કોલકાત્તામાં ISF અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જનો ઉપયોગ


  • Published By :
  • Published Date : 2023-01-22 10:16:38

શનિવારે કોલકાત્તામાં ઈન્ડિયન સેક્યુલર ફ્રંટ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શન કરવા એકત્ર થયેલા આઈએસએફના કાર્યકર્તાઓને હટાવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસ પણ છોડવો પડ્યો હતો. આ ધર્ષણનો વીડિયો સામે આવ્યો છે. ઘર્ષણમાં પોલીસ કર્મીઓ અને પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. આ ઘટનાને લઈ અંદાજીત 19 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

हजारों कार्यकर्ता TMC नेता अरबुल इस्लाम की गिरफ्तारी के लिए प्रदर्शन कर रहे थे।


ISFના કાર્યકર્તાએ કર્યું પ્રદર્શન 

કોલકાત્તામાં પોલીસે લાઠીચાર્જ કરવો પડે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શનિવારે સાંજના સમયે એસ્પ્લેનેડ વિસ્તારમાં ISFના કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ લોકોનું કહેવું હતું કે એક રેલી દરમિયાન TMCના કાર્યકર્તાઓએ  ISFના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો. જેને લઈને કાર્યકર્તાઓ ઘાયલ થઈ ગયા હતા.TMCના નેતા અરબુલ ઈસ્લામની ધરપકડ કરવામાં આવે તેવી માગ તેઓ કરી રહ્યા છે. 

आरोप है कि ISF कार्यकर्ताओं ने पुलिस पर पथराव भी किया।


પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો કર્યો ઉપયોગ  

હજારોની સંખ્યમાં કાર્યકર્તાઓ પ્રદર્શનમાં સામેલ હતા. જેને કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. રસ્તો ખાલી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રદર્શન કરી રહેલા કાર્યકર્તાઓએ ના પાડી. રસ્તો ખાલી કરાવા પોલીસે લાઠીચાર્જનો ઉપરાંત ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. પોલીસે ISFના નેતા અને વિધાયક નૌશાદ સિદ્દીકીને પણ હિરાસતમાં લઈ લીધા છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.