સર્કસ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું


  • Published By :
  • Published Date : 2022-12-02 14:36:33

સર્કસ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મ રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત છે અને આ ફિલ્મમાં રણવીરસિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કોમેડીથી ભરપૂર આ ફિલ્મ હોવાની છે. 28 નવેમ્બરના રોજ આ ફિલ્મનું ટીઝર લોન્ચ થયું હતું. આ ફિલ્મમાં રણવીરસિંહ ઉપરાંત જોની લિવર, વરુણ શર્મા, જેક્લીન ફર્નાન્ડીઝ, સિદ્ધાર્થ જાઘવ, વિજય પાટકર સહિતના કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે. રોહિત શેટ્ટી એમ પણ કોમેડી ફિલ્મ કરવા માટે જાણીતા છે.

થોડા સમય પહેલા રિલીઝ થયું હતું ફિલ્મનું ટીઝર 

આ ફિલ્મ કયા થીમ પર આધારીત છે તેની માહિતી ટીઝરમાં જોવા મળી ગઈ હતી. ટીઝરમાં જ બનાવી દેવામાં આવ્યું હતું કે રણવીરસિંહ ડબલ રોલમાં છે. મુખ્યત્વે આ ફિલ્મ 1982માં રિલીઝ થયેલી અંગૂર ફિલ્મ પર આધારીત છે. આ ફિલ્મમાં એ જમાનાની વાત કરવામાં આવશે જ્યારે લાઉફ એકદમ સિંપલ હતી. આ ફિલ્મ 1960ના સમયમાં આપણને પાછા લઈ જશે. જ્યારે આ ફિલ્મ ક્રિસ્મસના સમય દરમિયાન જોવા મળશે.  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .