ચેતન શર્માએ BCCIના ચીફ સિલેક્ટરના પદ ઉપરથી આપ્યું રાજીનામુ, વિવાદ વધતા છોડ્યું પદ!


  • Published By :
  • Published Date : 2023-02-17 12:28:26

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા એટલે બીસીસીઆઈના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને સોંપ્યું હતું. થોડા દિવસો પહેલા ભારતીય ટીમ અને ખેલાડીઓને લઈ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જે બાદ વિવાદ સર્જાયા હતા. વિવાદ વધતા ચેતન શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે જેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે.

     

     

થોડા દિવસો પહેલા આવ્યું હતું સ્ટિંગ ઓપરેશન  

ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ થોડા સમય પહેલા એક ટીવી ચેનલમાં અનેક ચોકાવનારા ખુલાસા કર્યા હતા. વિરાટ કોહલી અને સૌરવ ગાંગૂલીના સંબંધો વિશે તેમજ ઈન્જેક્શન સહિતના અનેક ગંભીર મુદ્દાઓનો ખુલાસો કર્યો હતો. ચેતન શર્માએ કહ્યું કે ભારતીય ટીમના ખેલાડીઓ કમ્પલીટલી ફિટ રહેવા ઈન્જેક્શન લે છે. તે સિવાય અનેક ગંભીર વાતોને લઈ ખુલાસા કર્યા હતા. 


પોતાના પદ ઉપરથી આપ્યું રાજીનામું 

મુખ્ય પસંદગીકાર તરીકે ચેતન શર્માની પસંદગી 7 જાન્યુઆરી 2023ના રોજ થઈ હતી. આ તેમનો બીજો કાર્યકાળ હતો પરંતુ આ વખતનો કાર્યકાળ માત્ર 40 દિવસનો રહ્યો હતો. પહેલી ટમમાં પણ તેઓ વિવાદમાં આવ્યા હતા. ગઈ ટમમાં બીસીસીઆઈએ ટી-20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ આખી કમિટીને હટાવી દીધી છે. ત્યારે બીજા ટર્મમાં તેઓ વિવાદમાં આવ્યા છે. વિવાદ બાદ ચેતન શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.      




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .