છત્તીસગઢની ઘટના: પાણીમાં પડેલા સરકારી બાબુનો ફોન પાછો લાવવા ડેમમાંથી ખાલી કરાયું પાણી! ખેતરમાં ઉપયોગી થવા વાળા પાણીનો થયો વેડફાટ!


  • Published By :
  • Published Date : 2023-05-26 16:26:37

એક તરફ પાણી માટે લોકોને અનેક કિલોમીટર ચાલવું પડતું હોય છે તો બીજી તરફ છત્તીસગઢથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેમાં મોબાઈલ કાઢવા માટે 21 લાખ લીટર પાણી વહાવી દીધું. સમાચાર વાંચીને નવાઈ લાગી હશે ને પરંતુ આ સમાચાર સાચા છે. છત્તીસગઢના પંખાજૂરમાં એક ફૂડ ઈન્સ્પેક્ટરનો આઈફોન પાણીમાં પડી ગયો. ત્યારે ફોનને પાછો મેળવવા લાખો લીટર પાણીનો વેડફાટ કરવામાં આવ્યો. એટલું બધું પાણી વેડફવામાં આવ્યું જે પાણી દોઢ હજાર એકર ખેતરોની સિંચાઈ કરવામાં ઉપયોગી થાત. 

21 लाख लीटर पानी से डेढ़ हजार एकड़ की सिंचाई हो सकती थी।

પાણીમાં પડેલા ફોનને બચાવવા ગ્રામજનોએ કરી મહેનત!

જ્યારે કોઈ સામાન્ય માણસ પોતાની સમસ્યાને લઈ જ્યારે સરકારી અધિકારી પાસે જાય છે ત્યારે કોઈ તેની મદદમાં આવતું નથી. અધિકારીઓને જાણે કોઈ ફેર જ ન પડતો હોય તેવી રીતે વર્તન કરવામાં આવે છે. ત્યારે છત્તીસગઢના પંખાજૂરથી એક ઘટના સામે આવી છે જે વિચારવા મજબૂર કરશે. ફૂડ ઈન્સ્પેક્ટરનો આઈફોન પાણીમાં પડી ગયો. રવિવારની રજા માણવા સરકારી બાબુ ખેરકટ્ટા પરલકોટ ડેમ પહોંચ્યા હતા. રજાની મજા ત્યારે બગડી જ્યારે ફોન ડેમમાં પડી ગયો. અધિકારીએ મોબાઈલ શોધવા માટે ગામના લોકોને બોલાવ્યા. સારા સ્વીમરને પાણીમાં ઉતારવામાં પણ આવ્યા. પરંતુ સફળતા મળી નહી. 

पानी निकल जाने से अब भीषण गर्मी में मवेशियों को भी होगी दिक्कत।

પાણી કાઢવા 3 દિવસ માટે ચલાવાયો પંપ!

તરવૈયાને સફળતા ન મળી ત્યારે ફોનને શોધવા સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ડેમમાંથી ફોન શોધવા માટે પંપની મદદ લેવામાં આવી હતી. સતત 3 દિવસ સુધી પંપ ચલાવામાં આવ્યો હતો. અનેક લીટર પાણીનો વેડફાટ કરવામાં આવ્યો હતો. જ્યારે આ અંગેની માહિતી સિંચાઈ વિભાગના અધિકારીઓને મળી ત્યારે પાણીનો વેડફાટ અટકાવવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પંપ બંધ કરાવ્યો હતો. મહામહેનત બાદ ફોન તો મળ્યો પરંતુ બગડેલી હાલતમાં મળ્યો. 

पंप लगाकर लाखों लीटर पानी अधिकारी ने अपना फोन ढूंढने के लिए बहा दिया।

ફોન તો મળ્યો પરંતુ બગડેલી હાલતમાં!

પાણી વેડફાટની માહિતી મળતા અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને પાણીનો વેડફાટ થતો અટકાવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો 6 ફીટ જેટલું પાણી નીકાળી દેવામાં આવ્યું હતું જે અનેક ખેતરોમાં પાણી પૂરૂં પાડી શકત. પરંતુ હવે આ પાણી ન તો ખેતરમાં ઉપયોગી થયું ન તો પાણીનો સંગ્રહ થયો. આ મામલે જ્યારે ફૂડ ઈન્સ્પેક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ફોનમાં વિભાગની જાણકારી હોવાને કારણે આ કદમ ઉઠાવવામાં આવ્યો હતો. પરંતુ પાણી ફોનમાં પડી જવાથી ફોન બંધ થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આટલા લાખ લીટર પાણીનો વેડફાટ કરવા બદલ ફૂડ ઈન્સ્પેક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે આ મામલે તમારૂ શું કહેવું છે? 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.