ચીન: સૌથી મોટી iPhone ફેક્ટરી પાસે લોકડાઉન લાદવામાં આવ્યું, કામદારો દિવાલ પર ચઢીને દોડ્યા


  • Published By :
  • Published Date : 2022-11-02 13:56:47

ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને લઈને હંગામો મચી ગયો છે. વિશ્વની સૌથી મોટી આઇફોન ફેક્ટરીની આસપાસ લોકડાઉન લાદવામાં આવ્યું છે. ઝેંગઝોઉમાં iPhone નિર્માતા ફોક્સકોનની ફેક્ટરીમાં કેટલાક કામદારો કોવિડ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે . જેના કારણે આસપાસના વિસ્તારમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે એપ્રિલમાં પણ આ ભાગમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું.

Apple: Chinese workers flee Covid lockdown at iPhone factory - BBC News

આ પ્રતિબંધ 9 નવેમ્બર સુધી અમલમાં રહેશે.

મધ્ય ચીનમાં ઝેંગઝોઉ એરપોર્ટ ઇકોનોમી ઝોને જણાવ્યું હતું કે પ્રતિબંધો દરમિયાન તમામ રહેવાસીઓને બહાર જવા દેવામાં આવશે નહીં. માત્ર થોડા વાહનોને જ રસ્તાઓ પર ચાલવા દેવામાં આવશે. આ પ્રતિબંધ 9 નવેમ્બર સુધી અમલમાં રહેશે.


70 ટકા આઇફોન ઉત્પાદન


ફોક્સકોન સૌથી મોટી આઈફોન ઉત્પાદક કંપની છે

Foxconn Gains Approval to Produce Laptops and Tablets in Vietnam - Caixin  Global

વિશ્વના 70 ટકા આઇફોન ઝેંગઝોઉ પ્લાન્ટમાં બને છે. ઝેંગઝોઉમાં 20 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. તાજેતરમાં, આ iPhone ફેક્ટરીમાંથી એક કર્મચારી ભાગી ગયો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ઘણા કામદારો ફેક્ટરીની દિવાલ પર ચડતા જોવા મળ્યા હતા.


ફોક્સકોને એક નિવેદન બહાર પાડ્યું છે

ફોક્સકોને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કર્મચારીઓ નિયંત્રણના પગલાંના ભાગ રૂપે કેમ્પસમાં "ક્લોઝ્ડ-લૂપ મેનેજમેન્ટ" હેઠળ કાર્ય કરે છે. આ વ્યવસ્થા હેઠળ કર્મચારીઓ કામ કરે છે અને અલગ રહે છે.


કર્મચારીઓને રોકવા માટે બોનસ ઓફર

Almost 1 Million People in Chinese City Near iPhone Factory Under Lockdown

ફોક્સકોને તેના કર્મચારીઓને રોકવા માટે મોટા બોનસની ઓફર પણ કરી હતી. જો કે હજુ પણ ઘણા કામદારો ફેક્ટરીમાંથી ભાગી ગયા હતા.


શાંઘાઈ ડિઝની રિસોર્ટ અચાનક બંધ થઈ ગયું

Shanghai Disney Resort visitors told to stay home after COVID-19 case - CNA

શાંઘાઈ ડિઝની રિસોર્ટ અચાનક બંધ થઈ ગયું. રિસોર્ટ બંધ થવાને કારણે અરાજકતા સર્જાઈ હતી. ઘણા લોકો અંદર ફસાયા હતા. કોવિડ ટેસ્ટ થયા બાદ જ લોકોને રિસોર્ટમાંથી બહાર જવાની મંજૂરી આપવામાં આવી હતી.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?