નાની બચત યોજનાઓમાં પૈસા લગાવનારાઓને મોજ, સરકારે વ્યાજ દર વધાર્યા, જાણો નવા દર


  • Published By :
  • Published Date : 2023-06-30 19:24:40

નાની બચત યોજનાઓમાં પૈસા રોકનારાઓ માટે સારા સમાચાર છે. સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરમાં વધારો કર્યો છે. સરકારે વ્યાજદરમાં 0.30 ટકા સુધીનો વધારો કર્યો છે. સરકાર PPF, SSY, SCSS અને KVP જેવી નાની બચત યોજનાઓ પર દર ત્રણ મહિને વ્યાજ દરો નક્કી કરે છે. આ વખતે સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો નક્કી કર્યા છે. કેટલીક યોજનાઓ પર વ્યાજ દર 0.10 થી વધારીને 0.30 ટકા કરવામાં આવ્યા છે. હવે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ઘટીને 4.0 થી 8.2 ટકા થઈ ગયા છે. નાણા મંત્રાલયે શુક્રવારે સાંજે આ માહિતી આપી છે.


આ પોસ્ટ ઓફિસ સ્કીમના રેટ વધ્યા 


સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે પોસ્ટ ઓફિસની એક વર્ષની ટાઈમ ડિપોઝિટ પર વ્યાજ દર 6.8 ટકાથી વધારીને 6.9 ટકા કર્યો છે. 2 વર્ષની ટાઈમ ડિપોઝીટ પરનો દર 6.9 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, હવે તમને 5 વર્ષના પોસ્ટ ઓફિસ આરડી પર 6.2 ટકાના બદલે 6.5 ટકા વ્યાજ મળશે.


સુકન્યા સમૃદ્ધિ યોજનાનો 8% વ્યાજ દર યથાવત


સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દર જાળવી રાખ્યો છે. આ સ્કીમમાં તમને 8 ટકા વ્યાજ મળતું રહેશે.


PPF સહિતની અન્ય સ્કીમોના વ્યાજ દર પણ જૈસે થે


પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF વ્યાજ દર) પર વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. આ સ્કીમમાં તમને 7.1 ટકા વ્યાજ મળતું રહેશે. તે જ સમયે, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં 7.7 ટકા વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યો છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમના વ્યાજ દરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં 8.2 ટકા વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે, મંથલી ઈન્કમ એકાઉન્ટની સ્કીમ પર 7.4 ટકા વ્યાજ મળતું રહેશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.