ચેતન શર્માએ BCCIના ચીફ સિલેક્ટરના પદ ઉપરથી આપ્યું રાજીનામુ, વિવાદ વધતા છોડ્યું પદ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-17 12:28:26

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા એટલે બીસીસીઆઈના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને સોંપ્યું હતું. થોડા દિવસો પહેલા ભારતીય ટીમ અને ખેલાડીઓને લઈ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જે બાદ વિવાદ સર્જાયા હતા. વિવાદ વધતા ચેતન શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે જેનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે.

     

     

થોડા દિવસો પહેલા આવ્યું હતું સ્ટિંગ ઓપરેશન  

ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ થોડા સમય પહેલા એક ટીવી ચેનલમાં અનેક ચોકાવનારા ખુલાસા કર્યા હતા. વિરાટ કોહલી અને સૌરવ ગાંગૂલીના સંબંધો વિશે તેમજ ઈન્જેક્શન સહિતના અનેક ગંભીર મુદ્દાઓનો ખુલાસો કર્યો હતો. ચેતન શર્માએ કહ્યું કે ભારતીય ટીમના ખેલાડીઓ કમ્પલીટલી ફિટ રહેવા ઈન્જેક્શન લે છે. તે સિવાય અનેક ગંભીર વાતોને લઈ ખુલાસા કર્યા હતા. 


પોતાના પદ ઉપરથી આપ્યું રાજીનામું 

મુખ્ય પસંદગીકાર તરીકે ચેતન શર્માની પસંદગી 7 જાન્યુઆરી 2023ના રોજ થઈ હતી. આ તેમનો બીજો કાર્યકાળ હતો પરંતુ આ વખતનો કાર્યકાળ માત્ર 40 દિવસનો રહ્યો હતો. પહેલી ટમમાં પણ તેઓ વિવાદમાં આવ્યા હતા. ગઈ ટમમાં બીસીસીઆઈએ ટી-20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન બાદ આખી કમિટીને હટાવી દીધી છે. ત્યારે બીજા ટર્મમાં તેઓ વિવાદમાં આવ્યા છે. વિવાદ બાદ ચેતન શર્માએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે.      




બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.