ચીન મંદીની ઝપેટમાં, GDP ઘટીને 3 ટકા, ભારત સહિત 70 દેશોના અર્થંતંત્રને ફટકો પડશે? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-27 21:37:01

ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (NBS) અનુસાર, દેશનો વાર્ષિક જીડીપી ગ્રોથ ઘટીને ત્રણ ટકા થઈ ગયો છે, જે 2022માં 5.5 ટકાના સત્તાવાર લક્ષ્યાંક કરતાં ઘણો ઓછો છે. ગયા વર્ષે ચીનનો વિકાસ દર 1976 પછી સૌથી નબળો હતો. જો ચીનની અર્થવ્યવસ્થા આ રીતે ઘટતી રહેશે તો આર્થિક મંદી આવવાનું નિશ્ચિત છે અને આ મંદી માત્ર ચીનને જ નહીં, પરંતુ વિશ્વના 70થી વધુ દેશો તેનાથી પ્રભાવિત થશે. ચાલો વાંચીએ આવું કેમ થશે?


50 વર્ષમાં બીજી સૌથી ધીમી ગતિ


ગયા વર્ષે કોરોના રોગચાળાનો સામનો કરવા માટે લાદવામાં આવેલા નિયંત્રણો અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીને કારણે 2022માં ચીનનો આર્થિક વિકાસ દર ત્રણ ટકા પર આવી ગયો છે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં 50 વર્ષમાં આ બીજો સૌથી ધીમો વિકાસ દર છે. નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા અનુસાર, 2022માં ચીનનો જીડીપી 1,21,020 બિલિયન યુઆન અથવા 17,940 અબજ ડોલર હતો.


વિશ્વના 70થી વધુ દેશો પર થશે અસર?


ચીન દુનિયાના 70થી વધુ દેશો સાથે વેપાર કરે છે. ચીન એશિયન દેશો સાથે તેમજ યુરોપના ઘણા દેશો સાથે આયાત અને નિકાસ કરે છે. આવી સ્થિતિમાં જો ચીનમાં મંદી આવશે તો આ તમામ દેશો પણ તેની ઝપેટમાં આવી જશે. ચીન પર નિર્ભર દેશોને સૌથી વધુ નુકસાન થશે. સૌથી ખરાબ સ્થિતિ ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં થશે.


ભારતને પણ ફટકો પડશે 


ચીનની મંદી ભારત માટે પણ ચિંતાનો વિષય છે, કારણ કે અમેરિકા પછી ચીન ભારતનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. વર્ષ 2021-22માં ભારત-ચીન દ્વિપક્ષીય વેપાર 115.83 અબજ ડોલરનો હતો, જે ભારતના કુલ 1,035 અબજ ડોલરના વેપારના 11.2 ટકા છે.

 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.