કેન્દ્ર સરકાર ગરીબ પરિવારને આપશે મફત અનાજ, સૈન્યબળોને માટે લાગુ કરાશે OROP


  • Published By :
  • Published Date : 2022-12-24 11:51:13

શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા લેવાયા નિર્ણયોથી સૈનિકોની ફાયદો થશે ઉપરાંત ગરીબોને પણ આ નિર્ણયને કારણે ફાયદો થવાનો છે. કેન્દ્ર સરકારે સૈન્યબળો માટે વન રેંક વન પેન્શન લાગુ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન અંતર્ગત 81.3 કરોડ ગરીબોને એક વર્ષ સુધી મફતમાં રાશન આપવાનો નિર્ણય કર્યો છે. 


જવાનોને મળશે લાભ 

થોડા દિવસો બાદ નવું વર્ષ શરૂ થવાનું છે. નવા વર્ષની શરૂઆત પહેલા કેન્દ્ર સરકારે જવાનોને તેમજ ગરીબ પરિવારને મોટી ભેટ આપી છે. વન રેન્ક વન પેન્શન યોજનાની વાત કરતા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 1.7.2014 પછી નિવૃત્ત થયેલા સરુક્ષાકર્મીઓને ઓઆરઓપીનો લાભ આપવામાં આવશે. આ લાભ મેળવનાર લાભાર્થીઓની સંખ્યા 25,13.002 પર પહોંચી ગઈ છે. 



2023 સુધી ગરીબોને મફત રાશન આપવામાં આવશે 

ઉપરાંત ગરીબ પરિવારને લાભ અંગેની વાત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરી હતી. પીયુષ ગોયલે કહ્યું કે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત 81.3 કરોડ લોકોને આવનાર એક વર્ષ માટે મફત રાશન આપવામાં આવશે. આ યોજનાને કારણે સરકાર પર બે લાખ કરોડ રૂપિયાનો બોજો વધશે. ગરીબોને ચોખા ત્રણ રૂપિયે અપાશે, ઘઉં 2 રૂપિયામાં આપવામાં 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.