1 એપ્રિલથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ચૂકવવો પડશે ચાર્જ, જાણો કેટલા રૂપિયાના વ્યવહાર પર ચૂકવવી પડશે ફી


  • Published By :
  • Published Date : 2023-03-29 09:27:40

પહેલી એપ્રિલથી અનેક ચીજ વસ્તુઓ મોંઘી થવાની છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોંઘી થતાં લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે. ત્યારે હવે નવા નાણાકીય વર્ષથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ વસૂલ કરવામાં આવશે. યુપીઆઈ પેમેન્ટ એટલે કે G Pay, Phone pay, paytm જેવા ડિઝિટલ માધ્યમથી જો તમે પેમેન્ટ કરશો તે તમારે ચાર્જ ચૂકવવો પડશે.  ફી લાગુ કરવા માટે એક પરિપત્ર બહાર પાડવામાં  આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેશન પર 1.1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્ઝ યુઝરે મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે ચૂકવવો પડશે.


ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર ચૂકવવો પડશે ચાર્જ!

લોકોમાં ઓનલાઈન પેમેન્ટનો કેઝ દિવસેને દિવસે વધુ જોવા મળી રહ્યો છે. ઓછી કિંમતની વસ્તુઓની ખરીદી કરવા માટે પણ લોકો યુપીઆઈ પેમેન્ટનો ઉપયોગ કરતા હોય છે. સરકાર પણ ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. કોરોના કાળ બાદ ડિઝિટલ ટ્રાન્ઝેક્શન વધી ગયા છે. પરંતુ પહેલી એપ્રિલથી 2000 રુપિયા કરતા જો વધારે રકમની ચૂકવણી કરવી હશે તો ચાર્જ ચૂકવવો પડશે. પીપીઆઈ દ્વારા યુપીઆઈની ચૂકવણી માટે 1.1 ટકાની ફી વસૂલવામાં આવશે. પીપીઆઈમાં ટ્રાન્ઝેક્શન વોલેટ અથવા કાર્ડ દ્વારા થાય છે.   


2000થી ઉપરના ટ્રાન્ઝેક્શન પર ચૂકવવી પડશે આટલી ફી   

નવા નાણાંકીય વર્ષ એટલે કે 1 એપ્રિલથી અનેક નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. અનેક ચીજ વસ્તુઓ મોંઘી થવાની છે તો કોઈ ચીજ વસ્તુ સસ્તી થવાની છે. ત્યારે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈ દ્વારા થતા વ્યવહારો મોંઘા થશે. નેશનલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુપીઆઈને વેપારી વ્યવહારો પર પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્યુમેન્ટ્સ ફી દાખલ કરવા જણાવ્યું છે. આ અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. 


આ ટ્રાન્ઝેક્શન પર નહીં ચૂકવવો પડે ચાર્જ!  

પરિપત્ર મૂજબ ઓનલાઈન વેપારીઓ, મોટા વેપારીઓ અને નાના ઓફલાઈન વેપારીઓ પાસેથી 2000થી વધુના ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા ઈન્ટરચેન્જ ફી વસૂલવામાં આવશે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો પ્રીપેડ ઈન્સ્ટુમેન્ટએ 2000થી વધુના વ્યવહાર પર મૂલ્યને લોડ કરવા માટે રેમિટર બેકને ફરી તરીકે 15 બેસિસ પોઈન્ટ ચૂકવવા પડશે. બેંક અને પ્રીપેડ વોલેટ વચ્ચે વ્યક્તિ-થી-વ્યક્તિ વ્યવહારો અથવા વ્યક્તિ-થી-વેપારી વ્યવહારો માટે ફી લાગુ થશે નહીં. આનો અર્થ એ છે કે તમારે હજુ સુધી UPI નો ઉપયોગ કરવા માટે કોઈ વધારાની ફી ચૂકવવાની જરૂર નથી.

 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.