સર્કસ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું


  • Published By :
  • Published Date : 2022-12-02 14:36:33

સર્કસ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મ રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત છે અને આ ફિલ્મમાં રણવીરસિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કોમેડીથી ભરપૂર આ ફિલ્મ હોવાની છે. 28 નવેમ્બરના રોજ આ ફિલ્મનું ટીઝર લોન્ચ થયું હતું. આ ફિલ્મમાં રણવીરસિંહ ઉપરાંત જોની લિવર, વરુણ શર્મા, જેક્લીન ફર્નાન્ડીઝ, સિદ્ધાર્થ જાઘવ, વિજય પાટકર સહિતના કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે. રોહિત શેટ્ટી એમ પણ કોમેડી ફિલ્મ કરવા માટે જાણીતા છે.

થોડા સમય પહેલા રિલીઝ થયું હતું ફિલ્મનું ટીઝર 

આ ફિલ્મ કયા થીમ પર આધારીત છે તેની માહિતી ટીઝરમાં જોવા મળી ગઈ હતી. ટીઝરમાં જ બનાવી દેવામાં આવ્યું હતું કે રણવીરસિંહ ડબલ રોલમાં છે. મુખ્યત્વે આ ફિલ્મ 1982માં રિલીઝ થયેલી અંગૂર ફિલ્મ પર આધારીત છે. આ ફિલ્મમાં એ જમાનાની વાત કરવામાં આવશે જ્યારે લાઉફ એકદમ સિંપલ હતી. આ ફિલ્મ 1960ના સમયમાં આપણને પાછા લઈ જશે. જ્યારે આ ફિલ્મ ક્રિસ્મસના સમય દરમિયાન જોવા મળશે.  




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.