કોલકાત્તામાં ISF અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જનો ઉપયોગ


  • Published By :
  • Published Date : 2023-01-22 10:16:38

શનિવારે કોલકાત્તામાં ઈન્ડિયન સેક્યુલર ફ્રંટ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શન કરવા એકત્ર થયેલા આઈએસએફના કાર્યકર્તાઓને હટાવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસ પણ છોડવો પડ્યો હતો. આ ધર્ષણનો વીડિયો સામે આવ્યો છે. ઘર્ષણમાં પોલીસ કર્મીઓ અને પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. આ ઘટનાને લઈ અંદાજીત 19 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

हजारों कार्यकर्ता TMC नेता अरबुल इस्लाम की गिरफ्तारी के लिए प्रदर्शन कर रहे थे।


ISFના કાર્યકર્તાએ કર્યું પ્રદર્શન 

કોલકાત્તામાં પોલીસે લાઠીચાર્જ કરવો પડે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શનિવારે સાંજના સમયે એસ્પ્લેનેડ વિસ્તારમાં ISFના કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ લોકોનું કહેવું હતું કે એક રેલી દરમિયાન TMCના કાર્યકર્તાઓએ  ISFના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. જેને લઈને કાર્યકર્તાઓ ઘાયલ થઈ ગયા હતા.TMCના નેતા અરબુલ ઈસ્લામની ધરપકડ કરવામાં આવે તેવી માગ તેઓ કરી રહ્યા છે. 

आरोप है कि ISF कार्यकर्ताओं ने पुलिस पर पथराव भी किया।


પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો કર્યો ઉપયોગ  

હજારોની સંખ્યમાં કાર્યકર્તાઓ પ્રદર્શનમાં સામેલ હતા. જેને કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. રસ્તો ખાલી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓએ ના પાડી. રસ્તો ખાલી કરાવા પોલીસે લાઠીચાર્જનો ઉપરાંત ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસે ISFના નેતા અને વિધાયક નૌશાદ સિદ્દીકીને પણ હિરાસતમાં લઈ લીધા છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.