નાની બચત યોજનાઓમાં પૈસા લગાવનારાઓને મોજ, સરકારે વ્યાજ દર વધાર્યા, જાણો નવા દર


  • Published By :
  • Published Date : 2023-06-30 19:24:40

નાની બચત યોજનાઓમાં પૈસા રોકનારાઓ માટે સારા સમાચાર છે. સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરમાં વધારો કર્યો છે. સરકારે વ્યાજદરમાં 0.30 ટકા સુધીનો વધારો કર્યો છે. સરકાર PPF, SSY, SCSS અને KVP જેવી નાની બચત યોજનાઓ પર દર ત્રણ મહિને વ્યાજ દરો નક્કી કરે છે. આ વખતે સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો નક્કી કર્યા છે. કેટલીક યોજનાઓ પર વ્યાજ દર 0.10 થી વધારીને 0.30 ટકા કરવામાં આવ્યા છે. હવે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ઘટીને 4.0 થી 8.2 ટકા થઈ ગયા છે. નાણા મંત્રાલયે શુક્રવારે સાંજે આ માહિતી આપી છે.


આ પોસ્ટ ઓફિસ સ્કીમના રેટ વધ્યા 


સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે પોસ્ટ ઓફિસની એક વર્ષની ટાઈમ ડિપોઝિટ પર વ્યાજ દર 6.8 ટકાથી વધારીને 6.9 ટકા કર્યો છે. 2 વર્ષની ટાઈમ ડિપોઝીટ પરનો દર 6.9 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, હવે તમને 5 વર્ષના પોસ્ટ ઓફિસ આરડી પર 6.2 ટકાના બદલે 6.5 ટકા વ્યાજ મળશે.


સુકન્યા સમૃદ્ધિ યોજનાનો 8% વ્યાજ દર યથાવત


સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દર જાળવી રાખ્યો છે. આ સ્કીમમાં તમને 8 ટકા વ્યાજ મળતું રહેશે.


PPF સહિતની અન્ય સ્કીમોના વ્યાજ દર પણ જૈસે થે


પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF વ્યાજ દર) પર વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. આ સ્કીમમાં તમને 7.1 ટકા વ્યાજ મળતું રહેશે. તે જ સમયે, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં 7.7 ટકા વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યો છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમના વ્યાજ દરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં 8.2 ટકા વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે, મંથલી ઈન્કમ એકાઉન્ટની સ્કીમ પર 7.4 ટકા વ્યાજ મળતું રહેશે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.