CID ફેમ Dinesh Phadnisએ લીધી ચીર વિદાય, છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી સારવાર, ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-12-05 13:16:23

છેલ્લા ઘણા સમયથી સીઆઈડીમાં ફ્રેડરિક્સનો રોલ નિભાવનાર દિનેશ ફડનીસ જીવન અને મરણ વચ્ચે ઝઝુમી રહ્યા હતા. હોસ્પિટલમાં અનેક દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી. વેન્ટિલેટર પર તેમને રાખવામાં આવ્યા હતા. એવી આશા હતી કે તે સાજા થઈ જશે થોડા સમયમાં. તે જલ્દી સાજા થાય તે માટે તેમના ફેન્સ દ્વારા પૂજા પણ કરવામાં આવી. પરંતુ તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે. મલ્ટીપલ ઓર્ગન ફેલીયર થવાને સીઆઈડી ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું છે તેવી માહિતી સામે આવી છે. તેમના મોત અંગેની પુષ્ટિ સિરિયલમાં દયાનો રોલ નિભાવનાર અભિનેતાએ કરી છે. રવિવારે તેમની તબિયત બગડી હતી જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત નાજુક થઈ ગઈ. આજે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી છે. 

સીઆઈડી ફેમ દિનેશ ફડનીસનું નિધન


રવિવારથી ચાલી રહી હતી તેમની સારવાર!

સીઆઈડીનું નામ આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણના મનમાં બધા સીઆઈડી ઓફિસરોનો ચહેરો સામે આવી જાય. એસીપીનું કુછ તો ગડબડ હેં ડાયલોગ તો દયા દરવાજા તોડો જેવા ડાયલોગ યાદ આવી જાય.  ફ્રેડરિક્સની મજાક મસ્તી તેના દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો આપણા દિમાગમાં આવી જાય! આજે સીઆઈડીની વાત એટલા માટે કરવી છે કારણ કે તે સિરિયલમાં  ફ્રેડરિક્સનું પાત્ર નિભાવનાર દિનેશ ફડનીસે દુનિયાને અલવિદા કહી દીધી છે. રવિવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો તેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો છે તેવી વાત સામે આવી હતી પરંતુ તે બાદ એવી માહિતી સામે આવી કે લિવર ફેઈલ છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પરંતુ આજે તેમનું મૃત્યુ થઈ ગયું છે. ગઇકાલે રાત્રે 57 વર્ષીય દિનેશે આશરે 12 વાગે અંતિમ શ્વાસ લીધાં. તેમને મુંબઇની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એક્ટરના નિધન બાદથી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.