ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ૨૦ મી માર્ચથી શરૂ જયારે ૩૦મી અપ્રિલથી ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ થશે.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-21 18:41:41

ઉત્તરાખંડમાં ૩૦ મી અપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે ૨૦ મી માર્ચથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થી છે. પ્રથમ દિવસેજ ૧.૬૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન  કરાવ્યું છે. 

ગત વર્ષે ૪૦ લાખ ભક્તોએ રજીસ્ટ્રેશન કર્યા હતા જેમાંથી ૪૦ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. આ વર્ષે મહાકુંભમાં ના સફળ આયોજન બાદ ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે તડામાર તૈયારી શરૂ કરી છે. 

૩૦મી અપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી જયારે ૨ જી મે ના રોજ કેદારનાથ અને ૪ થી મે ના બદ્રીનાથના કપાટ ખૂલશે. હેમકુંડ સાહિબ યાત્રા ૨૫ મેથી શરૂ થશે.. 


હાલ ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ છે માટે registrationandtouristcare.uk.gov.in પરથી કરી શકાશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમારો મોબાઈલ નંબર અને આધારકાર્ડ કનેક્ટ હોવું જોઈએ. નોંધણી પોર્ટલ પર આધાર નંબર રજીસ્ટર કરવાની સાથેજ જે તે વ્યક્તિની તમામ વિગતો આવી જશે. 

ઓફલાઇન રજીસ્ટ્રેશન ૩૦ મી અપ્રિલથી શરૂ થશે. તેના માટે યાત્રાળુઓએ ઋષિકેશ ,હરિદ્વાર કે દહેરાદૂન રૂબરૂ જવું પડશે. આધાર અને અન્ય ઓળખપત્ર સાથે રાખવાના રહશે. સુવિધા માટે ૪ ૪ કાઉન્ટર બનવામાં આવ્યા છે. ધસારો વધશે તો વધુ કાઉન્ટર ઊભા કરાશે. 

કોઈપણ યાત્રાળુઓ ઉપરોક્ત જગ્યાએ થી રજીસ્ટ્રેશન બાદ યાત્રાની તારીખ મેળવી શકશે. જ્યાં સુધી યાત્રાળુઓને તારીખ ના મળે ત્યાં સુધી રહેવા અને ભોજન વ્યવસ્થા સ્વ કરવાની રહશે. રજીસ્ટર વિના યાત્રા કરનાર પર પગલાં લેવાશે માટે પરવાનગી વિના યાત્રા કરવાની મનાઈ છે. યાત્રા દરમિયાન દરેક યાત્રાળુઓએ અસ્થમા,બલ્ડપ્રેશર,સુગર -ડાયાબિટીસ કે હાર્ટ -ફેફસા સંબધિત બીમારી હોય તો તે જાણવું ફરજિયાત છે. યાત્રા ઓછામાં ઓછી ૯ દિવસ ને વધું વધુ ૧૫ દિવસમાં પૂર્ણ કરવાની રહશે. ૯ દિવસથી ઓછા સમય માટેની યાત્રા જો કોઈ ટુર ઓપરેટર કરાવે તો ચેકપોસ્ટ પર ફરિયાદ કરી શકાશે.  અનાગત વાહન લઈને નીકળ્યા હોય તો વાહન નંબર અને ડ્રાઇવરના દસ્તાવેજ સાથે રાખવા અને જયાં માંગે ત્યાં રજૂ કરવા પડશે. 

   કેદારનાથ માટે હેલીકોપ્ટર સર્વિસ માટે રજીસ્ટ્રેશન heliyatra.irctc.co.in પરથી કરી શકાશે. ગત વર્ષે એક ત્રિપણું ભાડું ૪ હજાર હતું આ વખતે સરકાર હજી નક્કી કરશે..   






ઇન્દોરના રાજા રઘુવંશી કેસમાં આરોપીઓનું કબુલનામું સામે આવ્યું છે . ચારેય આરોપીઓએ સોનમ રઘુવંશીને જ માસ્ટમાઈન્ડ ગણાવી છે કેમ કે , સોનમ રાજા રઘુવંશી સાથે લગન કરવા નહોતી માંગતી . આ ખુબ ચોંકાવનારો ખુલાસો છે કેમ કે , સોનમ દ્વારા એવું કેહવામાં આવ્યું હતું કે , તેને ડ્રગ આપીને ગાઝીપુર લાવવામાં આવી હતી . સાથે જ આપણે જાણીશું કે રાજા રઘુવંશીના કેસમાં પોલીસ પાસે ક્યા મહત્વના પુરાવા છે?

કોઈ પણ કંપનીમાં જેમ એક ફાઉન્ડરની સાથે એક કો-ફાઉન્ડર હોય છે તેમ અમેરિકા માટે એવું કહેવાતું હતું કે , પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એક કો પ્રેસિડન્ટ છે જે છે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક . પરંતુ જ્યારથી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારમાંથી રાજીનામુ આપી દીધું ત્યારથી જ બેઉ વચ્ચેના સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. એક બાજુ પ્લેટફોર્મ એક્સ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક વચ્ચેની અસેહમતીઓ બહાર આવી ગઈ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્કના તણાવની અસર અમેરિકાની સિલિકોન વેલી પર પડવા જઈ રહી છે.

ઈંદોરના રાજા રઘુવંશીના હત્યાના કેસમાં હવે નવા ખુલાસા સામે આવ્યા છે . ઈંદોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી જયારે મેઘાલયની રાજધાની શિલોન્ગ ખાતે તેમની પત્ની સોનમ સાથે હનીમૂન મનાવવા ગયા ત્યારે પત્ની સોનમે જ તેમની હત્યા કરાવડાવી હતી . આ બાબતે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા અને મેઘાલયના ડીજીપીની પ્રતિક્રિયા સામે આવી છે.

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .