ચૈતર વસાવાનો જેલવાસ હજુ વધારે લંબાયો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-08-28 15:30:36

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે . 

Gujarat HC allows AAP's Chaitar Vasava to enter Narmada dist till June 12 |  Ahmedabad News - The Indian Express

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા છેલ્લી ૫મી જુલાઈથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે પરંતુ, જયારે તેઓ નીચલી કોર્ટમાં જામીન માટે અપીલ કરે છે ત્યારે આ જામીન અરજી ફગાવવામાં આવે છે. તો તે પછી દેદિયાપાડાના MLA ચૈતર વસાવાએ હવે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી માટે અપીલ કરી હતી. પરંતુ કોઈ ને કોઈ કારણોસર ગુજરાત હાઇકોર્ટમાં આ જામીન અરજી પર સુનાવણી ટળી જાય છે. કોઈક વાર , સરકારી વકીલ જવાબ નથી આપી શકતા તો , ક્યારેક MLA ચૈતર વસાવાના પોતાના વકીલ પણ સમય માંગી લે છે . તો હવે ગુજરાત હાઇકોર્ટમાં વકીલોની હડતાળના કારણે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે. 

AAP MLA Chaitar Vasava detained while on way to surrender in Gujarat

આ પેહલા , ૧૩મી ઓગસ્ટ ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હતી પરંતુ તે પછી હવે , હવે આજના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવવાની હતી પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે. કેમ કે , ચૈતર વસાવાના વકીલો પણ કોર્ટરૂમમાં સુનાવણીથી અળગા રહેશે. આ પહેલાં નીચલી કોર્ટ અને સેસન્સ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, ત્યારબાદ AAP નેતાએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હવે વાત કરીએ , આખી ઘટનાની તો , નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે 5 જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

 




As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.

ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.