દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી માદા ચિત્તા 'દક્ષા'નું કૂનો નેશનલ પાર્કમાં થયું મોત, નર ચિત્તાએ કર્યો હતો હુમલો


  • Published By :
  • Published Date : 2023-05-09 20:56:24

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા વધુ એક માદા ચિંતાનું મોત થઈ ગયું છે. આ પાર્કમાં અત્યાર સુધી ત્રણ ચિત્તાનું મોત થઈ ચુક્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ત્રીજા  ચિંત્તાનું મોત આંતરિક લડાઈમાં થયું છે. આ પહેલા બે ચિંતાનું મોત કિડનીમાં ઈન્ફેક્સન અને કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હતું.


વન વિભાગે આપી જાણકારી


વન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ 9 મેના રોજ સવારે 10.45 વાગ્યે દક્ષિણ આફ્રિકાથી કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલી માદા ચિત્તા દક્ષા મોનિટરિંગ ટીમને ઘાયલ મળી આવી હતી. પશુ ચિકિત્સકોએ સારવાર કરી તેમ છતાં પણ બપોરે 12  વાગ્યે તેનું દુ:ખદ મોત નિપજ્યું હતું. દક્ષાને વાડા ક્રમાંક એકમાં જ્યારે તેની નજીકના વાડા ક્રમાંક સાતમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા વાયુ અને અગ્નિને છોડવામાં આવ્યા હતા.


નર ચિંતાના હુમલાના સંકેતો મળ્યા


નિષ્ણાતોની ટીમે માદા ચિત્તા દક્ષા અને નર ચિત્તાને એક સાથે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક મેના દિવસે વાડા નંબર એક અને સાતના ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા. 6 મેના દિવસે નર ચિત્તો માદા ચિત્તા દક્ષાના વાડામાં દાખલ થયો હતો. નિષ્ણાતોના કહેવા પ્રમાણે માદા ચિત્તા દક્ષા પર જે ઘાના નિશાન મળી આવ્યા છે. તે પહેલી નજરમાં જ ચિત્તાના હુમલો થયો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. જો કે ચિંત્તાઓમાં સંભોગની પ્રક્રિયા દરમિયાન હિંસક વ્યવહાર સામાન્ય બાબત મનાય છે. આ સ્થિતિમાં નિરિક્ષણ કરી રહેલી ટીમની દખલ ના બરાબર હોય છે. નિયમોનુસાર માદા ચિત્તાનું પોસ્ટમોર્ટમ નિષ્ણાતોની ટીમ કરી રહી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.