ચેતન શર્માએ BCCIના ચીફ સિલેક્ટરના પદ ઉપરથી આપ્યું રાજીનામુ, વિવાદ વધતા છોડ્યું પદ!


  • Published By :
  • Published Date : 2023-02-17 12:28:26

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા એટલે બીસીસીઆઈના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને સોંપ્યું હતું. થોડા દિવસો પહેલા ભારતીય ટીમ અને ખેલાડીઓને લઈ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જે બાદ વિવાદ સર્જાયા હતા. વિવાદ વધતા ચેતન શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે જેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે.

     

     

થોડા દિવસો પહેલા આવ્યું હતું સ્ટિંગ ઓપરેશન  

ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ થોડા સમય પહેલા એક ટીવી ચેનલમાં અનેક ચોકાવનારા ખુલાસા કર્યા હતા. વિરાટ કોહલી અને સૌરવ ગાંગૂલીના સંબંધો વિશે તેમજ ઈન્જેક્શન સહિતના અનેક ગંભીર મુદ્દાઓનો ખુલાસો કર્યો હતો. ચેતન શર્માએ કહ્યું કે ભારતીય ટીમના ખેલાડીઓ કમ્પલીટલી ફિટ રહેવા ઈન્જેક્શન લે છે. તે સિવાય અનેક ગંભીર વાતોને લઈ ખુલાસા કર્યા હતા. 


પોતાના પદ ઉપરથી આપ્યું રાજીનામું 

મુખ્ય પસંદગીકાર તરીકે ચેતન શર્માની પસંદગી 7 જાન્યુઆરી 2023ના રોજ થઈ હતી. આ તેમનો બીજો કાર્યકાળ હતો પરંતુ આ વખતનો કાર્યકાળ માત્ર 40 દિવસનો રહ્યો હતો. પહેલી ટમમાં પણ તેઓ વિવાદમાં આવ્યા હતા. ગઈ ટમમાં બીસીસીઆઈએ ટી-20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ આખી કમિટીને હટાવી દીધી છે. ત્યારે બીજા ટર્મમાં તેઓ વિવાદમાં આવ્યા છે. વિવાદ બાદ ચેતન શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.      




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.