1 એપ્રિલથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ચૂકવવો પડશે ચાર્જ, જાણો કેટલા રૂપિયાના વ્યવહાર પર ચૂકવવી પડશે ફી


  • Published By :
  • Published Date : 2023-03-29 09:27:40

પહેલી એપ્રિલથી અનેક ચીજ વસ્તુઓ મોંઘી થવાની છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થતાં લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે. ત્યારે હવે નવા નાણાકીય વર્ષથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ વસૂલ કરવામાં આવશે. યુપીઆઈ પેમેન્ટ એટલે કે G Pay, Phone pay, paytm જેવા ડિઝિટલ માધ્યમથી જો તમે પેમેન્ટ કરશો તે તમારે ચાર્જ ચૂકવવો પડશે.  ફી લાગુ કરવા માટે એક પરિપત્ર બહાર પાડવામાં  આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેશન પર 1.1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્ઝ યુઝરે મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે ચૂકવવો પડશે.


ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ચૂકવવો પડશે ચાર્જ!

લોકોમાં ઓનલાઈન પેમેન્ટનો કેઝ દિવસેને દિવસે વધુ જોવા મળી રહ્યો છે. ઓછી કિંમતની વસ્તુઓની ખરીદી કરવા માટે પણ લોકો યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ કરતા હોય છે. સરકાર પણ ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. કોરોના કાળ બાદ ડિઝિટલ ટ્રાન્ઝેક્શન વધી ગયા છે. પરંતુ પહેલી એપ્રિલથી 2000 રુપિયા કરતા જો વધારે રકમની ચૂકવણી કરવી હશે તો ચાર્જ ચૂકવવો પડશે. પીપીઆઈ દ્વારા યુપીઆઈની ચૂકવણી માટે 1.1 ટકાની ફી વસૂલવામાં આવશે. પીપીઆઈમાં ટ્રાન્ઝેક્શન વોલેટ અથવા કાર્ડ દ્વારા થાય છે.   


2000થી ઉપરના ટ્રાન્ઝેક્શન પર ચૂકવવી પડશે આટલી ફી   

નવા નાણાંકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી અનેક નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. અનેક ચીજ વસ્તુઓ મોંઘી થવાની છે તો કોઈ ચીજ વસ્તુ સસ્તી થવાની છે. ત્યારે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા થતા વ્યવહારો મોંઘા થશે. નેશનલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુપીઆઈને વેપારી વ્યવહારો પર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્યુમેન્ટ્સ ફી દાખલ કરવા જણાવ્યું છે. આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. 


આ ટ્રાન્ઝેક્શન પર નહીં ચૂકવવો પડે ચાર્જ!  

પરિપત્ર મૂજબ ઓનલાઈન વેપારીઓ, મોટા વેપારીઓ અને નાના ઓફલાઈન વેપારીઓ પાસેથી 2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા ઈન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો પ્રીપેડ ઈન્સ્ટુમેન્ટએ 2000થી વધુના વ્યવહાર પર મૂલ્યને લોડ કરવા માટે રેમિટર બેકને ફરી તરીકે 15 બેસિસ પોઈન્ટ ચૂકવવા પડશે. બેંક અને પ્રીપેડ વોલેટ વચ્ચે વ્યક્તિ-થી-વ્યક્તિ વ્યવહારો અથવા વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો માટે ફી લાગુ થશે નહીં. આનો અર્થ એ છે કે તમારે હજુ સુધી UPI નો ઉપયોગ કરવા માટે કોઈ વધારાની ફી ચૂકવવાની જરૂર નથી.

 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.