હવે ચીનમાં અપરણિત યુવતીઓ પણ માતા બની શકશે, સરકારે શા માટે આપી મંજુરી? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-31 14:45:37

ચીને યુવતીઓને લગ્ન કર્યા વિના માતા બનવાની કાયદેસર મંજૂરી આપી દીધી છે. આ કાયદો માત્ર દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં જ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાયદો ઘટી રહેલા જન્મ દરને રોકવા માટેના નવીનતમ પ્રયાસ તરીકે ઘડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અપરિણીત પુરુષો અને સ્ત્રીઓને પરિવાર વધારવા અને વિવાહિત યુગલ માટે સરકારી સહાય વધુ તીવ્ર બનાવવામાં આવશે. ચીનમાં અત્યાર સુધી માત્ર પરિણીત મહિલાઓને જ કાયદેસર રીતે બાળકને જન્મ આપવાની મંજૂરી છે. પરંતુ, તાજેતરના વર્ષોમાં, લગ્ન અને જન્મદરમાં વિક્રમી ઘટાડો થવાને કારણે ચીનની સરકાર ચિંચિત બની છે. એક સમય એવો હતો જ્યારે ચીને પણ વધતી વસ્તીને રોકવા માટે વન ચાઈલ્ડ પોલિસી લાગુ કરી હતી.


રજીસ્ટ્રેશન 15 ફેબ્રુઆરીથી શરૂ થશે


15 ફેબ્રુઆરીથી, વિવાહિત યુગલો અને બાળકો ઇચ્છતા કોઈ પણ વ્યક્તિને ચીનના પાંચમા સૌથી વધુ વસ્તીવાળા પ્રાંતમાં સરકાર પાસે નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવશે. આમાં બાળકોની સંખ્યા પર કોઈ મર્યાદા રહેશે નહીં. આવી સ્થિતિમાં, વ્યક્તિ ઇચ્છે તેટલા બાળકો માટે નોંધણી કરાવી શકે છે. સિચુઆનના આરોગ્ય આયોગે તેની વેબસાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેનો હેતુ લાંબા ગાળા માટે અને સંતુલિત વસ્તી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. અત્યાર સુધી, કમિશન માત્ર એવા પરિણીત યુગલોને જ મંજૂરી આપતું હતું જેઓ બે બાળકો સુધી સ્થાનિક સત્તાવાળાઓ સાથે નોંધણી કરાવવા ઇચ્છતા હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .