GSRTCમાં લોકોને અપાયો સ્વચ્છતાનો ઉપદ્દેશ! ST Busને સાફ રાખવા માટે કરાઈ અપીલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-06 18:05:36

આપણે ત્યાં કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે.અનેક જગ્યાઓ એવી હોય છે જ્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હોય છે. અનેક જાહેર રસ્તાઓ એવા છે જ્યાં કચરાનો ઢગલો હોય છે. અનેક સરકારી જગ્યાઓ એવી હોય છે જ્યાં કચરો જોવા મળે છે, એવી દુર્દશા બિલ્ડીંગની હોય છે જ્યાં આવવું પણ ન ગમે. એસટી બસ ડેપોમાં પણ ઘણી વખત સફાઈનો  અભાવ દેખાતો હોય છે. અનેક બસ ડેપો એવા છે જ્યાંથી ગંદકીના દ્રશ્યો સામે આવતા હોય છે, જેને જોઈ લાગે છે કે સ્વચ્છતા અભિયાનની વધારે જરૂર આ જગ્યાને છે...! 

એસટી બસમાં અનેક વખત જોવા મળતો હોય છે સ્વચ્છતાનો અભાવ

દેશમાં ઘણા વર્ષોથી સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકોમાં સફાઈને લઈ જાગૃતિ આવે તે માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિવિધ રીતે લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એસટી બસમાં પણ સફાઈનો અભાવ જોવા મળતો હોય છે. ત્યારે એસટી બસમાં સ્વચ્છતા જળવાય અને લોકો આ અભિયાન અંગે જાગૃત થાય તે માટે એક નવો પ્રયત્ન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જીએસઆરટીસી દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લોકોને કચરા પેટીને લઈ માહિતગાર કરવામાં આવી રહ્યા છે.     



લોકોમાં જાગૃત્તિ લાવવા કરાયો અનોખો પ્રયાસ 

સોશિયલ મીડિયા પર જીએસઆરટીસી વિભાગ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લોકોને અભિયાન વિશે, આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ, કચરા પેટીનો ઉપયોગ કરવો જોઈએ તેવી માહિતી ગીત દ્વારા આપવામાં આવી રહી છે. એસટી બસમાં મુસાફરી કરી રહેલા લોકોને જાગૃત કરવાની વાત કરી રહ્યા છે. મહત્વનું છે કે આની પહેલા પણ આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા છે. 


સ્વચ્છતા જાળવવાની આપણી પણ છે જવાબદારી! 

મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે, કદાચ તમે પણ અનુભવ કર્યો હશે કે જ્યારે કોઈ બીજુ રસ્તા પર કચરો નાખતો હશે તો તેને સલાહ આપવામાં આવતી હશે કે આવી રીતે રસ્તાને ખરાબ ન કરાય, પરંતુ કદાચ જે સલાહ એ બીજાને આપી રહ્યા છે તેનો અમલ લગભગ તે જ નહીં કરતા હોય! સ્વચ્છતા અભિયાન એક અભિયાન પૂરતું સીમિત ન રહી જાય તેનું ધ્યાન પણ આપણે રાખવું જોઈએ. After all આ શહેર આપણું છે, આ દેશ આપણો છે...               



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.