સર્કસ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું


  • Published By :
  • Published Date : 2022-12-02 14:36:33

સર્કસ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મ રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત છે અને આ ફિલ્મમાં રણવીરસિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કોમેડીથી ભરપૂર આ ફિલ્મ હોવાની છે. 28 નવેમ્બરના રોજ આ ફિલ્મનું ટીઝર લોન્ચ થયું હતું. આ ફિલ્મમાં રણવીરસિંહ ઉપરાંત જોની લિવર, વરુણ શર્મા, જેક્લીન ફર્નાન્ડીઝ, સિદ્ધાર્થ જાઘવ, વિજય પાટકર સહિતના કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે. રોહિત શેટ્ટી એમ પણ કોમેડી ફિલ્મ કરવા માટે જાણીતા છે.

થોડા સમય પહેલા રિલીઝ થયું હતું ફિલ્મનું ટીઝર 

આ ફિલ્મ કયા થીમ પર આધારીત છે તેની માહિતી ટીઝરમાં જોવા મળી ગઈ હતી. ટીઝરમાં જ બનાવી દેવામાં આવ્યું હતું કે રણવીરસિંહ ડબલ રોલમાં છે. મુખ્યત્વે આ ફિલ્મ 1982માં રિલીઝ થયેલી અંગૂર ફિલ્મ પર આધારીત છે. આ ફિલ્મમાં એ જમાનાની વાત કરવામાં આવશે જ્યારે લાઉફ એકદમ સિંપલ હતી. આ ફિલ્મ 1960ના સમયમાં આપણને પાછા લઈ જશે. જ્યારે આ ફિલ્મ ક્રિસ્મસના સમય દરમિયાન જોવા મળશે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી