IPL ફાઈનલ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સે મારી બાજી! જાડેજાએ વિનિંગ શોટ ફટકાર્યો, ધોનીએ જાડેજાને તેડી લીધો! જીત બાદ રિવાબા પણ થયા ભાવુક


  • Published By :
  • Published Date : 2023-05-30 10:36:08

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો હતો. પાંચમી વખત આઈપીએલની મેચ ચેન્નઈ સુપરકિંગ્સ જીતી હતી. જીત બાદ  ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહેન્દ્રસિંહ ધોની ભાવુક જોવા મળ્યા હતા. મેચની અંતિમ ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ મેચને પલટી દીધી હતી. છેલ્લા બોલોમાં ચોગ્ગા અને છગ્ગા મારી ચેન્નઈ સુપરકિંગ્સને આઈપીએલ ચેમ્પિયન બનાવી દીધું હતું.


ચેન્નઈ સુપરકિંગ્સને આપ્યો હતો 171 રનનો ટાર્ગેટ! 

28મેના રોજ આઈપીએલની ફાઈનલ મેચ યોજાવાની હતી. પરંતુ ભારે વરસાદને કારણે મેચને કેન્સલ કરવામાં આવી હતી અને ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ રમાઈ હતી. ટોસ જીતી ગુજરાત ટાઈટન્સે બેટિંગ પસંદ કરી હતી. અને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ સુપરકિંગ્સને આપ્યો હતો. ટીમને ચેમ્પિયન બનવા છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી. રવિન્દ્ર જાડેજાના ફટકાએ ગુજરાત ટાઈટન્સના હાથમાંથી ટ્રોફી છીનવી લીધી હતી. 

ધોની મેચના છેલ્લા બોલ પહેલા આંખો બંધ કરીને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

ધોનીએ જાડેજાને ખભા પર ઉંચકી લીધો! 

રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતો, જ્યારે કેપ્ટન એમએસ ધોની પેવેલિયનમાં બેઠા બંધ આંખે જીત માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ઓવરનો છેલ્લો બોલ ફેંકાયો અને જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ જ્યારે છેલ્લો બોલ ફેસ કરી રહી હતી તે સમયે ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની આંખો બંધ કરી લીધી હતી. જાડેજાના વિનીંગ શોટ બાદ ટીમના ચાહકો અને ખેલાડીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. જીત બાદ ટીમ મેદાનમાં દોડી આવી હતી અને ધોનીના ચહેરા પર ખુશી જોવા મળી હતી. જાડેજાને ધોનીએ ખભા પર ઉંચકી લીધા હતા. જીત બાદ ધોની ભાવુક જોવા મળ્યા હતા. 

મેચ બાદ હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોની ગળે મળતા જોવા મળ્યા હતા.

રિવાબા જાડેજા પણ સ્ટેડિયમમાં હતા ઉપસ્થિત!

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે ભગવાન જાણે છે કે આ ટ્રોફી માટે સૌથી વધુ કોણ હકદાર હતું. તેથી જ ધોનીના હાથમાં ટ્રોફી છે. સ્ટેડિયમથી એવા પણ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ધોની હાર્દિક પંડ્યાને ગળે લગાવતા જોવા મળે છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા પણ સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા. રવિન્દ્ર જાડેજાના વિનિંગ શોટ બાદ રિવાબા જાડેજાની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા.   

IPL 2023 Final CSK vs GT MS Dhoni put forward Ambati Rayudu while receiving the trophy Watch: धोनी ने एक बार फिर जीता फैंस का दिल, चैंपियन बनने के बाद ट्रॉफी लेने के लिए रायडू को किया आगे



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.