પહેલવાનોના મુદ્દા પર ચર્ચા કરવા કેન્દ્ર તૈયાર! અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આપ્યું આમંત્રણ, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-06-07 10:12:01

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે છેલ્લા ઘણા સમયથી પહેલવાનો પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિજભૂષણ પર યૌન શોષણના આરોપ મહિલા પહેલવાનો દ્વારા લગાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ થયો. ત્યારે ગઈકાલે બ્રિજભૂષણ સિંહની પૂછપરછ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે કેન્દ્રએ વાતચીત માટે હાથ લંબાવ્યો છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે મોડી રાત્રે ટ્વિટ કરી જણાવ્યું કે સરકાર પહેલવાનોના સાથે વાતચીત કરવા તૈયાર છે. હું ફરી એક વાર વાતચીત કરવા પહેલવાનોને આમંત્રણ આપું છું. ત્યારે મળતી માહિતી અનુસાર પહેલવાનો મીટિંગ કરવા તૈયાર થયા છે. 


કુસ્તીબાજોએ અમિત શાહ સાથે કરી હતી બેઠક!

ઘણા સમયથી પહેલવાનો બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે. પોલીસે ભાજપના સાંસદ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેસ દાખલ કર્યો હતો પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ કુસ્તીબાજોમાં નારાજગી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા અમિત શાહ સાથે કુસ્તીબાજોએ મુલાકાત કરી પોતાની વાત રજૂ કરી હતી. મળતી માહિતી અનુસાર અમિત શાહે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ સમાચાર પણ ઘણા કલાકો વિતી ગયા ત્યાર બાદ સામે આવ્યા હતા. 


પહેલવાનોએ આંદોલનમાં પીછેહઠ કરી તેની ઉડી હતી અફવા! 

અમિત શાહ સાથે થયેલી મુલાકાતના સમાચાર સામે આવ્યા બાદ એવા સમાચારોએ જોર પકડ્યું કે સાક્ષી મલિક, બજરંગ પુનિયા સહિતના પહેલવાનોએ આંદોલન છોડી દીધું છે. પરંતુ તે વાતને ખુદ પહેલવાનોએ અફવા ગણાવી. એ વાત સાચી છે કે તેમણે નોકરી ફરી જોઈન કરી લીધી હતી. પરંતુ આંદોલન પાછું ખેચવાની વાત ખોટી હતી. તે બાદ કુસ્તીબાજોએ નોકરી છોડવાની ધમકી આપી હતી. 


અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આપ્યું આમંત્રણ!

આ મામલે કેન્દ્રીય નેતાઓએ તેમજ વડાપ્રધાન મોદીએ મૌન સેવ્યું છે. આ વાતને લઈ વિપક્ષ દ્વારા અનેક વખત પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારે કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે વાતચીત કરવા પહેલવાનોને આમંત્રણ આપ્યું છે. અનુરાગ ઠાકુરે ટ્વિટ કર્યું, "સરકાર કુસ્તીબાજો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. મેં આ માટે ફરી એકવાર કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું છે." આ પહેલા પણ અનુરાગ ઠાકુર વિરોધ કરી રહેલા પહેલવાનો સાથે બેઠક કરી ચૂક્યા છે. હવે જોવું એ રહ્યું કે આ બેઠકમાં શું થાય છે? શું કુસ્તીબાજો જે આંદોલન કરી રહ્યા છે તે ખતમ કરી દેશે કે પછી જ્યાં સુધી બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન શરૂ રાખે છે?          



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.