CID ફેમ Dinesh Phadnisએ લીધી ચીર વિદાય, છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી સારવાર, ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-12-05 13:16:23

છેલ્લા ઘણા સમયથી સીઆઈડીમાં ફ્રેડરિક્સનો રોલ નિભાવનાર દિનેશ ફડનીસ જીવન અને મરણ વચ્ચે ઝઝુમી રહ્યા હતા. હોસ્પિટલમાં અનેક દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી. વેન્ટિલેટર પર તેમને રાખવામાં આવ્યા હતા. એવી આશા હતી કે તે સાજા થઈ જશે થોડા સમયમાં. તે જલ્દી સાજા થાય તે માટે તેમના ફેન્સ દ્વારા પૂજા પણ કરવામાં આવી. પરંતુ તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે. મલ્ટીપલ ઓર્ગન ફેલીયર થવાને સીઆઈડી ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું છે તેવી માહિતી સામે આવી છે. તેમના મોત અંગેની પુષ્ટિ સિરિયલમાં દયાનો રોલ નિભાવનાર અભિનેતાએ કરી છે. રવિવારે તેમની તબિયત બગડી હતી જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત નાજુક થઈ ગઈ. આજે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી છે. 

સીઆઈડી ફેમ દિનેશ ફડનીસનું નિધન


રવિવારથી ચાલી રહી હતી તેમની સારવાર!

સીઆઈડીનું નામ આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણના મનમાં બધા સીઆઈડી ઓફિસરોનો ચહેરો સામે આવી જાય. એસીપીનું કુછ તો ગડબડ હેં ડાયલોગ તો દયા દરવાજા તોડો જેવા ડાયલોગ યાદ આવી જાય.  ફ્રેડરિક્સની મજાક મસ્તી તેના દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો આપણા દિમાગમાં આવી જાય! આજે સીઆઈડીની વાત એટલા માટે કરવી છે કારણ કે તે સિરિયલમાં  ફ્રેડરિક્સનું પાત્ર નિભાવનાર દિનેશ ફડનીસે દુનિયાને અલવિદા કહી દીધી છે. રવિવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો તેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો છે તેવી વાત સામે આવી હતી પરંતુ તે બાદ એવી માહિતી સામે આવી કે લિવર ફેઈલ છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પરંતુ આજે તેમનું મૃત્યુ થઈ ગયું છે. ગઇકાલે રાત્રે 57 વર્ષીય દિનેશે આશરે 12 વાગે અંતિમ શ્વાસ લીધાં. તેમને મુંબઇની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એક્ટરના નિધન બાદથી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.