ચીનમાં કોરોનાથી મચી જશે હાહાકાર, દરરોજ 9 હજાર લોકોના મોતની આગાહી


  • Published By :
  • Published Date : 2023-01-01 12:27:07

ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને લઈ સમગ્ર વિશ્વનમાં ચિંતાનો માહોલ છે. બ્રિટનના એક હેલ્થ ફર્મે તો ચીનને લઈ એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. આ ફર્મના લેટેસ્ટે રિપોર્ટ મુજબ ચીનમાં દરરોજ 9 હજાર લોકોના મૃત્યુનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ચીનમાં ઝીરો કોવિડ પોલીસી રદ્દ કરવા અને કોવિડ નિયંત્રણો હટાવવામાં આવ્યા બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં જોરદોર ઉછાળો જોવા મળ્યો છે. 


રિપોર્ટ શું કહે છે?


બ્રિટિશ ફર્મના રિપોર્ટમાં ચીનમાં મૃત્યુંઆકને લઈ જે અનુમાન કરવામાં આવ્યું છે તે ચીનની સરકારથી વિપરીત છે. કેમ કે બ્રિટીશ ફર્મ ડિસેમ્બર સુધી 1.86 કરોડ કોવિડ કેસ તથા કુલ 37 લાખ લોકોના મોતનું અનુમાન લગાવ્યું છે. જો કે ચીને માત્ર 5,84,000 લોકોના મોતની મહિતી આપી છે. અન્ય દેશોથી અલગ ચીન માત્ર ન્યૂક્લિક એસિડ ટેસ્ટની સાથે કોરોના સંક્રમિતોને શ્વાસ લેવામાં તરલીફથી મરવાને જ કોવિડથી મોતનું એક માત્ર કારણ માની રહ્યું છે. કોરોના પોઝિટિવ થયાના 28 દિવસની અંદર જ મૃત્યુ પામનારાને ચીન કોવિડથી મોત થયાનું માની રહ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ચીન 30 ડિસેમ્બરે માત્ર એક મોતની જ માહિતી આપી હતી.


WHOએ ચીન પાસે સાચો ડેટા માગ્યો


કોવિડ ડેટાને લઈને સતત ટીકાનો સામનો કરી રહેલા ચીનના અધિકારીઓ સાથે ડબલ્યુએચઓના અધિકારીઓએ બેઠક કરી હતી. આ ઓનલાઈન બેઠકમાં ડબલ્યુએચઓએ ચીન પાસે આનુવાંસિક સંક્રમણ, હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ, મોત અને રસીકરણ અંગે સાચે ડેટા રજુ કરવાનું કહ્યું છે.


કેનેડા અને મોરોક્કોએ કોરોના રિપોર્ટ કર્યો અનિવાર્ય


ચીન હંમેશા દેશમાં થતાં કોવિડ મોત અને તે અંગેની માહિતીને પારદર્શક અને વૈજ્ઞાનિક બતાવતું રહ્યું છે. જો કે ચીનના આ તમામ દાવાઓને વિશ્વના દેશો સાચા માનતા નથી. આ દરમિયાન કેનેડા અને મોરક્કોએ પણ ચીનના મુસાફરો માટે કોરોના નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય બનાવી દીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ જ પ્રકારનો રિપોર્ટ ભારત સહિતના અન્ય દેશોએ પણ ફરજિયાત બનાવી દીધો છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.