IPL ફાઈનલ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે મારી બાજી! જાડેજાએ વિનિંગ શોટ ફટકાર્યો, ધોનીએ જાડેજાને તેડી લીધો! જીત બાદ રિવાબા પણ થયા ભાવુક


  • Published By :
  • Published Date : 2023-05-30 10:36:08

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો હતો. પાંચમી વખત આઈપીએલની મેચ ચેન્નઈ સુપરકિંગ્સ જીતી હતી. જીત બાદ  ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહેન્દ્રસિંહ ધોની ભાવુક જોવા મળ્યા હતા. મેચની અંતિમ ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ મેચને પલટી દીધી હતી. છેલ્લા બોલોમાં ચોગ્ગા અને છગ્ગા મારી ચેન્નઈ સુપરકિંગ્સને આઈપીએલ ચેમ્પિયન બનાવી દીધું હતું.


ચેન્નઈ સુપરકિંગ્સને આપ્યો હતો 171 રનનો ટાર્ગેટ! 

28મેના રોજ આઈપીએલની ફાઈનલ મેચ યોજાવાની હતી. પરંતુ ભારે વરસાદને કારણે મેચને કેન્સલ કરવામાં આવી હતી અને ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ રમાઈ હતી. ટોસ જીતી ગુજરાત ટાઈટન્સે બેટિંગ પસંદ કરી હતી. અને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ સુપરકિંગ્સને આપ્યો હતો. ટીમને ચેમ્પિયન બનવા છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાના ફટકાએ ગુજરાત ટાઈટન્સના હાથમાંથી ટ્રોફી છીનવી લીધી હતી. 

ધોની મેચના છેલ્લા બોલ પહેલા આંખો બંધ કરીને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

ધોનીએ જાડેજાને ખભા પર ઉંચકી લીધો! 

રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતો, જ્યારે કેપ્ટન એમએસ ધોની પેવેલિયનમાં બેઠા બંધ આંખે જીત માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ઓવરનો છેલ્લો બોલ ફેંકાયો અને જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ જ્યારે છેલ્લો બોલ ફેસ કરી રહી હતી તે સમયે ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની આંખો બંધ કરી લીધી હતી. જાડેજાના વિનીંગ શોટ બાદ ટીમના ચાહકો અને ખેલાડીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. જીત બાદ ટીમ મેદાનમાં દોડી આવી હતી અને ધોનીના ચહેરા પર ખુશી જોવા મળી હતી. જાડેજાને ધોનીએ ખભા પર ઉંચકી લીધા હતા. જીત બાદ ધોની ભાવુક જોવા મળ્યા હતા. 

મેચ બાદ હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોની ગળે મળતા જોવા મળ્યા હતા.

રિવાબા જાડેજા પણ સ્ટેડિયમમાં હતા ઉપસ્થિત!

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે ભગવાન જાણે છે કે આ ટ્રોફી માટે સૌથી વધુ કોણ હકદાર હતું. તેથી જ ધોનીના હાથમાં ટ્રોફી છે. સ્ટેડિયમથી એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ધોની હાર્દિક પંડ્યાને ગળે લગાવતા જોવા મળે છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા. રવિન્દ્ર જાડેજાના વિનિંગ શોટ બાદ રિવાબા જાડેજાની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.   

IPL 2023 Final CSK vs GT MS Dhoni put forward Ambati Rayudu while receiving the trophy Watch: धोनी ने एक बार फिर जीता फैंस का दिल, चैंपियन बनने के बाद ट्रॉफी लेने के लिए रायडू को किया आगे



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.