1 એપ્રિલથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ચૂકવવો પડશે ચાર્જ, જાણો કેટલા રૂપિયાના વ્યવહાર પર ચૂકવવી પડશે ફી


  • Published By :
  • Published Date : 2023-03-29 09:27:40

પહેલી એપ્રિલથી અનેક ચીજ વસ્તુઓ મોંઘી થવાની છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થતાં લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે. ત્યારે હવે નવા નાણાકીય વર્ષથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ વસૂલ કરવામાં આવશે. યુપીઆઈ પેમેન્ટ એટલે કે G Pay, Phone pay, paytm જેવા ડિઝિટલ માધ્યમથી જો તમે પેમેન્ટ કરશો તે તમારે ચાર્જ ચૂકવવો પડશે.  ફી લાગુ કરવા માટે એક પરિપત્ર બહાર પાડવામાં  આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેશન પર 1.1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્ઝ યુઝરે મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે ચૂકવવો પડશે.


ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ચૂકવવો પડશે ચાર્જ!

લોકોમાં ઓનલાઈન પેમેન્ટનો કેઝ દિવસેને દિવસે વધુ જોવા મળી રહ્યો છે. ઓછી કિંમતની વસ્તુઓની ખરીદી કરવા માટે પણ લોકો યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ કરતા હોય છે. સરકાર પણ ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. કોરોના કાળ બાદ ડિઝિટલ ટ્રાન્ઝેક્શન વધી ગયા છે. પરંતુ પહેલી એપ્રિલથી 2000 રુપિયા કરતા જો વધારે રકમની ચૂકવણી કરવી હશે તો ચાર્જ ચૂકવવો પડશે. પીપીઆઈ દ્વારા યુપીઆઈની ચૂકવણી માટે 1.1 ટકાની ફી વસૂલવામાં આવશે. પીપીઆઈમાં ટ્રાન્ઝેક્શન વોલેટ અથવા કાર્ડ દ્વારા થાય છે.   


2000થી ઉપરના ટ્રાન્ઝેક્શન પર ચૂકવવી પડશે આટલી ફી   

નવા નાણાંકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી અનેક નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. અનેક ચીજ વસ્તુઓ મોંઘી થવાની છે તો કોઈ ચીજ વસ્તુ સસ્તી થવાની છે. ત્યારે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા થતા વ્યવહારો મોંઘા થશે. નેશનલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુપીઆઈને વેપારી વ્યવહારો પર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્યુમેન્ટ્સ ફી દાખલ કરવા જણાવ્યું છે. આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. 


આ ટ્રાન્ઝેક્શન પર નહીં ચૂકવવો પડે ચાર્જ!  

પરિપત્ર મૂજબ ઓનલાઈન વેપારીઓ, મોટા વેપારીઓ અને નાના ઓફલાઈન વેપારીઓ પાસેથી 2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા ઈન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો પ્રીપેડ ઈન્સ્ટુમેન્ટએ 2000થી વધુના વ્યવહાર પર મૂલ્યને લોડ કરવા માટે રેમિટર બેકને ફરી તરીકે 15 બેસિસ પોઈન્ટ ચૂકવવા પડશે. બેંક અને પ્રીપેડ વોલેટ વચ્ચે વ્યક્તિ-થી-વ્યક્તિ વ્યવહારો અથવા વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો માટે ફી લાગુ થશે નહીં. આનો અર્થ એ છે કે તમારે હજુ સુધી UPI નો ઉપયોગ કરવા માટે કોઈ વધારાની ફી ચૂકવવાની જરૂર નથી.

 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.