ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ કરતા દેશમાં 339 અને ગુજરાતમાં 28 લોકોના મોત: કેન્દ્ર


  • Published By :
  • Published Date : 2023-07-25 19:37:35

મેન્યુઅલ સ્કેવેજિંગ મેલુ ઉપાડવાનું કામ કાયદાની રીતે તો પ્રતિબંધિત છે જ, પરંતુ માનવીય દૃષ્ટિએ જોતા પણ સ્વીકાર્ય નથી. જો કે દેશમાં હજુ પણ આ પ્રથા અસ્તિત્વમાં છે, ગરીબી અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવને કારણે ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યોમાં છેલ્લા ત્રણ દાયકામાં ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ એટલે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કારણે શ્રમિકોના મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. લોકસભાના ચોમાસું સત્ર દરમિયાન સરકારે આપેલી જાણકારી મુજબ ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં 339 લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે ગુજરાતમાં વર્ષ 2018થી 2023 સુધીમાં 28 લોકોના મોત નીપજ્યાં હતા.


મંત્રી રામદાસ આઠવલેએ આપી જાણકારી


લોકસભાના ચોમાસું સત્ર દરમિયાન પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ જાણકારી આપી હતી. લોકસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયને ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરવા સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. મંત્રી રામદાસ આઠવલેના જણાવ્યા પ્રમાણે દેશમાં ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરવા દરમિયાન 339 લોકોના મોત થયા છે. દેશમાં 2023માં 9, 2022માં 66, 2021માં 55, 2020માં 22, 2019માં 117 અને 2018માં 67 લોકોના મોત નીપજ્યાં હતા.


ગુજરાતમાં સફાઈ કામદારોના મોતે ચિંતા વધારી


ગુજરાતમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલા કામદારોના મોતે આ મુદ્દાને ચર્ચાનો વિષય બનાવી દીધો છે. લોકસભામાં જણાવવામાં આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં 2018થી 2023 સુધીમાં કુલ 28 લોકોના ગટર અને સેપ્ટિક ટાંકીઓ સાફ કરતી વખતે મૃત્યુ થયા હતા. સૌથી વધુ મોત 2019માં નોંધાયા હતા. વર્ષ અનુસાર જોઇએ તો 2018માં 2, 2019માં 14, 2021માં 5, 2022માં 4 અને 2023માં 3 લોકોના મોત નીપજ્યાં હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આ પૂર્વે જાહેર થયેલા સફાઈ કામદારોના મોત આંકડા મુજબ ગુજરાત દેશભરમાં બીજા ક્રમાંકે હતું જ્યારે તમિળનાડુ પહેલા ક્રમે હતું જ્યાં ત્રણ દાયકામાં 218 જણે જીવ ગુમાવ્યા હતા.જ્યારે ગુજરાતમાં 136 જણે જીવ ગુમાવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં 105, દિલ્હીમાં 99 તો મહારાષ્ટ્રમાં 45 જણે જીવ ગુમાવ્યા હતા.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .