IPL 2023 Final GT Vs CSK: ચેન્નાઈ સુપરકિંગ્સનો ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય, બંને ટીમમાં કોઈ ફેરફાર નહીં


  • Published By :
  • Published Date : 2023-05-29 20:13:13

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની ફાઈનલ મેચ આજે રિઝર્વ ડે પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહી છે. ચેન્નાઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે IPL 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. કેપ્ટન એમએસ ધોનીએ ફાઈનલમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. બંને ટીમમાં કોઈ જ ફેરફાર નથી કરાયો. ગુજરાત ટાઇટન્સ તરફથી રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઓપનિંગમાં આવ્યા છે.


ટીમ ગુજરાત ટાઇટન્સ 


ઋદ્ધિમાન સાહા(વિકેટકીપર), શુભમન ગિલ, હાર્દિક પંડયા(કેપ્ટન), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી


ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ


ઋતુરાજ ગાયકવાડ, ડેવન કૉન્વે, અજિંક્ય રહાણે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની(કેપ્ટન/વિકેટકીપર) અંબાતી રાયડુ, મથીશા પથિરાના, તુષા દેશપાંડે, મહીશ તીક્ષ્ણા, દીપક ચાહર


રિઝર્વ-ડે પર ફાઈનલ મેચ


IPLના  ઈતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે ફાઈનલ રિઝર્વ ડે પર યોજાઈ રહી છે. IPL 16ની ફાઇનલ મેચ રવિવારે રમાવાની હતી. અત્રે ઉલ્લેખનિય છે કે રવિવારે સાંજે અમદાવાદમાં સતત વરસાદ પડતાં મેચનું આયોજન થઈ શક્યું ન હતું. IPLની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા ફાઈનલ માટે પહેલાથી જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. રાત્રે 11 વાગ્યા સુધીમાં જ્યારે મેચની તમામ શક્યતાઓ પર પાણી ફરી વળ્યું  ત્યારે ફાઈનલને રિઝર્વ ડેમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.