રાષ્ટ્રપતિ શી જિનપિંગ ફરી બન્યા ચીનના કેપ્ટન, ત્રીજી વખત દેશની કમાન સંભાળશે


  • Published By :
  • Published Date : 2022-10-23 12:59:44

ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ ત્રીજી વખત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CCP)ના જનરલ સેક્રેટરી ચૂંટાઈ ગયા છે. ચીનના સૌથી મોટા નેતા  અને CCPના સંસ્થાપક માઓ ત્સે તુંગ બાદ જિનપિંગ ત્રીજી વખત નિમણૂંક પામનારી ચીનની બીજી સૌથી મોટી હસ્તી બની ગઈ છે. હવે તે વધુ પાંચ વર્ષ માટે આ પદ પર રહેશે. અત્રે ઉલ્લેખનિય છે  કે ચીનમાં સત્તાની ચાવી કમ્યુનિસ્ટ પાર્ટીના હાથમાં છે. આ પાર્ટી ચીની સેનાનું પણ નેતૃત્વ કરે છે.


જિનપિંગે પાર્ટીનો આભાર માન્યો


AFPએ ચીની મીડિયાને ટાંકીને કહ્યું કે શી જિનપિંગ સફળતાપૂર્વક ત્રીજી વખત સૌથી શક્તિશાળી નેતા બની ગયા છે. તેમણે રવિવારે ગ્રેટ હોલ ઓફ ધ પીપલમાં પાર્ટીની સપ્તાહ-લાંબી 20મી નેશનલ કોંગ્રેસમાં કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરીનું પદ સંભાળ્યું. આ પ્રસંગે શી જિનપિંગે કહ્યું કે, તમે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના માટે હું આખી પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું.


જિનપિંગ માટે ચાર દાયકા જુનો નિયમ બદલાયો


આ પહેલા જિનપિંગને CCPના કેન્દ્રિય સમિતિના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આ સમિતિનો કાર્યકાળ બે વર્ષથી વધુ વધારી શકાતો નથી. તેમાં રિટાયરમેન્ટની ઉંમર 68 વર્ષ નક્કી હોય છે. પરંતું જિનપિંગ 68 વર્ષની ઉંમર હોવા છતાં પણ આ પદ પર ટકેલા છે અને તેમના માટે ચાર દાયકા જુનો નિયમ બદલી નાખવામાં આવ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.