છત્તીસગઢની ઘટના: પાણીમાં પડેલા સરકારી બાબુનો ફોન પાછો લાવવા ડેમમાંથી ખાલી કરાયું પાણી! ખેતરમાં ઉપયોગી થવા વાળા પાણીનો થયો વેડફાટ!


  • Published By :
  • Published Date : 2023-05-26 16:26:37

એક તરફ પાણી માટે લોકોને અનેક કિલોમીટર ચાલવું પડતું હોય છે તો બીજી તરફ છત્તીસગઢથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેમાં મોબાઈલ કાઢવા માટે 21 લાખ લીટર પાણી વહાવી દીધું. સમાચાર વાંચીને નવાઈ લાગી હશે ને પરંતુ આ સમાચાર સાચા છે. છત્તીસગઢના પંખાજૂરમાં એક ફૂડ ઈન્સ્પેક્ટરનો આઈફોન પાણીમાં પડી ગયો. ત્યારે ફોનને પાછો મેળવવા લાખો લીટર પાણીનો વેડફાટ કરવામાં આવ્યો. એટલું બધું પાણી વેડફવામાં આવ્યું જે પાણી દોઢ હજાર એકર ખેતરોની સિંચાઈ કરવામાં ઉપયોગી થાત. 

21 लाख लीटर पानी से डेढ़ हजार एकड़ की सिंचाई हो सकती थी।

પાણીમાં પડેલા ફોનને બચાવવા ગ્રામજનોએ કરી મહેનત!

જ્યારે કોઈ સામાન્ય માણસ પોતાની સમસ્યાને લઈ જ્યારે સરકારી અધિકારી પાસે જાય છે ત્યારે કોઈ તેની મદદમાં આવતું નથી. અધિકારીઓને જાણે કોઈ ફેર જ ન પડતો હોય તેવી રીતે વર્તન કરવામાં આવે છે. ત્યારે છત્તીસગઢના પંખાજૂરથી એક ઘટના સામે આવી છે જે વિચારવા મજબૂર કરશે. ફૂડ ઈન્સ્પેક્ટરનો આઈફોન પાણીમાં પડી ગયો. રવિવારની રજા માણવા સરકારી બાબુ ખેરકટ્ટા પરલકોટ ડેમ પહોંચ્યા હતા. રજાની મજા ત્યારે બગડી જ્યારે ફોન ડેમમાં પડી ગયો. અધિકારીએ મોબાઈલ શોધવા માટે ગામના લોકોને બોલાવ્યા. સારા સ્વીમરને પાણીમાં ઉતારવામાં પણ આવ્યા. પરંતુ સફળતા મળી નહી. 

पानी निकल जाने से अब भीषण गर्मी में मवेशियों को भी होगी दिक्कत।

પાણી કાઢવા 3 દિવસ માટે ચલાવાયો પંપ!

તરવૈયાને સફળતા ન મળી ત્યારે ફોનને શોધવા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ડેમમાંથી ફોન શોધવા માટે પંપની મદદ લેવામાં આવી હતી. સતત 3 દિવસ સુધી પંપ ચલાવામાં આવ્યો હતો. અનેક લીટર પાણીનો વેડફાટ કરવામાં આવ્યો હતો. જ્યારે આ અંગેની માહિતી સિંચાઈ વિભાગના અધિકારીઓને મળી ત્યારે પાણીનો વેડફાટ અટકાવવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંપ બંધ કરાવ્યો હતો. મહામહેનત બાદ ફોન તો મળ્યો પરંતુ બગડેલી હાલતમાં મળ્યો. 

पंप लगाकर लाखों लीटर पानी अधिकारी ने अपना फोन ढूंढने के लिए बहा दिया।

ફોન તો મળ્યો પરંતુ બગડેલી હાલતમાં!

પાણી વેડફાટની માહિતી મળતા અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને પાણીનો વેડફાટ થતો અટકાવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો 6 ફીટ જેટલું પાણી નીકાળી દેવામાં આવ્યું હતું જે અનેક ખેતરોમાં પાણી પૂરૂં પાડી શકત. પરંતુ હવે આ પાણી ન તો ખેતરમાં ઉપયોગી થયું ન તો પાણીનો સંગ્રહ થયો. આ મામલે જ્યારે ફૂડ ઈન્સ્પેક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ફોનમાં વિભાગની જાણકારી હોવાને કારણે આ કદમ ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ પાણી ફોનમાં પડી જવાથી ફોન બંધ થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આટલા લાખ લીટર પાણીનો વેડફાટ કરવા બદલ ફૂડ ઈન્સ્પેક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ મામલે તમારૂ શું કહેવું છે? 



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.