હવે ચીનમાં અપરણિત યુવતીઓ પણ માતા બની શકશે, સરકારે શા માટે આપી મંજુરી? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-31 14:45:37

ચીને યુવતીઓને લગ્ન કર્યા વિના માતા બનવાની કાયદેસર મંજૂરી આપી દીધી છે. આ કાયદો માત્ર દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં જ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાયદો ઘટી રહેલા જન્મ દરને રોકવા માટેના નવીનતમ પ્રયાસ તરીકે ઘડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અપરિણીત પુરુષો અને સ્ત્રીઓને પરિવાર વધારવા અને વિવાહિત યુગલ માટે સરકારી સહાય વધુ તીવ્ર બનાવવામાં આવશે. ચીનમાં અત્યાર સુધી માત્ર પરિણીત મહિલાઓને જ કાયદેસર રીતે બાળકને જન્મ આપવાની મંજૂરી છે. પરંતુ, તાજેતરના વર્ષોમાં, લગ્ન અને જન્મદરમાં વિક્રમી ઘટાડો થવાને કારણે ચીનની સરકાર ચિંચિત બની છે. એક સમય એવો હતો જ્યારે ચીને પણ વધતી વસ્તીને રોકવા માટે વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરી હતી.


રજીસ્ટ્રેશન 15 ફેબ્રુઆરીથી શરૂ થશે


15 ફેબ્રુઆરીથી, વિવાહિત યુગલો અને બાળકો ઇચ્છતા કોઈ પણ વ્યક્તિને ચીનના પાંચમા સૌથી વધુ વસ્તીવાળા પ્રાંતમાં સરકાર પાસે નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવશે. આમાં બાળકોની સંખ્યા પર કોઈ મર્યાદા રહેશે નહીં. આવી સ્થિતિમાં, વ્યક્તિ ઇચ્છે તેટલા બાળકો માટે નોંધણી કરાવી શકે છે. સિચુઆનના આરોગ્ય આયોગે તેની વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેનો હેતુ લાંબા ગાળા માટે અને સંતુલિત વસ્તી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. અત્યાર સુધી, કમિશન માત્ર એવા પરિણીત યુગલોને જ મંજૂરી આપતું હતું જેઓ બે બાળકો સુધી સ્થાનિક સત્તાવાળાઓ સાથે નોંધણી કરાવવા ઇચ્છતા હતા.



પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આપના નેતા ચૈતર વસાવાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.