CID ફેમ Dinesh Phadnisએ લીધી ચીર વિદાય, છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી સારવાર, ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-12-05 13:16:23

છેલ્લા ઘણા સમયથી સીઆઈડીમાં ફ્રેડરિક્સનો રોલ નિભાવનાર દિનેશ ફડનીસ જીવન અને મરણ વચ્ચે ઝઝુમી રહ્યા હતા. હોસ્પિટલમાં અનેક દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી. વેન્ટિલેટર પર તેમને રાખવામાં આવ્યા હતા. એવી આશા હતી કે તે સાજા થઈ જશે થોડા સમયમાં. તે જલ્દી સાજા થાય તે માટે તેમના ફેન્સ દ્વારા પૂજા પણ કરવામાં આવી. પરંતુ તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે. મલ્ટીપલ ઓર્ગન ફેલીયર થવાને સીઆઈડી ફેમ દિનેશ ફડનીસનું નિધન થયું છે તેવી માહિતી સામે આવી છે. તેમના મોત અંગેની પુષ્ટિ સિરિયલમાં દયાનો રોલ નિભાવનાર અભિનેતાએ કરી છે. રવિવારે તેમની તબિયત બગડી હતી જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત નાજુક થઈ ગઈ. આજે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી છે. 

સીઆઈડી ફેમ દિનેશ ફડનીસનું નિધન


રવિવારથી ચાલી રહી હતી તેમની સારવાર!

સીઆઈડીનું નામ આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણના મનમાં બધા સીઆઈડી ઓફિસરોનો ચહેરો સામે આવી જાય. એસીપીનું કુછ તો ગડબડ હેં ડાયલોગ તો દયા દરવાજા તોડો જેવા ડાયલોગ યાદ આવી જાય.  ફ્રેડરિક્સની મજાક મસ્તી તેના દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો આપણા દિમાગમાં આવી જાય! આજે સીઆઈડીની વાત એટલા માટે કરવી છે કારણ કે તે સિરિયલમાં  ફ્રેડરિક્સનું પાત્ર નિભાવનાર દિનેશ ફડનીસે દુનિયાને અલવિદા કહી દીધી છે. રવિવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો તેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો છે તેવી વાત સામે આવી હતી પરંતુ તે બાદ એવી માહિતી સામે આવી કે લિવર ફેઈલ છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પરંતુ આજે તેમનું મૃત્યુ થઈ ગયું છે. ગઇકાલે રાત્રે 57 વર્ષીય દિનેશે આશરે 12 વાગે અંતિમ શ્વાસ લીધાં. તેમને મુંબઇની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. એક્ટરના નિધન બાદથી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.