IPL 2023 Final GT Vs CSK: ચેન્નાઈ સુપરકિંગ્સનો ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય, બંને ટીમમાં કોઈ ફેરફાર નહીં


  • Published By :
  • Published Date : 2023-05-29 20:13:13

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની ફાઈનલ મેચ આજે રિઝર્વ ડે પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહી છે. ચેન્નાઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે IPL 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. કેપ્ટન એમએસ ધોનીએ ફાઈનલમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બંને ટીમમાં કોઈ જ ફેરફાર નથી કરાયો. ગુજરાત ટાઇટન્સ તરફથી રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઓપનિંગમાં આવ્યા છે.


ટીમ ગુજરાત ટાઇટન્સ 


ઋદ્ધિમાન સાહા(વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડયા(કેપ્ટન), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી


ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ


ઋતુરાજ ગાયકવાડ, ડેવન કૉન્વે, અજિંક્ય રહાણે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની(કેપ્ટન/વિકેટકીપર) અંબાતી રાયડુ, મથીશા પથિરાના, તુષા દેશપાંડે, મહીશ તીક્ષ્ણા, દીપક ચાહર


રિઝર્વ-ડે પર ફાઈનલ મેચ


IPLના  ઈતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે ફાઈનલ રિઝર્વ ડે પર યોજાઈ રહી છે. IPL 16ની ફાઇનલ મેચ રવિવારે રમાવાની હતી. અત્રે ઉલ્લેખનિય છે કે રવિવારે સાંજે અમદાવાદમાં સતત વરસાદ પડતાં મેચનું આયોજન થઈ શક્યું ન હતું. IPLની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા ફાઈનલ માટે પહેલાથી જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. રાત્રે 11 વાગ્યા સુધીમાં જ્યારે મેચની તમામ શક્યતાઓ પર પાણી ફરી વળ્યું  ત્યારે ફાઈનલને રિઝર્વ ડેમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."