હવે ચીનમાં અપરણિત યુવતીઓ પણ માતા બની શકશે, સરકારે શા માટે આપી મંજુરી? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-31 14:45:37

ચીને યુવતીઓને લગ્ન કર્યા વિના માતા બનવાની કાયદેસર મંજૂરી આપી દીધી છે. આ કાયદો માત્ર દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં જ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાયદો ઘટી રહેલા જન્મ દરને રોકવા માટેના નવીનતમ પ્રયાસ તરીકે ઘડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અપરિણીત પુરુષો અને સ્ત્રીઓને પરિવાર વધારવા અને વિવાહિત યુગલ માટે સરકારી સહાય વધુ તીવ્ર બનાવવામાં આવશે. ચીનમાં અત્યાર સુધી માત્ર પરિણીત મહિલાઓને જ કાયદેસર રીતે બાળકને જન્મ આપવાની મંજૂરી છે. પરંતુ, તાજેતરના વર્ષોમાં, લગ્ન અને જન્મદરમાં વિક્રમી ઘટાડો થવાને કારણે ચીનની સરકાર ચિંચિત બની છે. એક સમય એવો હતો જ્યારે ચીને પણ વધતી વસ્તીને રોકવા માટે વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરી હતી.


રજીસ્ટ્રેશન 15 ફેબ્રુઆરીથી શરૂ થશે


15 ફેબ્રુઆરીથી, વિવાહિત યુગલો અને બાળકો ઇચ્છતા કોઈ પણ વ્યક્તિને ચીનના પાંચમા સૌથી વધુ વસ્તીવાળા પ્રાંતમાં સરકાર પાસે નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવશે. આમાં બાળકોની સંખ્યા પર કોઈ મર્યાદા રહેશે નહીં. આવી સ્થિતિમાં, વ્યક્તિ ઇચ્છે તેટલા બાળકો માટે નોંધણી કરાવી શકે છે. સિચુઆનના આરોગ્ય આયોગે તેની વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેનો હેતુ લાંબા ગાળા માટે અને સંતુલિત વસ્તી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. અત્યાર સુધી, કમિશન માત્ર એવા પરિણીત યુગલોને જ મંજૂરી આપતું હતું જેઓ બે બાળકો સુધી સ્થાનિક સત્તાવાળાઓ સાથે નોંધણી કરાવવા ઇચ્છતા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે