કેન્દ્ર સરકારે CBIને Oxfam ઈન્ડિયાની તપાસ કરવાનો આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-06 20:49:19

કેન્દ્રએ CBIને Oxfam ની તપાસ કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે ફોરેન ફંડ એક્ટના ઉલ્લંઘન સાથે જોડાયેલા આરોપોના મામલામાં તપાસ એજન્સીને આ નિર્દેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે Oxfamની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપ્યા બાદ Oxfam ભારતની મુશ્કેલી વધી ગઈ છે. આ તપાસ ઈન્ડિયન ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ 2010 (FCRA, 2010)ના ઉલ્લંઘન સાથે સંબંધિત મામલામાં કરવામાં આવશે. Oxfam India પર એવા આરોપો છે કે તેણે વિદેશી યોગદાન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ, 2020 અમલમાં આવ્યા પછી પણ વિવિધ સંસ્થાઓને વિદેશી યોગદાનનું ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખ્યું હતું. આ કાયદા હેઠળ આવા ટ્રાન્સફર પર પ્રતિબંધ છે.


IT સર્વે દરમિયાન અનેક ખુલાસા થયા


 Oxfam India "સામાજિક" પ્રવૃત્તિઓ માટે વિદેશી યોગદાન (રેગ્યુલેશન) એક્ટ 2010 (FCRA, 2010) હેઠળ નોંધાયેલું હતું અને તેની નોંધણી પ્રમાણપત્ર 31 ડિસેમ્બર, 2021 સુધી માન્ય હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા હાથ ધરવામાં આવેલા IT સર્વે દરમિયાન મળેલા એક ઈમેલથી જાણવા મળ્યું કે Oxfam ઈન્ડિયા FCRA- તેના અન્ય રજીસ્ટર્ડ યુનિટને પૈસા મોકલીને FCRA, 2010ની જોગવાઈઓને બાયપાસ કરવાની યોજના બનાવી રહ્યું હતું. તપાસ દરમિયાન એ હકીકત પણ બહાર આવી હતી કે Oxfam ઈન્ડિયા પોતાના ફાયદા માટે અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા રાખવાની યોજના બનાવી રહ્યું હતું. વળી Oxfam ઈન્ડિયાને વિદેશી સંસ્થાઓ પાસેથી પણ ભંડોળ મળતું હતું. જો કે, આ મામલે  Oxfam તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


NGO સામે સરકારનો સપાટો


Oxfam Indiaએ બીજી એનજીઓ છે જેની સામે ગૃહ મંત્રાલયે FCRAના કથિત ઉલ્લંઘન માટે એક મહિનાની અંદર CBI તપાસની ભલામણ કરી છે. અગાઉ 20 માર્ચે ગૃહ મંત્રાલયે લેખક અને માનવાધિકાર કાર્યકર્તા હર્ષ મંદર દ્વારા સ્થાપિત NGO અમન બિરાદરી સામે CBI તપાસની ભલામણ કરી હતી. જાન્યુઆરી 2022માં Oxfam ઇન્ડિયાનું FCRA લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, જેના પગલે NGOએ ગૃહ મંત્રાલયમાં સમીક્ષા અરજી દાખલ કરી હતી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.