કેન્દ્ર સરકાર ગરીબ પરિવારને આપશે મફત અનાજ, સૈન્યબળોને માટે લાગુ કરાશે OROP


  • Published By :
  • Published Date : 2022-12-24 11:51:13

શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા લેવાયા નિર્ણયોથી સૈનિકોની ફાયદો થશે ઉપરાંત ગરીબોને પણ આ નિર્ણયને કારણે ફાયદો થવાનો છે. કેન્દ્ર સરકારે સૈન્યબળો માટે વન રેંક વન પેન્શન લાગુ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન અંતર્ગત 81.3 કરોડ ગરીબોને એક વર્ષ સુધી મફતમાં રાશન આપવાનો નિર્ણય કર્યો છે. 


જવાનોને મળશે લાભ 

થોડા દિવસો બાદ નવું વર્ષ શરૂ થવાનું છે. નવા વર્ષની શરૂઆત પહેલા કેન્દ્ર સરકારે જવાનોને તેમજ ગરીબ પરિવારને મોટી ભેટ આપી છે. વન રેન્ક વન પેન્શન યોજનાની વાત કરતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 1.7.2014 પછી નિવૃત્ત થયેલા સરુક્ષાકર્મીઓને ઓઆરઓપીનો લાભ આપવામાં આવશે. આ લાભ મેળવનાર લાભાર્થીઓની સંખ્યા 25,13.002 પર પહોંચી ગઈ છે. 



2023 સુધી ગરીબોને મફત રાશન આપવામાં આવશે 

ઉપરાંત ગરીબ પરિવારને લાભ અંગેની વાત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરી હતી. પીયુષ ગોયલે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત 81.3 કરોડ લોકોને આવનાર એક વર્ષ માટે મફત રાશન આપવામાં આવશે. આ યોજનાને કારણે સરકાર પર બે લાખ કરોડ રૂપિયાનો બોજો વધશે. ગરીબોને ચોખા ત્રણ રૂપિયે અપાશે, ઘઉં 2 રૂપિયામાં આપવામાં 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.