ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા, વીડિયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 16:23:14

ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના વિરોધીઓને ઘરભેગા કરી દેવાની કવાયત શરૂ થઈ ગઈ છે. કમ્યુનિસ્ટ પાર્ટી (CCP)ની  20મી કોંગ્રેસની બેઠક ચાલી રહી હતી તે વખતે ગજબનો ડ્રામાં જોવા મળ્યો હતો આ બેઠકમાંથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓને બળજબરીપૂર્વક બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં શી જિનપિંગની બાજુમાં બેઠેલા હુ જિન્તાઓને બે સુરક્ષા કર્મચારીઓએ ખુરસી પરથી ઉભા કરતા અને બળજબરીથી મીટિંગ હોલની બહાર લઈ જતા જોવા મળતા હતા. હુ જિન્તાઓને જ્યારે કાઢવામાં આવ્યા, ત્યારે ચીનના ગ્રેટ હોલમાં સમાપન સમારોહ ચાલી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ શેર થઈ રહ્યો છે.


ગ્રેટ હૉલમાં શું બન્યું હતું?


ચીનના ગ્રેટ હોલમાં કમ્યુનિસ્ટ પાર્ટી (CCP)ની  20મી કોંગ્રેસનો સમાપન સમારોહ ચાલી રહ્યો હતો. તે દરમિયાન બે સુરક્ષાકર્મીઓ આવ્યા અને તેમણે હુ જિન્તાઓ હાથ પકડીને તેમને બળજબરીથી કાઢ્યા હતા. આ દરમિયાન હુ જિન્તાઓ નિકળવા માંગતા ન હોતા અને વિરોધ પણ કરતા જોવા મળી રહ્યા હતા, પરંતુ તેમનો હાથ પકડીને તેમને ગ્રેટ હૉલમાંથી કાઢી મૂકાયા. ચીનના એક નેતાએ હુ જિન્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજા નેતાએ તેમને રોકી દીધા હતા. હુ જિન્તાઓએ થોડા સમય માટે  રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ તેમણે જિન્તાઓની અવગણના કરી હતી. જિન્તાઓને કયા સંજોગોમાં કાઢવામાં આવ્યા હતા, તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું.


કોણ છે  હુ જિન્તાઓ?


79 વર્ષીય હુ જિન્તાઓ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના સીનિયર લીડર છે. શી જિનપિંગ 2013માં રાષ્ટ્રપતિ બન્યા તે પહેલા જિન્તાઓએ દસ વર્ષ સુધી ચીનના રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી. તેમણે 15 માર્ચ 2003થી 14 માર્ચ 2013 સુધી રાષ્ટ્રપતિ પદ પર રહ્યાં હતાં. બંધારણ મુજબ બે કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ તેમણે પદ છોડ્યું હતું. જો કે, આ પછી પણ તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીની મીટિંગમાં ભાગ લેતો જોવા મળ્યા હતા.



પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..