કેન્દ્ર સરકારે CBIને Oxfam ઈન્ડિયાની તપાસ કરવાનો આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-06 20:49:19

કેન્દ્રએ CBIને Oxfam ની તપાસ કરવા જણાવ્યું છે. કેન્દ્ર સરકારે ફોરેન ફંડ એક્ટના ઉલ્લંઘન સાથે જોડાયેલા આરોપોના મામલામાં તપાસ એજન્સીને આ નિર્દેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે Oxfamની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપ્યા બાદ Oxfam ભારતની મુશ્કેલી વધી ગઈ છે. આ તપાસ ઈન્ડિયન ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ 2010 (FCRA, 2010)ના ઉલ્લંઘન સાથે સંબંધિત મામલામાં કરવામાં આવશે. Oxfam India પર એવા આરોપો છે કે તેણે વિદેશી યોગદાન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એક્ટ, 2020 અમલમાં આવ્યા પછી પણ વિવિધ સંસ્થાઓને વિદેશી યોગદાનનું ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખ્યું હતું. આ કાયદા હેઠળ આવા ટ્રાન્સફર પર પ્રતિબંધ છે.


IT સર્વે દરમિયાન અનેક ખુલાસા થયા


 Oxfam India "સામાજિક" પ્રવૃત્તિઓ માટે વિદેશી યોગદાન (રેગ્યુલેશન) એક્ટ 2010 (FCRA, 2010) હેઠળ નોંધાયેલું હતું અને તેની નોંધણી પ્રમાણપત્ર 31 ડિસેમ્બર, 2021 સુધી માન્ય હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા હાથ ધરવામાં આવેલા IT સર્વે દરમિયાન મળેલા એક ઈમેલથી જાણવા મળ્યું કે Oxfam ઈન્ડિયા FCRA- તેના અન્ય રજીસ્ટર્ડ યુનિટને પૈસા મોકલીને FCRA, 2010ની જોગવાઈઓને બાયપાસ કરવાની યોજના બનાવી રહ્યું હતું. તપાસ દરમિયાન એ હકીકત પણ બહાર આવી હતી કે Oxfam ઈન્ડિયા પોતાના ફાયદા માટે અલગ-અલગ બેંક ખાતાઓમાં પૈસા રાખવાની યોજના બનાવી રહ્યું હતું. વળી Oxfam ઈન્ડિયાને વિદેશી સંસ્થાઓ પાસેથી પણ ભંડોળ મળતું હતું. જો કે, આ મામલે  Oxfam તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


NGO સામે સરકારનો સપાટો


Oxfam Indiaએ બીજી એનજીઓ છે જેની સામે ગૃહ મંત્રાલયે FCRAના કથિત ઉલ્લંઘન માટે એક મહિનાની અંદર CBI તપાસની ભલામણ કરી છે. અગાઉ 20 માર્ચે ગૃહ મંત્રાલયે લેખક અને માનવાધિકાર કાર્યકર્તા હર્ષ મંદર દ્વારા સ્થાપિત NGO અમન બિરાદરી સામે CBI તપાસની ભલામણ કરી હતી. જાન્યુઆરી 2022માં Oxfam ઇન્ડિયાનું FCRA લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, જેના પગલે NGOએ ગૃહ મંત્રાલયમાં સમીક્ષા અરજી દાખલ કરી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.