ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડવાની શરૂઆત થઈ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-29 16:00:34

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે  આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખુબ મોટો ઝટકો લાગ્યો છે , આમ આદમી પાર્ટીના અગ્રણી અને અમદાવાદના દિગ્ગજ નેતા ચેતન રાવલે પાર્ટીમાંથી રાજીનામું આપીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. અંગત કારણોસર રાજીનામાનો પત્ર તેમણે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને મોકલી આપ્યો છે.

Chetan Raval Resignation: ચેતન રાવલે હવે AAPમાંથી આપ્યું રાજીનામું,  કોંગ્રેસમાં વાપસીની અટકળો

ચેતન રાવલ હાલમાં ગોવા AAPના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. સાથે જ આપમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી રહી ચુક્યા છે.  તેમના રાજીનામાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ચેતન રાવલ અગાઉ કોંગ્રેસના નેતા હતા અને તેમણે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. હવે એવી અટકળો ચાલી રહી છે કે, આગામી દિવસોમાં ચેતન રાવલ ફરીથી કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી શકે છે. તેમના આ નિર્ણયથી ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણ સર્જાશે. 

Gujarat AAP leader Chetan Rawal quits party | DeshGujarat

વાત કરીએ , ચેતન રાવલની રાજકીય કારકિર્દીની તો , ચેતન રાવલ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે. ચેતન રાવલ અમદાવાદની બે બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. અમદાવાદના અસારવા અને ખાડિયા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા રહી ચૂક્યા છે. આ સાથે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આમ હવે ચેતન રાવલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. તો આ અગાઉ , આમ આદમી પાર્ટીમાંથી કરસનદાસ બાપુએ રાજીનામુ આપી દીધી હતું. થોડાક સમય પેહલા , આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની હાજરીમાં સદસ્યતા અભિયાન શરુ કર્યું હતું . જે અંતર્ગત ખુબ મોટાપાયે BJP અને કોંગ્રેસના કાર્યકરો આપમાં જોડાયા હતા. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.