ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડવાની શરૂઆત થઈ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-29 16:00:34

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે  આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ખુબ મોટો ઝટકો લાગ્યો છે , આમ આદમી પાર્ટીના અગ્રણી અને અમદાવાદના દિગ્ગજ નેતા ચેતન રાવલે પાર્ટીમાંથી રાજીનામું આપીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. અંગત કારણોસર રાજીનામાનો પત્ર તેમણે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીને મોકલી આપ્યો છે.

Chetan Raval Resignation: ચેતન રાવલે હવે AAPમાંથી આપ્યું રાજીનામું,  કોંગ્રેસમાં વાપસીની અટકળો

ચેતન રાવલ હાલમાં ગોવા AAPના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. સાથે જ આપમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી રહી ચુક્યા છે.  તેમના રાજીનામાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ચેતન રાવલ અગાઉ કોંગ્રેસના નેતા હતા અને તેમણે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. હવે એવી અટકળો ચાલી રહી છે કે, આગામી દિવસોમાં ચેતન રાવલ ફરીથી કોંગ્રેસમાં 'ઘરવાપસી' કરી શકે છે. તેમના આ નિર્ણયથી ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણ સર્જાશે. 

Gujarat AAP leader Chetan Rawal quits party | DeshGujarat

વાત કરીએ , ચેતન રાવલની રાજકીય કારકિર્દીની તો , ચેતન રાવલ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે. ચેતન રાવલ અમદાવાદની બે બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. અમદાવાદના અસારવા અને ખાડિયા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા રહી ચૂક્યા છે. આ સાથે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આમ હવે ચેતન રાવલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. તો આ અગાઉ , આમ આદમી પાર્ટીમાંથી કરસનદાસ બાપુએ રાજીનામુ આપી દીધી હતું. થોડાક સમય પેહલા , આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની હાજરીમાં સદસ્યતા અભિયાન શરુ કર્યું હતું . જે અંતર્ગત ખુબ મોટાપાયે BJP અને કોંગ્રેસના કાર્યકરો આપમાં જોડાયા હતા. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.