ચાઈનીઝ એપ્સ પર ડિઝિટલ સ્ટ્રાઈક, ભારતે 232 એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ


  • Published By :
  • Published Date : 2023-02-05 15:25:43

સરકારે ફરી એકવાર ચાઈનીઝ એપ્સ પર ડિઝિટલ સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચાઈનીઝ લિંક્સ સાથે સટ્ટાબાજી અને લોન આપતી એપ્સ સામે પગલું ભર્યું છે. જેના ભાગરૂપે તાત્કાલિક અસરથી 138 સટ્ટાબાજીની એપ્સ અને 94 લોન લેન્ડિંગ એપ્સ એટલે કે ચીનની 232 એપ્સ પર પ્રતિબંધ અને બ્લોક કરવાનું શરૂ કર્યું છે. 


ગૃહમંત્રાલયે લગાવ્યો પ્રતિબંધ


ગૃહ મંત્રાલય તરફથી સુચના મળતા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY)એ તાત્કાલિક અને ઈમરજન્સી ધોરણે આ ચાઈનીઝ લિંક્ડ એપ્સને પ્રતિબંધિત અને બ્લોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે છ મહિના પહેલા ચીનની 288 લોન આપતી એપ્સ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે, આવી અનેક એપ્સ ઈ-સ્ટોર પર ઉપલબ્ધ છે અને કોઈપણ અન્ય થર્ડ પાર્ટી લિંક દ્વારા કામ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ એપ્સ જે ઘણીવાર લોકોને મોટા પાયે દેવામાં ફસાવવા માટે જાળ ગોઠવે છે.


સુરક્ષા એજન્સીઓએ આપ્યો હતો રિપોર્ટ


રિપોર્ટ મુજબ તેલંગાણા, ઓડિશા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો ઉપરાંત કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ એપ્સ સામે પગલાં લેવા જણાવ્યું હતું. આ એપ્લિકેશન્સને જાસૂસી સાધનોમાં ફેરવવા માટે સર્વર-સાઇડ સુરક્ષાનો દુરુપયોગ કરવાની સંભાવના છે. કારણ કે આ એપ્સ ભારતીયોના મહત્વના ડેટાને એક્સેસ કરે છે. આવા ડેટાની ઍક્સેસનો ઉપયોગ સામૂહિક દેખરેખ માટે થઈ શકે છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.