બેંગલુરૂમાં વિસ્ફોટના ષડયંત્રનો પર્દાફાશ, 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, ઘાતક હથિયારો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-07-19 14:33:25

બેંગલુરૂમાં પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની પોલીસે ધરપકડ કરી છે, સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચે દેશદ્રોહી પ્રવૃતિઓમાં સામેલ હોવાની શંકા હેઠળ આ લોકોની ધરપકડ કરી છે. આ શંકાસ્પદો પાસેથી વિસ્ફોટક સામગ્રી પર જપ્ત કરવામાં આવી છે. CCB અને  CIDએ સાથે મળીને જોઈન્ટ ઓપરેશનમાં જુનૈદ, સોહેલ, ઉમર સહિત 5 શંકાસ્પદોની ધરપકડ કરતા શહેરમાં હડકંપ મચી ગયો છે. હાલ તો સીસીબી તમામ શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે. પોલીસને આશંકા છે કે આ શંકાસ્પદોની સાથે અન્ય 2 લોકો પણ સામેલ છે. જેમની શોધખોળ ચાલી રહી છે.


બેંગલુરૂમાં વિસ્ફોટની હતી યોજના


CCB માદીવાલા ટેક્નિકલ સેલમાં શંકાસ્પદ આતંકવાદીઓની ઈરાદો બેંગલુરૂમાં વિસ્ફોટ કરવાનો હતો, આ પાંચેય શંકાસ્પદ વર્ષ 2017ના હત્યા કેસમાં પણ આરોપી છે, અને પરપ્પાના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં બંધ હતા. આ દરમિયાન તે આતંકવાદીઓના સંપર્કમાં આવ્યા હતા. પૂછપરછ બાદ એ બહાર આવ્યું છે કે શંકાસ્પદોની એક ટીમ વિસ્ફોટની યોજના બનાવી રહી હતી. જેમાં 10થી વધુ લોકો સામેલ હતા. CCBને અંગે જાણકારી મળી હતી, અને શંકાસ્પદોની તાત્કાલિક શોધખોળ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. 


શંકાસ્પદો પાસેથી શું પકડાયું?


CCBના જણાવ્યા પ્રમાણે આ શંકાસ્પદોની પાસેથી 4 વોકી-ટોકી, 7 પિસ્તોલ, દારૂગોળા સહિતના અન્ય વિસ્ફોટકો અને હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે. જેમાં ભાગેડું લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.