છત્તીસગઢની ઘટના: પાણીમાં પડેલા સરકારી બાબુનો ફોન પાછો લાવવા ડેમમાંથી ખાલી કરાયું પાણી! ખેતરમાં ઉપયોગી થવા વાળા પાણીનો થયો વેડફાટ!


  • Published By :
  • Published Date : 2023-05-26 16:26:37

એક તરફ પાણી માટે લોકોને અનેક કિલોમીટર ચાલવું પડતું હોય છે તો બીજી તરફ છત્તીસગઢથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેમાં મોબાઈલ કાઢવા માટે 21 લાખ લીટર પાણી વહાવી દીધું. સમાચાર વાંચીને નવાઈ લાગી હશે ને પરંતુ આ સમાચાર સાચા છે. છત્તીસગઢના પંખાજૂરમાં એક ફૂડ ઈન્સ્પેક્ટરનો આઈફોન પાણીમાં પડી ગયો. ત્યારે ફોનને પાછો મેળવવા લાખો લીટર પાણીનો વેડફાટ કરવામાં આવ્યો. એટલું બધું પાણી વેડફવામાં આવ્યું જે પાણી દોઢ હજાર એકર ખેતરોની સિંચાઈ કરવામાં ઉપયોગી થાત. 

21 लाख लीटर पानी से डेढ़ हजार एकड़ की सिंचाई हो सकती थी।

પાણીમાં પડેલા ફોનને બચાવવા ગ્રામજનોએ કરી મહેનત!

જ્યારે કોઈ સામાન્ય માણસ પોતાની સમસ્યાને લઈ જ્યારે સરકારી અધિકારી પાસે જાય છે ત્યારે કોઈ તેની મદદમાં આવતું નથી. અધિકારીઓને જાણે કોઈ ફેર જ ન પડતો હોય તેવી રીતે વર્તન કરવામાં આવે છે. ત્યારે છત્તીસગઢના પંખાજૂરથી એક ઘટના સામે આવી છે જે વિચારવા મજબૂર કરશે. ફૂડ ઈન્સ્પેક્ટરનો આઈફોન પાણીમાં પડી ગયો. રવિવારની રજા માણવા સરકારી બાબુ ખેરકટ્ટા પરલકોટ ડેમ પહોંચ્યા હતા. રજાની મજા ત્યારે બગડી જ્યારે ફોન ડેમમાં પડી ગયો. અધિકારીએ મોબાઈલ શોધવા માટે ગામના લોકોને બોલાવ્યા. સારા સ્વીમરને પાણીમાં ઉતારવામાં પણ આવ્યા. પરંતુ સફળતા મળી નહી. 

पानी निकल जाने से अब भीषण गर्मी में मवेशियों को भी होगी दिक्कत।

પાણી કાઢવા 3 દિવસ માટે ચલાવાયો પંપ!

તરવૈયાને સફળતા ન મળી ત્યારે ફોનને શોધવા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ડેમમાંથી ફોન શોધવા માટે પંપની મદદ લેવામાં આવી હતી. સતત 3 દિવસ સુધી પંપ ચલાવામાં આવ્યો હતો. અનેક લીટર પાણીનો વેડફાટ કરવામાં આવ્યો હતો. જ્યારે આ અંગેની માહિતી સિંચાઈ વિભાગના અધિકારીઓને મળી ત્યારે પાણીનો વેડફાટ અટકાવવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંપ બંધ કરાવ્યો હતો. મહામહેનત બાદ ફોન તો મળ્યો પરંતુ બગડેલી હાલતમાં મળ્યો. 

पंप लगाकर लाखों लीटर पानी अधिकारी ने अपना फोन ढूंढने के लिए बहा दिया।

ફોન તો મળ્યો પરંતુ બગડેલી હાલતમાં!

પાણી વેડફાટની માહિતી મળતા અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને પાણીનો વેડફાટ થતો અટકાવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો 6 ફીટ જેટલું પાણી નીકાળી દેવામાં આવ્યું હતું જે અનેક ખેતરોમાં પાણી પૂરૂં પાડી શકત. પરંતુ હવે આ પાણી ન તો ખેતરમાં ઉપયોગી થયું ન તો પાણીનો સંગ્રહ થયો. આ મામલે જ્યારે ફૂડ ઈન્સ્પેક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ફોનમાં વિભાગની જાણકારી હોવાને કારણે આ કદમ ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ પાણી ફોનમાં પડી જવાથી ફોન બંધ થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આટલા લાખ લીટર પાણીનો વેડફાટ કરવા બદલ ફૂડ ઈન્સ્પેક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ મામલે તમારૂ શું કહેવું છે? 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.