સર્કસ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું


  • Published By :
  • Published Date : 2022-12-02 14:36:33

સર્કસ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ફિલ્મ રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત છે અને આ ફિલ્મમાં રણવીરસિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કોમેડીથી ભરપૂર આ ફિલ્મ હોવાની છે. 28 નવેમ્બરના રોજ આ ફિલ્મનું ટીઝર લોન્ચ થયું હતું. આ ફિલ્મમાં રણવીરસિંહ ઉપરાંત જોની લિવર, વરુણ શર્મા, જેક્લીન ફર્નાન્ડીઝ, સિદ્ધાર્થ જાઘવ, વિજય પાટકર સહિતના કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે. રોહિત શેટ્ટી એમ પણ કોમેડી ફિલ્મ કરવા માટે જાણીતા છે.

થોડા સમય પહેલા રિલીઝ થયું હતું ફિલ્મનું ટીઝર 

આ ફિલ્મ કયા થીમ પર આધારીત છે તેની માહિતી ટીઝરમાં જોવા મળી ગઈ હતી. ટીઝરમાં જ બનાવી દેવામાં આવ્યું હતું કે રણવીરસિંહ ડબલ રોલમાં છે. મુખ્યત્વે આ ફિલ્મ 1982માં રિલીઝ થયેલી અંગૂર ફિલ્મ પર આધારીત છે. આ ફિલ્મમાં એ જમાનાની વાત કરવામાં આવશે જ્યારે લાઉફ એકદમ સિંપલ હતી. આ ફિલ્મ 1960ના સમયમાં આપણને પાછા લઈ જશે. જ્યારે આ ફિલ્મ ક્રિસ્મસના સમય દરમિયાન જોવા મળશે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.