લોકોને સાંભળવાની શક્તિમાં થઈ રહ્યો છે ઘટાડો, રિસર્ચમાં થયા અનેક ખુલાસા


  • Published By :
  • Published Date : 2022-11-18 19:24:27

હાલની આ દુનિયામાં દરેક લોકો મોબાઈલ સાથે નજરે પડતા હોય છે. મોબાઈલ ઉપરાંત યુવાનો હેડફોન અને ઈયરબડનો ઉપયોગ કરતા હોય છે. હેડફોનનો ઉપયોગ કરી યંગ જનરેશન લાઉડ મ્યુઝિક સાંભળતા હોય છે. પરંતુ બીએમજી ગ્લોબલ હેલ્થ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે એક અબજથી વધુ યુવાનોને સાંભળવાની ક્ષમતા ઘટી રહી છે. 

This Is What People Think of You When You Wear Headphones at Work  (According to an 800-Person Study) | Inc.com

વિશ્વભરમાં અનેક મિલીયન લોકો થઈ રહ્યા છે બહેરાશનો શિકાર 

આપણે મુખ્યત્વે ટ્રાવેલિંગ દરમિયાન હેડફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આ હેડફોનને કારણે સાંભળવાની ક્ષમતા ધીરે ધીરે ઘટી રહી છે. યુ.એસની મેડિકલ યુનિવર્સિટીએ આ રિસર્ચ કર્યુ હતું. WHOના અંદાજ પ્રમાણે વિશ્વભરમાં હાલ 430 મિલીયનથી વધુ લોકોને ઓછુ સાંભળવાની બીમારી છે. 

Cartoon man in headphones stock vector. Illustration of male - 61238186

હાઈ-વોલ્યુમમાં યુવાનો સાંભળે છે મ્યુઝિક  

આનો અભ્યાસ કરનાર સંશોધકોના જણાવ્યા અનુસાર સરકાર, ઈન્ડસ્ટ્રી, અને સિવિલ સોસાયટી માટે સલામત સાંભળવાની રીતોને પ્રોત્સાહન આપીને વિશ્વભરના લોકો થઈ રહેલ શ્રવણ શક્તિના નુકસાન નિવારણને પ્રાથમિકતા આપવાની ખાસ જરૂરી છે. વિશ્વભરની સરકારોએ કાનના સ્વાસ્થ અંગે જાગૃત થવાની જરૂર છે. કારણ કે જો હમણાં આ બાબત પર ધ્યાન નહીં આપવામાં આવે તો આવનાર સમયમાં આ એક ગંભીર સમસ્યા બની શકે છે. 


શ્રવણ શક્તિને લઈ થવું પડશે ગંભીર

આજકાલની જનરેશન ઉંચા અવાજે મ્યુઝિક સાંભળવાનું પસંદ કરે છે. મોબાઈલની સાથે બ્યુટૂથ અથવા તો ઈયરફોન લાગેલા જ હોય છે. આને કારણે આજકાલ લોકો 105 db પર અવાજ રાખવામાં આવે છે પરંતુ આજકાલ મનોરંજનના સ્થળો પર ઉપરાંત મ્યુઝિક શોમાં આ dbમાં વધારો થઈ 112db પર પહોંચી જતો હોય છે. સામાન્ય ઉંમરના માણસો કરતા આ લેવલ અનેક ઘણો વધારે છે. આવી બેદરકારને કારણે આગામી સમયે યુવાનો બહેરાશ જોવા મળી શકે છે.




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.