ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ૨૦ મી માર્ચથી શરૂ જયારે ૩૦મી અપ્રિલથી ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ થશે.


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-21 18:41:41

ઉત્તરાખંડમાં ૩૦ મી અપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે ૨૦ મી માર્ચથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થી છે. પ્રથમ દિવસેજ ૧.૬૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન  કરાવ્યું છે. 

ગત વર્ષે ૪૦ લાખ ભક્તોએ રજીસ્ટ્રેશન કર્યા હતા જેમાંથી ૪૦ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. આ વર્ષે મહાકુંભમાં ના સફળ આયોજન બાદ ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે તડામાર તૈયારી શરૂ કરી છે. 

૩૦મી અપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી જયારે ૨ જી મે ના રોજ કેદારનાથ અને ૪ થી મે ના બદ્રીનાથના કપાટ ખૂલશે. હેમકુંડ સાહિબ યાત્રા ૨૫ મેથી શરૂ થશે.. 


હાલ ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ છે માટે registrationandtouristcare.uk.gov.in પરથી કરી શકાશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમારો મોબાઈલ નંબર અને આધારકાર્ડ કનેક્ટ હોવું જોઈએ. નોંધણી પોર્ટલ પર આધાર નંબર રજીસ્ટર કરવાની સાથેજ જે તે વ્યક્તિની તમામ વિગતો આવી જશે. 

ઓફલાઇન રજીસ્ટ્રેશન ૩૦ મી અપ્રિલથી શરૂ થશે. તેના માટે યાત્રાળુઓએ ઋષિકેશ ,હરિદ્વાર કે દહેરાદૂન રૂબરૂ જવું પડશે. આધાર અને અન્ય ઓળખપત્ર સાથે રાખવાના રહશે. સુવિધા માટે ૪ ૪ કાઉન્ટર બનવામાં આવ્યા છે. ધસારો વધશે તો વધુ કાઉન્ટર ઊભા કરાશે. 

કોઈપણ યાત્રાળુઓ ઉપરોક્ત જગ્યાએ થી રજીસ્ટ્રેશન બાદ યાત્રાની તારીખ મેળવી શકશે. જ્યાં સુધી યાત્રાળુઓને તારીખ ના મળે ત્યાં સુધી રહેવા અને ભોજન વ્યવસ્થા સ્વ કરવાની રહશે. રજીસ્ટર વિના યાત્રા કરનાર પર પગલાં લેવાશે માટે પરવાનગી વિના યાત્રા કરવાની મનાઈ છે. યાત્રા દરમિયાન દરેક યાત્રાળુઓએ અસ્થમા,બલ્ડપ્રેશર,સુગર -ડાયાબિટીસ કે હાર્ટ -ફેફસા સંબધિત બીમારી હોય તો તે જાણવું ફરજિયાત છે. યાત્રા ઓછામાં ઓછી ૯ દિવસ ને વધું વધુ ૧૫ દિવસમાં પૂર્ણ કરવાની રહશે. ૯ દિવસથી ઓછા સમય માટેની યાત્રા જો કોઈ ટુર ઓપરેટર કરાવે તો ચેકપોસ્ટ પર ફરિયાદ કરી શકાશે.  અનાગત વાહન લઈને નીકળ્યા હોય તો વાહન નંબર અને ડ્રાઇવરના દસ્તાવેજ સાથે રાખવા અને જયાં માંગે ત્યાં રજૂ કરવા પડશે. 

   કેદારનાથ માટે હેલીકોપ્ટર સર્વિસ માટે રજીસ્ટ્રેશન heliyatra.irctc.co.in પરથી કરી શકાશે. ગત વર્ષે એક ત્રિપણું ભાડું ૪ હજાર હતું આ વખતે સરકાર હજી નક્કી કરશે..   






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.