GSRTCમાં લોકોને અપાયો સ્વચ્છતાનો ઉપદ્દેશ! ST Busને સાફ રાખવા માટે કરાઈ અપીલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-06 18:05:36

આપણે ત્યાં કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે.અનેક જગ્યાઓ એવી હોય છે જ્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હોય છે. અનેક જાહેર રસ્તાઓ એવા છે જ્યાં કચરાનો ઢગલો હોય છે. અનેક સરકારી જગ્યાઓ એવી હોય છે જ્યાં કચરો જોવા મળે છે, એવી દુર્દશા બિલ્ડીંગની હોય છે જ્યાં આવવું પણ ન ગમે. એસટી બસ ડેપોમાં પણ ઘણી વખત સફાઈનો  અભાવ દેખાતો હોય છે. અનેક બસ ડેપો એવા છે જ્યાંથી ગંદકીના દ્રશ્યો સામે આવતા હોય છે, જેને જોઈ લાગે છે કે સ્વચ્છતા અભિયાનની વધારે જરૂર આ જગ્યાને છે...! 

એસટી બસમાં અનેક વખત જોવા મળતો હોય છે સ્વચ્છતાનો અભાવ

દેશમાં ઘણા વર્ષોથી સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકોમાં સફાઈને લઈ જાગૃતિ આવે તે માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિવિધ રીતે લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એસટી બસમાં પણ સફાઈનો અભાવ જોવા મળતો હોય છે. ત્યારે એસટી બસમાં સ્વચ્છતા જળવાય અને લોકો આ અભિયાન અંગે જાગૃત થાય તે માટે એક નવો પ્રયત્ન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જીએસઆરટીસી દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લોકોને કચરા પેટીને લઈ માહિતગાર કરવામાં આવી રહ્યા છે.     



લોકોમાં જાગૃત્તિ લાવવા કરાયો અનોખો પ્રયાસ 

સોશિયલ મીડિયા પર જીએસઆરટીસી વિભાગ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લોકોને અભિયાન વિશે, આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ, કચરા પેટીનો ઉપયોગ કરવો જોઈએ તેવી માહિતી ગીત દ્વારા આપવામાં આવી રહી છે. એસટી બસમાં મુસાફરી કરી રહેલા લોકોને જાગૃત કરવાની વાત કરી રહ્યા છે. મહત્વનું છે કે આની પહેલા પણ આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા છે. 


સ્વચ્છતા જાળવવાની આપણી પણ છે જવાબદારી! 

મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે, કદાચ તમે પણ અનુભવ કર્યો હશે કે જ્યારે કોઈ બીજુ રસ્તા પર કચરો નાખતો હશે તો તેને સલાહ આપવામાં આવતી હશે કે આવી રીતે રસ્તાને ખરાબ ન કરાય, પરંતુ કદાચ જે સલાહ એ બીજાને આપી રહ્યા છે તેનો અમલ લગભગ તે જ નહીં કરતા હોય! સ્વચ્છતા અભિયાન એક અભિયાન પૂરતું સીમિત ન રહી જાય તેનું ધ્યાન પણ આપણે રાખવું જોઈએ. After all આ શહેર આપણું છે, આ દેશ આપણો છે...               



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે