દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલી માદા ચિત્તા 'દક્ષા'નું કૂનો નેશનલ પાર્કમાં થયું મોત, નર ચિત્તાએ કર્યો હતો હુમલો


  • Published By :
  • Published Date : 2023-05-09 20:56:24

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા વધુ એક માદા ચિંતાનું મોત થઈ ગયું છે. આ પાર્કમાં અત્યાર સુધી ત્રણ ચિત્તાનું મોત થઈ ચુક્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ત્રીજા  ચિંત્તાનું મોત આંતરિક લડાઈમાં થયું છે. આ પહેલા બે ચિંતાનું મોત કિડનીમાં ઈન્ફેક્સન અને કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હતું.


વન વિભાગે આપી જાણકારી


વન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ 9 મેના રોજ સવારે 10.45 વાગ્યે દક્ષિણ આફ્રિકાથી કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલી માદા ચિત્તા દક્ષા મોનિટરિંગ ટીમને ઘાયલ મળી આવી હતી. પશુ ચિકિત્સકોએ સારવાર કરી તેમ છતાં પણ બપોરે 12  વાગ્યે તેનું દુ:ખદ મોત નિપજ્યું હતું. દક્ષાને વાડા ક્રમાંક એકમાં જ્યારે તેની નજીકના વાડા ક્રમાંક સાતમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા વાયુ અને અગ્નિને છોડવામાં આવ્યા હતા.


નર ચિંતાના હુમલાના સંકેતો મળ્યા


નિષ્ણાતોની ટીમે માદા ચિત્તા દક્ષા અને નર ચિત્તાને એક સાથે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક મેના દિવસે વાડા નંબર એક અને સાતના ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા. 6 મેના દિવસે નર ચિત્તો માદા ચિત્તા દક્ષાના વાડામાં દાખલ થયો હતો. નિષ્ણાતોના કહેવા પ્રમાણે માદા ચિત્તા દક્ષા પર જે ઘાના નિશાન મળી આવ્યા છે. તે પહેલી નજરમાં જ ચિત્તાના હુમલો થયો હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. જો કે ચિંત્તાઓમાં સંભોગની પ્રક્રિયા દરમિયાન હિંસક વ્યવહાર સામાન્ય બાબત મનાય છે. આ સ્થિતિમાં નિરિક્ષણ કરી રહેલી ટીમની દખલ ના બરાબર હોય છે. નિયમોનુસાર માદા ચિત્તાનું પોસ્ટમોર્ટમ નિષ્ણાતોની ટીમ કરી રહી છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.