નાની બચત યોજનાઓમાં પૈસા લગાવનારાઓને મોજ, સરકારે વ્યાજ દર વધાર્યા, જાણો નવા દર


  • Published By :
  • Published Date : 2023-06-30 19:24:40

નાની બચત યોજનાઓમાં પૈસા રોકનારાઓ માટે સારા સમાચાર છે. સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરમાં વધારો કર્યો છે. સરકારે વ્યાજદરમાં 0.30 ટકા સુધીનો વધારો કર્યો છે. સરકાર PPF, SSY, SCSS અને KVP જેવી નાની બચત યોજનાઓ પર દર ત્રણ મહિને વ્યાજ દરો નક્કી કરે છે. આ વખતે સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો નક્કી કર્યા છે. કેટલીક યોજનાઓ પર વ્યાજ દર 0.10 થી વધારીને 0.30 ટકા કરવામાં આવ્યા છે. હવે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ઘટીને 4.0 થી 8.2 ટકા થઈ ગયા છે. નાણા મંત્રાલયે શુક્રવારે સાંજે આ માહિતી આપી છે.


આ પોસ્ટ ઓફિસ સ્કીમના રેટ વધ્યા 


સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે પોસ્ટ ઓફિસની એક વર્ષની ટાઈમ ડિપોઝિટ પર વ્યાજ દર 6.8 ટકાથી વધારીને 6.9 ટકા કર્યો છે. 2 વર્ષની ટાઈમ ડિપોઝીટ પરનો દર 6.9 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, હવે તમને 5 વર્ષના પોસ્ટ ઓફિસ આરડી પર 6.2 ટકાના બદલે 6.5 ટકા વ્યાજ મળશે.


સુકન્યા સમૃદ્ધિ યોજનાનો 8% વ્યાજ દર યથાવત


સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દર જાળવી રાખ્યો છે. આ સ્કીમમાં તમને 8 ટકા વ્યાજ મળતું રહેશે.


PPF સહિતની અન્ય સ્કીમોના વ્યાજ દર પણ જૈસે થે


પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF વ્યાજ દર) પર વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. આ સ્કીમમાં તમને 7.1 ટકા વ્યાજ મળતું રહેશે. તે જ સમયે, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં 7.7 ટકા વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યો છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમના વ્યાજ દરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં 8.2 ટકા વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે, મંથલી ઈન્કમ એકાઉન્ટની સ્કીમ પર 7.4 ટકા વ્યાજ મળતું રહેશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.