GSRTCમાં લોકોને અપાયો સ્વચ્છતાનો ઉપદ્દેશ! ST Busને સાફ રાખવા માટે કરાઈ અપીલ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-06 18:05:36

આપણે ત્યાં કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે.અનેક જગ્યાઓ એવી હોય છે જ્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હોય છે. અનેક જાહેર રસ્તાઓ એવા છે જ્યાં કચરાનો ઢગલો હોય છે. અનેક સરકારી જગ્યાઓ એવી હોય છે જ્યાં કચરો જોવા મળે છે, એવી દુર્દશા બિલ્ડીંગની હોય છે જ્યાં આવવું પણ ન ગમે. એસટી બસ ડેપોમાં પણ ઘણી વખત સફાઈનો  અભાવ દેખાતો હોય છે. અનેક બસ ડેપો એવા છે જ્યાંથી ગંદકીના દ્રશ્યો સામે આવતા હોય છે, જેને જોઈ લાગે છે કે સ્વચ્છતા અભિયાનની વધારે જરૂર આ જગ્યાને છે...! 

એસટી બસમાં અનેક વખત જોવા મળતો હોય છે સ્વચ્છતાનો અભાવ

દેશમાં ઘણા વર્ષોથી સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકોમાં સફાઈને લઈ જાગૃતિ આવે તે માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિવિધ રીતે લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એસટી બસમાં પણ સફાઈનો અભાવ જોવા મળતો હોય છે. ત્યારે એસટી બસમાં સ્વચ્છતા જળવાય અને લોકો આ અભિયાન અંગે જાગૃત થાય તે માટે એક નવો પ્રયત્ન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જીએસઆરટીસી દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લોકોને કચરા પેટીને લઈ માહિતગાર કરવામાં આવી રહ્યા છે.     



લોકોમાં જાગૃત્તિ લાવવા કરાયો અનોખો પ્રયાસ 

સોશિયલ મીડિયા પર જીએસઆરટીસી વિભાગ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લોકોને અભિયાન વિશે, આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ, કચરા પેટીનો ઉપયોગ કરવો જોઈએ તેવી માહિતી ગીત દ્વારા આપવામાં આવી રહી છે. એસટી બસમાં મુસાફરી કરી રહેલા લોકોને જાગૃત કરવાની વાત કરી રહ્યા છે. મહત્વનું છે કે આની પહેલા પણ આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા છે. 


સ્વચ્છતા જાળવવાની આપણી પણ છે જવાબદારી! 

મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે, કદાચ તમે પણ અનુભવ કર્યો હશે કે જ્યારે કોઈ બીજુ રસ્તા પર કચરો નાખતો હશે તો તેને સલાહ આપવામાં આવતી હશે કે આવી રીતે રસ્તાને ખરાબ ન કરાય, પરંતુ કદાચ જે સલાહ એ બીજાને આપી રહ્યા છે તેનો અમલ લગભગ તે જ નહીં કરતા હોય! સ્વચ્છતા અભિયાન એક અભિયાન પૂરતું સીમિત ન રહી જાય તેનું ધ્યાન પણ આપણે રાખવું જોઈએ. After all આ શહેર આપણું છે, આ દેશ આપણો છે...               



ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. ગુજરાતમાં સરેરાશ 59.49 ટકા મતદાન થયું છે.. મહત્વનું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના સિટીંગ ધારાસભ્યને ટિકીટ આપી હતી. એ બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો.

ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..