મધ્યપ્રદેશની ચૂંટણી જીતવી ભાજપ માટે પડકાર? C Voter Surveyએ વધારી ભાજપની ચિંતા! જાણો સર્વે અંગે શું કહ્યું દેવાંશી જોષીએ


  • Published By :
  • Published Date : 2023-06-30 10:35:06

આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ જીતી પરંતુ સરકાર ભાજપની છે. શિવરાજસિંહ ચૌહાણ હાલ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે કારણ કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કર્યો હતો. ત્રણ રાજ્યો જ્યાં ચૂંટણી યોજાવાની છે તેમાંથી ભાજપ પાસે એક જ રાજ્ય છે. અને જો એ પણ ન રહ્યું તો જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી તે રાજ્યમાં મધ્યપ્રદેશનો સમાવેશ પણ થઈ જશે.   

ગુજરાતમાં રહી દેશની પરિસ્થિતિ અંગે વાત કરવી અઘરી છે

કર્ણાટકમાં કોંગ્રેસની જોરદાર જીત થઈ છે. કર્ણાટકમાં ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસમાં તેમજ તેના નેતાઓમાં અલગ પ્રકારનો કોન્ફીડન્સ જોવા મળી રહ્યો છે. ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ જમીન આસમાન એક કરવા જાણે તૈયાર થઈ હોય તેવું લાગી રહ્યું છે. જોરશોરથી પ્રચાર કરવામાં  આવી રહ્યો છે. 2024માં યોજાનારી ચૂંટણીની વાત કરીએ તો આપણને એવું લાગે કે ચૂંટણી એક તરફી રહેવાની છે. ગુજરાતમાં રહી ગુજરાતના દ્રષ્ટિકોણથી વિચારીએ તો પરંતુ બીજા રાજ્યનો પરિસ્થિતિ કંઈક અલગ છે.

સરકાર અને સી.આર.પાટીલ વચ્ચેનો વિવાદ અમિત શાહ સુધી પહોંચ્યો, બંનેને  પેટાચૂંટણીમાં લાગી જવા સૂચના આપી | amit shah instruct cr paatil and bjp led  gujarat govt to active in 8 assembly seat bypoll - Divya Bhaskar

અમિત શાહ અને સી.આર.પાટીલ કરે છે અલગ વાત 

ગુજરાતમાં રહી બીજેપી જીતશે તેવી વાત કરવી સહેલી છે પરંતુ અનેક એવા રાજ્યો છે જ્યાં કોંગ્રેસનો પ્રભાવ દેખાય છે. આ જ ચૂંટણીને જો બીજા રાજ્યોના દ્રષ્ટિકોણથી જોઈશું તો ખબર પડશે કે એ રસ્તો એટલો સરળ નથી જે આપણને અહીંયા રહીને દેખાય છે. જ્યારે મંચ પરથી સી.આર.પાટીલ કહે છે કે આ વખતે 404 સીટ આવશે તો તે ગુજરાતના દ્રષ્ટિકોણથી જોવે છે. પરંતુ જ્યારે  અમિત શાહ 300 સીટની વાત કરે છે તે દર્શાવે છે કે ગુજરાતની પરિસ્થિતિ અલગ છે જ્યારે દેશની પરિસ્થિતિ અલગ છે. 


મધ્યપ્રદેશને લઈ સી-સર્વેનો રિપોર્ટ આવ્યો સામે 

મધ્યપ્રદેશ માટે સી સર્વેનો રિપોર્ટ સામે આવ્યો છે જે ખૂબ રસપ્રદ છે. સી વોટર પ્રમાણે ભાજપને 106-118 જેટલી સીટ મળી શકે છે, કોંગ્રેસને 108-120 સીટ મળવાનું અનુમાન સી વોટર દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે બહુજન સમાજ પાર્ટીને 0-4 સીટ મળવાનું અનુમાન છે જ્યારે અન્યને 0-4 સીટ મળી શકે છે તેવું સી વોટરનો સર્વે કહે છે. તે સિવાય જ્યારે મુખ્યમંત્રી માટે વોટિંગ કરવામાં આવ્યું ત્યારે શિવરાજસિંહ ચૌહાણને 34 ટકા, કમલનાથને 36, સિંધિયાને 12 ટકા, દિગ્વિજયસિંહને 1 ટકા વોટ મળ્યા છે. 



પીએમ મોદી છે લોકોની પહેલી પસંદગી 

જ્યારે વડાપ્રધાનને લઈ લોકોની પસંદગી પૂછવામાં  આવી ત્યારે નરેન્દ્ર મોદી પહેલી પસંદગી હતી પરંતુ રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં પણ વધારો જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદીને 57 ટકા, રાહુલ ગાંધીને 18 ટકા, યોગીને 8 ટકા, અરવિંદ કેજરીવાલે 3 ટકા, તેમજ અન્યને 14 ટકા મળ્યા હતા. ચૂંટણીમાં ધ્યાનમાં રહેવામાં આવેલા મુદ્દાઓની વાત કરીએ તો બેરોજગારી, મોંઘવારી, ભષ્ટાચાર, સ્થાનિક મુદ્દાઓ સહિતના અનેક મુદ્દાઓ છે જે લોકોએ ધ્યાનમાં લીધા છે. કોંગ્રેસ માટે હાલ તો સારી પરિસ્થિતિ દેખાઈ રહી છે પરંતુ આ તો કોંગ્રે છે. કોઈ નેતા એવું નિવેદન આપી દે તેને કારણે કોંગ્રેસને નુકસાન પહોંચી શકે છે.    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.