ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા, વીડિયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 16:23:14

ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના વિરોધીઓને ઘરભેગા કરી દેવાની કવાયત શરૂ થઈ ગઈ છે. કમ્યુનિસ્ટ પાર્ટી (CCP)ની  20મી કોંગ્રેસની બેઠક ચાલી રહી હતી તે વખતે ગજબનો ડ્રામાં જોવા મળ્યો હતો આ બેઠકમાંથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને બળજબરીપૂર્વક બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં શી જિનપિંગની બાજુમાં બેઠેલા હુ જિન્તાઓને બે સુરક્ષા કર્મચારીઓએ ખુરસી પરથી ઉભા કરતા અને બળજબરીથી મીટિંગ હોલની બહાર લઈ જતા જોવા મળતા હતા. હુ જિન્તાઓને જ્યારે કાઢવામાં આવ્યા, ત્યારે ચીનના ગ્રેટ હોલમાં સમાપન સમારોહ ચાલી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે.


ગ્રેટ હૉલમાં શું બન્યું હતું?


ચીનના ગ્રેટ હોલમાં કમ્યુનિસ્ટ પાર્ટી (CCP)ની  20મી કોંગ્રેસનો સમાપન સમારોહ ચાલી રહ્યો હતો. તે દરમિયાન બે સુરક્ષાકર્મીઓ આવ્યા અને તેમણે હુ જિન્તાઓ હાથ પકડીને તેમને બળજબરીથી કાઢ્યા હતા. આ દરમિયાન હુ જિન્તાઓ નિકળવા માંગતા ન હોતા અને વિરોધ પણ કરતા જોવા મળી રહ્યા હતા, પરંતુ તેમનો હાથ પકડીને તેમને ગ્રેટ હૉલમાંથી કાઢી મૂકાયા. ચીનના એક નેતાએ હુ જિન્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજા નેતાએ તેમને રોકી દીધા હતા. હુ જિન્તાઓએ થોડા સમય માટે  રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તેમણે જિન્તાઓની અવગણના કરી હતી. જિન્તાઓને કયા સંજોગોમાં કાઢવામાં આવ્યા હતા, તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું.


કોણ છે  હુ જિન્તાઓ?


79 વર્ષીય હુ જિન્તાઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના સીનિયર લીડર છે. શી જિનપિંગ 2013માં રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા જિન્તાઓએ દસ વર્ષ સુધી ચીનના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી. તેમણે 15 માર્ચ 2003થી 14 માર્ચ 2013 સુધી રાષ્ટ્રપતિ પદ પર રહ્યાં હતાં. બંધારણ મુજબ બે કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ તેમણે પદ છોડ્યું હતું. જો કે, આ પછી પણ તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીની મીટિંગમાં ભાગ લેતો જોવા મળ્યા હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .