ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ૨૦ મી માર્ચથી શરૂ જયારે ૩૦મી અપ્રિલથી ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ થશે.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-21 18:41:41

ઉત્તરાખંડમાં ૩૦ મી અપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે ૨૦ મી માર્ચથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થી છે. પ્રથમ દિવસેજ ૧.૬૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન  કરાવ્યું છે. 

ગત વર્ષે ૪૦ લાખ ભક્તોએ રજીસ્ટ્રેશન કર્યા હતા જેમાંથી ૪૦ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. આ વર્ષે મહાકુંભમાં ના સફળ આયોજન બાદ ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે તડામાર તૈયારી શરૂ કરી છે. 

૩૦મી અપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી જયારે ૨ જી મે ના રોજ કેદારનાથ અને ૪ થી મે ના બદ્રીનાથના કપાટ ખૂલશે. હેમકુંડ સાહિબ યાત્રા ૨૫ મેથી શરૂ થશે.. 


હાલ ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ છે માટે registrationandtouristcare.uk.gov.in પરથી કરી શકાશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમારો મોબાઈલ નંબર અને આધારકાર્ડ કનેક્ટ હોવું જોઈએ. નોંધણી પોર્ટલ પર આધાર નંબર રજીસ્ટર કરવાની સાથેજ જે તે વ્યક્તિની તમામ વિગતો આવી જશે. 

ઓફલાઇન રજીસ્ટ્રેશન ૩૦ મી અપ્રિલથી શરૂ થશે. તેના માટે યાત્રાળુઓએ ઋષિકેશ ,હરિદ્વાર કે દહેરાદૂન રૂબરૂ જવું પડશે. આધાર અને અન્ય ઓળખપત્ર સાથે રાખવાના રહશે. સુવિધા માટે ૪ ૪ કાઉન્ટર બનવામાં આવ્યા છે. ધસારો વધશે તો વધુ કાઉન્ટર ઊભા કરાશે. 

કોઈપણ યાત્રાળુઓ ઉપરોક્ત જગ્યાએ થી રજીસ્ટ્રેશન બાદ યાત્રાની તારીખ મેળવી શકશે. જ્યાં સુધી યાત્રાળુઓને તારીખ ના મળે ત્યાં સુધી રહેવા અને ભોજન વ્યવસ્થા સ્વ કરવાની રહશે. રજીસ્ટર વિના યાત્રા કરનાર પર પગલાં લેવાશે માટે પરવાનગી વિના યાત્રા કરવાની મનાઈ છે. યાત્રા દરમિયાન દરેક યાત્રાળુઓએ અસ્થમા,બલ્ડપ્રેશર,સુગર -ડાયાબિટીસ કે હાર્ટ -ફેફસા સંબધિત બીમારી હોય તો તે જાણવું ફરજિયાત છે. યાત્રા ઓછામાં ઓછી ૯ દિવસ ને વધું વધુ ૧૫ દિવસમાં પૂર્ણ કરવાની રહશે. ૯ દિવસથી ઓછા સમય માટેની યાત્રા જો કોઈ ટુર ઓપરેટર કરાવે તો ચેકપોસ્ટ પર ફરિયાદ કરી શકાશે.  અનાગત વાહન લઈને નીકળ્યા હોય તો વાહન નંબર અને ડ્રાઇવરના દસ્તાવેજ સાથે રાખવા અને જયાં માંગે ત્યાં રજૂ કરવા પડશે. 

   કેદારનાથ માટે હેલીકોપ્ટર સર્વિસ માટે રજીસ્ટ્રેશન heliyatra.irctc.co.in પરથી કરી શકાશે. ગત વર્ષે એક ત્રિપણું ભાડું ૪ હજાર હતું આ વખતે સરકાર હજી નક્કી કરશે..   






ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી