લોકોને સાંભળવાની શક્તિમાં થઈ રહ્યો છે ઘટાડો, રિસર્ચમાં થયા અનેક ખુલાસા


  • Published By :
  • Published Date : 2022-11-18 19:24:27

હાલની આ દુનિયામાં દરેક લોકો મોબાઈલ સાથે નજરે પડતા હોય છે. મોબાઈલ ઉપરાંત યુવાનો હેડફોન અને ઈયરબડનો ઉપયોગ કરતા હોય છે. હેડફોનનો ઉપયોગ કરી યંગ જનરેશન લાઉડ મ્યુઝિક સાંભળતા હોય છે. પરંતુ બીએમજી ગ્લોબલ હેલ્થ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં બતાવવામાં આવ્યું હતું કે એક અબજથી વધુ યુવાનોને સાંભળવાની ક્ષમતા ઘટી રહી છે. 

This Is What People Think of You When You Wear Headphones at Work  (According to an 800-Person Study) | Inc.com

વિશ્વભરમાં અનેક મિલીયન લોકો થઈ રહ્યા છે બહેરાશનો શિકાર 

આપણે મુખ્યત્વે ટ્રાવેલિંગ દરમિયાન હેડફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આ હેડફોનને કારણે સાંભળવાની ક્ષમતા ધીરે ધીરે ઘટી રહી છે. યુ.એસની મેડિકલ યુનિવર્સિટીએ આ રિસર્ચ કર્યુ હતું. WHOના અંદાજ પ્રમાણે વિશ્વભરમાં હાલ 430 મિલીયનથી વધુ લોકોને ઓછુ સાંભળવાની બીમારી છે. 

Cartoon man in headphones stock vector. Illustration of male - 61238186

હાઈ-વોલ્યુમમાં યુવાનો સાંભળે છે મ્યુઝિક  

આનો અભ્યાસ કરનાર સંશોધકોના જણાવ્યા અનુસાર સરકાર, ઈન્ડસ્ટ્રી, અને સિવિલ સોસાયટી માટે સલામત સાંભળવાની રીતોને પ્રોત્સાહન આપીને વિશ્વભરના લોકો થઈ રહેલ શ્રવણ શક્તિના નુકસાન નિવારણને પ્રાથમિકતા આપવાની ખાસ જરૂરી છે. વિશ્વભરની સરકારોએ કાનના સ્વાસ્થ અંગે જાગૃત થવાની જરૂર છે. કારણ કે જો હમણાં આ બાબત પર ધ્યાન નહીં આપવામાં આવે તો આવનાર સમયમાં આ એક ગંભીર સમસ્યા બની શકે છે. 


શ્રવણ શક્તિને લઈ થવું પડશે ગંભીર

આજકાલની જનરેશન ઉંચા અવાજે મ્યુઝિક સાંભળવાનું પસંદ કરે છે. મોબાઈલની સાથે બ્યુટૂથ અથવા તો ઈયરફોન લાગેલા જ હોય છે. આને કારણે આજકાલ લોકો 105 db પર અવાજ રાખવામાં આવે છે પરંતુ આજકાલ મનોરંજનના સ્થળો પર ઉપરાંત મ્યુઝિક શોમાં આ dbમાં વધારો થઈ 112db પર પહોંચી જતો હોય છે. સામાન્ય ઉંમરના માણસો કરતા આ લેવલ અનેક ઘણો વધારે છે. આવી બેદરકારને કારણે આગામી સમયે યુવાનો બહેરાશ જોવા મળી શકે છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.