ચીનમાં કોરોનાથી મચી જશે હાહાકાર, દરરોજ 9 હજાર લોકોના મોતની આગાહી


  • Published By :
  • Published Date : 2023-01-01 12:27:07

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ સમગ્ર વિશ્વનમાં ચિંતાનો માહોલ છે. બ્રિટનના એક હેલ્થ ફર્મે તો ચીનને લઈ એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. આ ફર્મના લેટેસ્ટે રિપોર્ટ મુજબ ચીનમાં દરરોજ 9 હજાર લોકોના મૃત્યુનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ચીનમાં ઝીરો કોવિડ પોલીસી રદ્દ કરવા અને કોવિડ નિયંત્રણો હટાવવામાં આવ્યા બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં જોરદોર ઉછાળો જોવા મળ્યો છે. 


રિપોર્ટ શું કહે છે?


બ્રિટિશ ફર્મના રિપોર્ટમાં ચીનમાં મૃત્યુંઆકને લઈ જે અનુમાન કરવામાં આવ્યું છે તે ચીનની સરકારથી વિપરીત છે. કેમ કે બ્રિટીશ ફર્મ ડિસેમ્બર સુધી 1.86 કરોડ કોવિડ કેસ તથા કુલ 37 લાખ લોકોના મોતનું અનુમાન લગાવ્યું છે. જો કે ચીને માત્ર 5,84,000 લોકોના મોતની મહિતી આપી છે. અન્ય દેશોથી અલગ ચીન માત્ર ન્યૂક્લિક એસિડ ટેસ્ટની સાથે કોરોના સંક્રમિતોને શ્વાસ લેવામાં તરલીફથી મરવાને જ કોવિડથી મોતનું એક માત્ર કારણ માની રહ્યું છે. કોરોના પોઝિટિવ થયાના 28 દિવસની અંદર જ મૃત્યુ પામનારાને ચીન કોવિડથી મોત થયાનું માની રહ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ચીન 30 ડિસેમ્બરે માત્ર એક મોતની જ માહિતી આપી હતી.


WHOએ ચીન પાસે સાચો ડેટા માગ્યો


કોવિડ ડેટાને લઈને સતત ટીકાનો સામનો કરી રહેલા ચીનના અધિકારીઓ સાથે ડબલ્યુએચઓના અધિકારીઓએ બેઠક કરી હતી. આ ઓનલાઈન બેઠકમાં ડબલ્યુએચઓએ ચીન પાસે આનુવાંસિક સંક્રમણ, હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ, મોત અને રસીકરણ અંગે સાચે ડેટા રજુ કરવાનું કહ્યું છે.


કેનેડા અને મોરોક્કોએ કોરોના રિપોર્ટ કર્યો અનિવાર્ય


ચીન હંમેશા દેશમાં થતાં કોવિડ મોત અને તે અંગેની માહિતીને પારદર્શક અને વૈજ્ઞાનિક બતાવતું રહ્યું છે. જો કે ચીનના આ તમામ દાવાઓને વિશ્વના દેશો સાચા માનતા નથી. આ દરમિયાન કેનેડા અને મોરક્કોએ પણ ચીનના મુસાફરો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય બનાવી દીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ જ પ્રકારનો રિપોર્ટ ભારત સહિતના અન્ય દેશોએ પણ ફરજિયાત બનાવી દીધો છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .