નાની બચત યોજનાઓમાં પૈસા લગાવનારાઓને મોજ, સરકારે વ્યાજ દર વધાર્યા, જાણો નવા દર


  • Published By :
  • Published Date : 2023-06-30 19:24:40

નાની બચત યોજનાઓમાં પૈસા રોકનારાઓ માટે સારા સમાચાર છે. સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરમાં વધારો કર્યો છે. સરકારે વ્યાજદરમાં 0.30 ટકા સુધીનો વધારો કર્યો છે. સરકાર PPF, SSY, SCSS અને KVP જેવી નાની બચત યોજનાઓ પર દર ત્રણ મહિને વ્યાજ દરો નક્કી કરે છે. આ વખતે સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો નક્કી કર્યા છે. કેટલીક યોજનાઓ પર વ્યાજ દર 0.10 થી વધારીને 0.30 ટકા કરવામાં આવ્યા છે. હવે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ઘટીને 4.0 થી 8.2 ટકા થઈ ગયા છે. નાણા મંત્રાલયે શુક્રવારે સાંજે આ માહિતી આપી છે.


આ પોસ્ટ ઓફિસ સ્કીમના રેટ વધ્યા 


સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે પોસ્ટ ઓફિસની એક વર્ષની ટાઈમ ડિપોઝિટ પર વ્યાજ દર 6.8 ટકાથી વધારીને 6.9 ટકા કર્યો છે. 2 વર્ષની ટાઈમ ડિપોઝીટ પરનો દર 6.9 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, હવે તમને 5 વર્ષના પોસ્ટ ઓફિસ આરડી પર 6.2 ટકાના બદલે 6.5 ટકા વ્યાજ મળશે.


સુકન્યા સમૃદ્ધિ યોજનાનો 8% વ્યાજ દર યથાવત


સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દર જાળવી રાખ્યો છે. આ સ્કીમમાં તમને 8 ટકા વ્યાજ મળતું રહેશે.


PPF સહિતની અન્ય સ્કીમોના વ્યાજ દર પણ જૈસે થે


પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF વ્યાજ દર) પર વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. આ સ્કીમમાં તમને 7.1 ટકા વ્યાજ મળતું રહેશે. તે જ સમયે, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં 7.7 ટકા વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યો છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમના વ્યાજ દરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં 8.2 ટકા વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે, મંથલી ઈન્કમ એકાઉન્ટની સ્કીમ પર 7.4 ટકા વ્યાજ મળતું રહેશે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.