રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફરી બન્યા ચીનના કેપ્ટન, ત્રીજી વખત દેશની કમાન સંભાળશે


  • Published By :
  • Published Date : 2022-10-23 12:59:44

ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ ત્રીજી વખત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CCP)ના જનરલ સેક્રેટરી ચૂંટાઈ ગયા છે. ચીનના સૌથી મોટા નેતા  અને CCPના સંસ્થાપક માઓ ત્સે તુંગ બાદ જિનપિંગ ત્રીજી વખત નિમણૂંક પામનારી ચીનની બીજી સૌથી મોટી હસ્તી બની ગઈ છે. હવે તે વધુ પાંચ વર્ષ માટે આ પદ પર રહેશે. અત્રે ઉલ્લેખનિય છે  કે ચીનમાં સત્તાની ચાવી કમ્યુનિસ્ટ પાર્ટીના હાથમાં છે. આ પાર્ટી ચીની સેનાનું પણ નેતૃત્વ કરે છે.


જિનપિંગે પાર્ટીનો આભાર માન્યો


AFPએ ચીની મીડિયાને ટાંકીને કહ્યું કે શી જિનપિંગ સફળતાપૂર્વક ત્રીજી વખત સૌથી શક્તિશાળી નેતા બની ગયા છે. તેમણે રવિવારે ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં પાર્ટીની સપ્તાહ-લાંબી 20મી નેશનલ કોંગ્રેસમાં કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરીનું પદ સંભાળ્યું. આ પ્રસંગે શી જિનપિંગે કહ્યું કે, તમે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે હું આખી પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું.


જિનપિંગ માટે ચાર દાયકા જુનો નિયમ બદલાયો


આ પહેલા જિનપિંગને CCPના કેન્દ્રિય સમિતિના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ સમિતિનો કાર્યકાળ બે વર્ષથી વધુ વધારી શકાતો નથી. તેમાં રિટાયરમેન્ટની ઉંમર 68 વર્ષ નક્કી હોય છે. પરંતું જિનપિંગ 68 વર્ષની ઉંમર હોવા છતાં પણ આ પદ પર ટકેલા છે અને તેમના માટે ચાર દાયકા જુનો નિયમ બદલી નાખવામાં આવ્યો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .