બેંગલુરૂમાં વિસ્ફોટના ષડયંત્રનો પર્દાફાશ, 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, ઘાતક હથિયારો જપ્ત


  • Published By :
  • Published Date : 2023-07-19 14:33:25

બેંગલુરૂમાં પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની પોલીસે ધરપકડ કરી છે, સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચે દેશદ્રોહી પ્રવૃતિઓમાં સામેલ હોવાની શંકા હેઠળ આ લોકોની ધરપકડ કરી છે. આ શંકાસ્પદો પાસેથી વિસ્ફોટક સામગ્રી પર જપ્ત કરવામાં આવી છે. CCB અને  CIDએ સાથે મળીને જોઈન્ટ ઓપરેશનમાં જુનૈદ, સોહેલ, ઉમર સહિત 5 શંકાસ્પદોની ધરપકડ કરતા શહેરમાં હડકંપ મચી ગયો છે. હાલ તો સીસીબી તમામ શંકાસ્પદોની પૂછપરછ કરી રહી છે. પોલીસને આશંકા છે કે આ શંકાસ્પદોની સાથે અન્ય 2 લોકો પણ સામેલ છે. જેમની શોધખોળ ચાલી રહી છે.


બેંગલુરૂમાં વિસ્ફોટની હતી યોજના


CCB માદીવાલા ટેક્નિકલ સેલમાં શંકાસ્પદ આતંકવાદીઓની ઈરાદો બેંગલુરૂમાં વિસ્ફોટ કરવાનો હતો, આ પાંચેય શંકાસ્પદ વર્ષ 2017ના હત્યા કેસમાં પણ આરોપી છે, અને પરપ્પાના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં બંધ હતા. આ દરમિયાન તે આતંકવાદીઓના સંપર્કમાં આવ્યા હતા. પૂછપરછ બાદ એ બહાર આવ્યું છે કે શંકાસ્પદોની એક ટીમ વિસ્ફોટની યોજના બનાવી રહી હતી. જેમાં 10થી વધુ લોકો સામેલ હતા. CCBને અંગે જાણકારી મળી હતી, અને શંકાસ્પદોની તાત્કાલિક શોધખોળ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. 


શંકાસ્પદો પાસેથી શું પકડાયું?


CCBના જણાવ્યા પ્રમાણે આ શંકાસ્પદોની પાસેથી 4 વોકી-ટોકી, 7 પિસ્તોલ, દારૂગોળા સહિતના અન્ય વિસ્ફોટકો અને હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી છે. જેમાં ભાગેડું લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .