ચાઈનીઝ એપ્સ પર ડિઝિટલ સ્ટ્રાઈક, ભારતે 232 એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-02-05 15:25:43

સરકારે ફરી એકવાર ચાઈનીઝ એપ્સ પર ડિઝિટલ સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચાઈનીઝ લિંક્સ સાથે સટ્ટાબાજી અને લોન આપતી એપ્સ સામે પગલું ભર્યું છે. જેના ભાગરૂપે તાત્કાલિક અસરથી 138 સટ્ટાબાજીની એપ્સ અને 94 લોન લેન્ડિંગ એપ્સ એટલે કે ચીનની 232 એપ્સ પર પ્રતિબંધ અને બ્લોક કરવાનું શરૂ કર્યું છે. 


ગૃહમંત્રાલયે લગાવ્યો પ્રતિબંધ


ગૃહ મંત્રાલય તરફથી સુચના મળતા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)એ તાત્કાલિક અને ઈમરજન્સી ધોરણે આ ચાઈનીઝ લિંક્ડ એપ્સને પ્રતિબંધિત અને બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છ મહિના પહેલા ચીનની 288 લોન આપતી એપ્સ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે, આવી અનેક એપ્સ ઈ-સ્ટોર પર ઉપલબ્ધ છે અને કોઈપણ અન્ય થર્ડ પાર્ટી લિંક દ્વારા કામ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ એપ્સ જે ઘણીવાર લોકોને મોટા પાયે દેવામાં ફસાવવા માટે જાળ ગોઠવે છે.


સુરક્ષા એજન્સીઓએ આપ્યો હતો રિપોર્ટ


રિપોર્ટ મુજબ તેલંગાણા, ઓડિશા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો ઉપરાંત કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ એપ્સ સામે પગલાં લેવા જણાવ્યું હતું. આ એપ્લિકેશન્સને જાસૂસી સાધનોમાં ફેરવવા માટે સર્વર-સાઇડ સુરક્ષાનો દુરુપયોગ કરવાની સંભાવના છે. કારણ કે આ એપ્સ ભારતીયોના મહત્વના ડેટાને એક્સેસ કરે છે. આવા ડેટાની ઍક્સેસનો ઉપયોગ સામૂહિક દેખરેખ માટે થઈ શકે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.