છે. હવે જોવું એ રહ્યું કે આ બેઠકમાં શું થાય છે? શું કુસ્તીબાજો જે આંદોલન કરી રહ્યા છે તે ખતમ કરી દેશે કે પછી જ્યાં સુધી બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન શરૂ રાખે છે?          



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.