ચાઈનીઝ એપ્સ પર ડિઝિટલ સ્ટ્રાઈક, ભારતે 232 એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-02-05 15:25:43

સરકારે ફરી એકવાર ચાઈનીઝ એપ્સ પર ડિઝિટલ સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચાઈનીઝ લિંક્સ સાથે સટ્ટાબાજી અને લોન આપતી એપ્સ સામે પગલું ભર્યું છે. જેના ભાગરૂપે તાત્કાલિક અસરથી 138 સટ્ટાબાજીની એપ્સ અને 94 લોન લેન્ડિંગ એપ્સ એટલે કે ચીનની 232 એપ્સ પર પ્રતિબંધ અને બ્લોક કરવાનું શરૂ કર્યું છે. 


ગૃહમંત્રાલયે લગાવ્યો પ્રતિબંધ


ગૃહ મંત્રાલય તરફથી સુચના મળતા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)એ તાત્કાલિક અને ઈમરજન્સી ધોરણે આ ચાઈનીઝ લિંક્ડ એપ્સને પ્રતિબંધિત અને બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છ મહિના પહેલા ચીનની 288 લોન આપતી એપ્સ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે, આવી અનેક એપ્સ ઈ-સ્ટોર પર ઉપલબ્ધ છે અને કોઈપણ અન્ય થર્ડ પાર્ટી લિંક દ્વારા કામ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ એપ્સ જે ઘણીવાર લોકોને મોટા પાયે દેવામાં ફસાવવા માટે જાળ ગોઠવે છે.


સુરક્ષા એજન્સીઓએ આપ્યો હતો રિપોર્ટ


રિપોર્ટ મુજબ તેલંગાણા, ઓડિશા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો ઉપરાંત કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ એપ્સ સામે પગલાં લેવા જણાવ્યું હતું. આ એપ્લિકેશન્સને જાસૂસી સાધનોમાં ફેરવવા માટે સર્વર-સાઇડ સુરક્ષાનો દુરુપયોગ કરવાની સંભાવના છે. કારણ કે આ એપ્સ ભારતીયોના મહત્વના ડેટાને એક્સેસ કરે છે. આવા ડેટાની ઍક્સેસનો ઉપયોગ સામૂહિક દેખરેખ માટે થઈ શકે છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.