લોકોને સાંભળવાની શક્તિમાં થઈ રહ્યો છે ઘટાડો, રિસર્ચમાં થયા અનેક ખુલાસા


  • Published By :
  • Published Date : 2022-11-18 19:24:27

હાલની આ દુનિયામાં દરેક લોકો મોબાઈલ સાથે નજરે પડતા હોય છે. મોબાઈલ ઉપરાંત યુવાનો હેડફોન અને ઈયરબડનો ઉપયોગ કરતા હોય છે. હેડફોનનો ઉપયોગ કરી યંગ જનરેશન લાઉડ મ્યુઝિક સાંભળતા હોય છે. પરંતુ બીએમજી ગ્લોબલ હેલ્થ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે એક અબજથી વધુ યુવાનોને સાંભળવાની ક્ષમતા ઘટી રહી છે. 

This Is What People Think of You When You Wear Headphones at Work  (According to an 800-Person Study) | Inc.com

વિશ્વભરમાં અનેક મિલીયન લોકો થઈ રહ્યા છે બહેરાશનો શિકાર 

આપણે મુખ્યત્વે ટ્રાવેલિંગ દરમિયાન હેડફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આ હેડફોનને કારણે સાંભળવાની ક્ષમતા ધીરે ધીરે ઘટી રહી છે. યુ.એસની મેડિકલ યુનિવર્સિટીએ આ રિસર્ચ કર્યુ હતું. WHOના અંદાજ પ્રમાણે વિશ્વભરમાં હાલ 430 મિલીયનથી વધુ લોકોને ઓછુ સાંભળવાની બીમારી છે. 

Cartoon man in headphones stock vector. Illustration of male - 61238186

હાઈ-વોલ્યુમમાં યુવાનો સાંભળે છે મ્યુઝિક  

આનો અભ્યાસ કરનાર સંશોધકોના જણાવ્યા અનુસાર સરકાર, ઈન્ડસ્ટ્રી, અને સિવિલ સોસાયટી માટે સલામત સાંભળવાની રીતોને પ્રોત્સાહન આપીને વિશ્વભરના લોકો થઈ રહેલ શ્રવણ શક્તિના નુકસાન નિવારણને પ્રાથમિકતા આપવાની ખાસ જરૂરી છે. વિશ્વભરની સરકારોએ કાનના સ્વાસ્થ અંગે જાગૃત થવાની જરૂર છે. કારણ કે જો હમણાં આ બાબત પર ધ્યાન નહીં આપવામાં આવે તો આવનાર સમયમાં આ એક ગંભીર સમસ્યા બની શકે છે. 


શ્રવણ શક્તિને લઈ થવું પડશે ગંભીર

આજકાલની જનરેશન ઉંચા અવાજે મ્યુઝિક સાંભળવાનું પસંદ કરે છે. મોબાઈલની સાથે બ્યુટૂથ અથવા તો ઈયરફોન લાગેલા જ હોય છે. આને કારણે આજકાલ લોકો 105 db પર અવાજ રાખવામાં આવે છે પરંતુ આજકાલ મનોરંજનના સ્થળો પર ઉપરાંત મ્યુઝિક શોમાં આ dbમાં વધારો થઈ 112db પર પહોંચી જતો હોય છે. સામાન્ય ઉંમરના માણસો કરતા આ લેવલ અનેક ઘણો વધારે છે. આવી બેદરકારને કારણે આગામી સમયે યુવાનો બહેરાશ જોવા મળી શકે છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.