નાની બચત યોજનાઓમાં પૈસા લગાવનારાઓને મોજ, સરકારે વ્યાજ દર વધાર્યા, જાણો નવા દર


  • Published By :
  • Published Date : 2023-06-30 19:24:40

નાની બચત યોજનાઓમાં પૈસા રોકનારાઓ માટે સારા સમાચાર છે. સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમના વ્યાજ દરમાં વધારો કર્યો છે. સરકારે વ્યાજદરમાં 0.30 ટકા સુધીનો વધારો કર્યો છે. સરકાર PPF, SSY, SCSS અને KVP જેવી નાની બચત યોજનાઓ પર દર ત્રણ મહિને વ્યાજ દરો નક્કી કરે છે. આ વખતે સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો નક્કી કર્યા છે. કેટલીક યોજનાઓ પર વ્યાજ દર 0.10 થી વધારીને 0.30 ટકા કરવામાં આવ્યા છે. હવે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ઘટીને 4.0 થી 8.2 ટકા થઈ ગયા છે. નાણા મંત્રાલયે શુક્રવારે સાંજે આ માહિતી આપી છે.


આ પોસ્ટ ઓફિસ સ્કીમના રેટ વધ્યા 


સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે પોસ્ટ ઓફિસની એક વર્ષની ટાઈમ ડિપોઝિટ પર વ્યાજ દર 6.8 ટકાથી વધારીને 6.9 ટકા કર્યો છે. 2 વર્ષની ટાઈમ ડિપોઝીટ પરનો દર 6.9 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે. તે જ સમયે, હવે તમને 5 વર્ષના પોસ્ટ ઓફિસ આરડી પર 6.2 ટકાના બદલે 6.5 ટકા વ્યાજ મળશે.


સુકન્યા સમૃદ્ધિ યોજનાનો 8% વ્યાજ દર યથાવત


સરકારે જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દર જાળવી રાખ્યો છે. આ સ્કીમમાં તમને 8 ટકા વ્યાજ મળતું રહેશે.


PPF સહિતની અન્ય સ્કીમોના વ્યાજ દર પણ જૈસે થે


પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ (PPF વ્યાજ દર) પર વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. આ સ્કીમમાં તમને 7.1 ટકા વ્યાજ મળતું રહેશે. તે જ સમયે, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં 7.7 ટકા વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યો છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમના વ્યાજ દરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં 8.2 ટકા વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે. જ્યારે, મંથલી ઈન્કમ એકાઉન્ટની સ્કીમ પર 7.4 ટકા વ્યાજ મળતું રહેશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.