કેન્દ્ર સરકાર ગરીબ પરિવારને આપશે મફત અનાજ, સૈન્યબળોને માટે લાગુ કરાશે OROP


  • Published By :
  • Published Date : 2022-12-24 11:51:13

શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા લેવાયા નિર્ણયોથી સૈનિકોની ફાયદો થશે ઉપરાંત ગરીબોને પણ આ નિર્ણયને કારણે ફાયદો થવાનો છે. કેન્દ્ર સરકારે સૈન્યબળો માટે વન રેંક વન પેન્શન લાગુ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન અંતર્ગત 81.3 કરોડ ગરીબોને એક વર્ષ સુધી મફતમાં રાશન આપવાનો નિર્ણય કર્યો છે. 


જવાનોને મળશે લાભ 

થોડા દિવસો બાદ નવું વર્ષ શરૂ થવાનું છે. નવા વર્ષની શરૂઆત પહેલા કેન્દ્ર સરકારે જવાનોને તેમજ ગરીબ પરિવારને મોટી ભેટ આપી છે. વન રેન્ક વન પેન્શન યોજનાની વાત કરતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 1.7.2014 પછી નિવૃત્ત થયેલા સરુક્ષાકર્મીઓને ઓઆરઓપીનો લાભ આપવામાં આવશે. આ લાભ મેળવનાર લાભાર્થીઓની સંખ્યા 25,13.002 પર પહોંચી ગઈ છે. 



2023 સુધી ગરીબોને મફત રાશન આપવામાં આવશે 

ઉપરાંત ગરીબ પરિવારને લાભ અંગેની વાત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરી હતી. પીયુષ ગોયલે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત 81.3 કરોડ લોકોને આવનાર એક વર્ષ માટે મફત રાશન આપવામાં આવશે. આ યોજનાને કારણે સરકાર પર બે લાખ કરોડ રૂપિયાનો બોજો વધશે. ગરીબોને ચોખા ત્રણ રૂપિયે અપાશે, ઘઉં 2 રૂપિયામાં આપવામાં 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.