કેન્દ્ર સરકારે CBIને Oxfam ઈન્ડિયાની તપાસ કરવાનો આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-06 20:49:19

કેન્દ્રએ CBIને Oxfam ની તપાસ કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે ફોરેન ફંડ એક્ટના ઉલ્લંઘન સાથે જોડાયેલા આરોપોના મામલામાં તપાસ એજન્સીને આ નિર્દેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે Oxfamની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપ્યા બાદ Oxfam ભારતની મુશ્કેલી વધી ગઈ છે. આ તપાસ ઈન્ડિયન ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ 2010 (FCRA, 2010)ના ઉલ્લંઘન સાથે સંબંધિત મામલામાં કરવામાં આવશે. Oxfam India પર એવા આરોપો છે કે તેણે વિદેશી યોગદાન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ, 2020 અમલમાં આવ્યા પછી પણ વિવિધ સંસ્થાઓને વિદેશી યોગદાનનું ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખ્યું હતું. આ કાયદા હેઠળ આવા ટ્રાન્સફર પર પ્રતિબંધ છે.


IT સર્વે દરમિયાન અનેક ખુલાસા થયા


 Oxfam India "સામાજિક" પ્રવૃત્તિઓ માટે વિદેશી યોગદાન (રેગ્યુલેશન) એક્ટ 2010 (FCRA, 2010) હેઠળ નોંધાયેલું હતું અને તેની નોંધણી પ્રમાણપત્ર 31 ડિસેમ્બર, 2021 સુધી માન્ય હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા હાથ ધરવામાં આવેલા IT સર્વે દરમિયાન મળેલા એક ઈમેલથી જાણવા મળ્યું કે Oxfam ઈન્ડિયા FCRA- તેના અન્ય રજીસ્ટર્ડ યુનિટને પૈસા મોકલીને FCRA, 2010ની જોગવાઈઓને બાયપાસ કરવાની યોજના બનાવી રહ્યું હતું. તપાસ દરમિયાન એ હકીકત પણ બહાર આવી હતી કે Oxfam ઈન્ડિયા પોતાના ફાયદા માટે અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા રાખવાની યોજના બનાવી રહ્યું હતું. વળી Oxfam ઈન્ડિયાને વિદેશી સંસ્થાઓ પાસેથી પણ ભંડોળ મળતું હતું. જો કે, આ મામલે  Oxfam તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


NGO સામે સરકારનો સપાટો


Oxfam Indiaએ બીજી એનજીઓ છે જેની સામે ગૃહ મંત્રાલયે FCRAના કથિત ઉલ્લંઘન માટે એક મહિનાની અંદર CBI તપાસની ભલામણ કરી છે. અગાઉ 20 માર્ચે ગૃહ મંત્રાલયે લેખક અને માનવાધિકાર કાર્યકર્તા હર્ષ મંદર દ્વારા સ્થાપિત NGO અમન બિરાદરી સામે CBI તપાસની ભલામણ કરી હતી. જાન્યુઆરી 2022માં Oxfam ઇન્ડિયાનું FCRA લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, જેના પગલે NGOએ ગૃહ મંત્રાલયમાં સમીક્ષા અરજી દાખલ કરી હતી.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.