રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં મનસુખ સાગઠીયાના જામીન મંજુર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-09-02 17:24:51

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે. 

Rajkot game zone fire: Two cops, civic staff among six officials suspended  for negligence - The Hindu

મેં ૨૦૨૪માં રાજકોટ TRP ગેમઝોનમાં થયેલું અગ્નિ કાંડ કે જેના કારણે , ખુબ મોટી સંખ્યામાં લોકો મૃત્યુને ભેટ્યા હતા. હવે આ કેસમાં આરોપી RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. પરંતુ , મનસુખ સાગઠીયાને હાલ જેલમાંથી મુક્તિ નહીં મળે. તેઓ હજુ પણ બે અન્ય કેસમાં જેલમાં રહેશે. જેમાં બોગસ મિનિટ્સ બુક અને અપ્રમાણસર મિલકતના કેસનો સમાવેશ થાય છે, જેમાં તેમને જામીન મળવાના બાકી છે. આ ઉપરાંત , EDએ મનસુખ સાગઠિયા સામે બીજી ફરિયાદની મંજૂરી માંગી હતી, જેને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જનરલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં જો ED આગામી દિવસોમાં પુરાવા એકત્રિત કરીને ફરિયાદ દાખલ કરે છે, તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાના વકીલે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી વખતે એવી દલીલ કરી હતી કે , આ કેસમાં કુલ 365 સાક્ષીઓ છે, જેમની તપાસમાં ઘણો સમય લાગી શકે છે. આરોપી છેલ્લા 15 મહિનાથી જેલમાં છે અને આ કેસમાં ટ્રાયલ માત્ર એક મહિના પહેલા જ શરૂ થઈ છે. આ ઉપરાંત, એવી પણ દલીલ કરવામાં આવી હતી કે જો આ કેસમાં સંડોવાયેલા એટીપીને જામીન આપવામાં આવે છે, તો ટીપીઓને પણ જામીન પર મુક્ત કરવા જોઈએ અને આ સાથે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પોતે દોઢ મહિના પહેલા ઇલેશ ખેરને જામીન પર મુક્ત કર્યા છે, જે મ્યુનિસિપલ અધિકારી પણ હતા, તો મનસુખ સાગઠિયાને પણ જામીન પર મુક્ત કરવા જોઈએ, જેને સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી છે અને મનસુખ સાગઠીયાને જામીન પર મુક્ત કરવાનો આદેશ સુપ્રીમે કોર્ટે આપ્યો છે.

Rajkot fire: Missing co-owner of TRP Game Zone died in blaze, DNA test  confirms | Latest News India - Hindustan Times

 રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના 5 દિવસ બાદ રાજકોટ શહેર પોલીસે 30 મે ના રોજ RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાની ધરપકડ કરી હતી.  આ દરમિયાન ACB  મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો કેસ પણ નોંધ્યો હતો અને તપાસ દરમિયાન સાગઠિયાના ઘર તેમજ ઓફિસ સહિતના ઠેકાણાઓથી 16 કરોડ રૂપિયાની કિંમતનું 22 કિલો સોનુ અને 3 કરોડ કેશ જપ્ત કર્યા હતા. ઉપરાંત કેટલીક રોકડ અને ગોલ્ડ તેના ભાઈની ઓફિસમાંથી જપ્ત કરવામાં આવ્યુ હતુ. સાગઠિયાએ  અને તેના પરિવારજનોના નામે એકત્ર કરેલી 23.15 કરોડની મિલકત ટાંચમાં લેવાનો સરકારે આદેશ કર્યો હતો. જે બાદ ACB ની તપાસમાં સાગઠિયાની કાયદેસરની આવક કરતા 628.42 ટકા વધુ અપ્રમાણસર મિલક્ત મળી આવી હતી. જે બાદ ભ્રષ્ટાચારની કલમ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ TRP ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા જવાબદાર અધિકારીઓ સહિતના કુલ 16 આરોપી સામે ગુનો નોંધી 15 આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ચાર્જશીટ થયા બાદ અદાલતમાં આરોપીઓ દ્વારા જામીન પર છૂટવા માટે અરજી કરવામાં આવતા અત્યારસુધી કુલ 6 આરોપીને જામીન આપવામાં આવ્યા છે. 16 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા મનપાના અધિકારી ઈલેશ ખેરને જામીનમુક્ત કરવા ઓર્ડર કર્યો હતો.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.