રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફરી બન્યા ચીનના કેપ્ટન, ત્રીજી વખત દેશની કમાન સંભાળશે


  • Published By :
  • Published Date : 2022-10-23 12:59:44

ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ ત્રીજી વખત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CCP)ના જનરલ સેક્રેટરી ચૂંટાઈ ગયા છે. ચીનના સૌથી મોટા નેતા  અને CCPના સંસ્થાપક માઓ ત્સે તુંગ બાદ જિનપિંગ ત્રીજી વખત નિમણૂંક પામનારી ચીનની બીજી સૌથી મોટી હસ્તી બની ગઈ છે. હવે તે વધુ પાંચ વર્ષ માટે આ પદ પર રહેશે. અત્રે ઉલ્લેખનિય છે  કે ચીનમાં સત્તાની ચાવી કમ્યુનિસ્ટ પાર્ટીના હાથમાં છે. આ પાર્ટી ચીની સેનાનું પણ નેતૃત્વ કરે છે.


જિનપિંગે પાર્ટીનો આભાર માન્યો


AFPએ ચીની મીડિયાને ટાંકીને કહ્યું કે શી જિનપિંગ સફળતાપૂર્વક ત્રીજી વખત સૌથી શક્તિશાળી નેતા બની ગયા છે. તેમણે રવિવારે ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં પાર્ટીની સપ્તાહ-લાંબી 20મી નેશનલ કોંગ્રેસમાં કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરીનું પદ સંભાળ્યું. આ પ્રસંગે શી જિનપિંગે કહ્યું કે, તમે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે હું આખી પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું.


જિનપિંગ માટે ચાર દાયકા જુનો નિયમ બદલાયો


આ પહેલા જિનપિંગને CCPના કેન્દ્રિય સમિતિના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ સમિતિનો કાર્યકાળ બે વર્ષથી વધુ વધારી શકાતો નથી. તેમાં રિટાયરમેન્ટની ઉંમર 68 વર્ષ નક્કી હોય છે. પરંતું જિનપિંગ 68 વર્ષની ઉંમર હોવા છતાં પણ આ પદ પર ટકેલા છે અને તેમના માટે ચાર દાયકા જુનો નિયમ બદલી નાખવામાં આવ્યો હતો.



પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર. રવિરાજભાઈએ આર્મીમાં ફરજ બજાવવાનું સપનું જોયું, વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. કેન્સર થતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નશ્વર દેહ જ્યારે વતન આવ્યો ત્યારે અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.