ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ કરતા દેશમાં 339 અને ગુજરાતમાં 28 લોકોના મોત: કેન્દ્ર


  • Published By :
  • Published Date : 2023-07-25 19:37:35

મેન્યુઅલ સ્કેવેજિંગ મેલુ ઉપાડવાનું કામ કાયદાની રીતે તો પ્રતિબંધિત છે જ, પરંતુ માનવીય દૃષ્ટિએ જોતા પણ સ્વીકાર્ય નથી. જો કે દેશમાં હજુ પણ આ પ્રથા અસ્તિત્વમાં છે, ગરીબી અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવને કારણે ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યોમાં છેલ્લા ત્રણ દાયકામાં ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ એટલે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કારણે શ્રમિકોના મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. લોકસભાના ચોમાસું સત્ર દરમિયાન સરકારે આપેલી જાણકારી મુજબ ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં 339 લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે ગુજરાતમાં વર્ષ 2018થી 2023 સુધીમાં 28 લોકોના મોત નીપજ્યાં હતા.


મંત્રી રામદાસ આઠવલેએ આપી જાણકારી


લોકસભાના ચોમાસું સત્ર દરમિયાન પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ જાણકારી આપી હતી. લોકસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયને ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરવા સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મંત્રી રામદાસ આઠવલેના જણાવ્યા પ્રમાણે દેશમાં ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરવા દરમિયાન 339 લોકોના મોત થયા છે. દેશમાં 2023માં 9, 2022માં 66, 2021માં 55, 2020માં 22, 2019માં 117 અને 2018માં 67 લોકોના મોત નીપજ્યાં હતા.


ગુજરાતમાં સફાઈ કામદારોના મોતે ચિંતા વધારી


ગુજરાતમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલા કામદારોના મોતે આ મુદ્દાને ચર્ચાનો વિષય બનાવી દીધો છે. લોકસભામાં જણાવવામાં આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં 2018થી 2023 સુધીમાં કુલ 28 લોકોના ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે મૃત્યુ થયા હતા. સૌથી વધુ મોત 2019માં નોંધાયા હતા. વર્ષ અનુસાર જોઇએ તો 2018માં 2, 2019માં 14, 2021માં 5, 2022માં 4 અને 2023માં 3 લોકોના મોત નીપજ્યાં હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આ પૂર્વે જાહેર થયેલા સફાઈ કામદારોના મોત આંકડા મુજબ ગુજરાત દેશભરમાં બીજા ક્રમાંકે હતું જ્યારે તમિળનાડુ પહેલા ક્રમે હતું જ્યાં ત્રણ દાયકામાં 218 જણે જીવ ગુમાવ્યા હતા.જ્યારે ગુજરાતમાં 136 જણે જીવ ગુમાવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં 105, દિલ્હીમાં 99 તો મહારાષ્ટ્રમાં 45 જણે જીવ ગુમાવ્યા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.