GSRTCમાં લોકોને અપાયો સ્વચ્છતાનો ઉપદ્દેશ! ST Busને સાફ રાખવા માટે કરાઈ અપીલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-06 18:05:36

આપણે ત્યાં કહેવાય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એટલે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે.અનેક જગ્યાઓ એવી હોય છે જ્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હોય છે. અનેક જાહેર રસ્તાઓ એવા છે જ્યાં કચરાનો ઢગલો હોય છે. અનેક સરકારી જગ્યાઓ એવી હોય છે જ્યાં કચરો જોવા મળે છે, એવી દુર્દશા બિલ્ડીંગની હોય છે જ્યાં આવવું પણ ન ગમે. એસટી બસ ડેપોમાં પણ ઘણી વખત સફાઈનો  અભાવ દેખાતો હોય છે. અનેક બસ ડેપો એવા છે જ્યાંથી ગંદકીના દ્રશ્યો સામે આવતા હોય છે, જેને જોઈ લાગે છે કે સ્વચ્છતા અભિયાનની વધારે જરૂર આ જગ્યાને છે...! 

એસટી બસમાં અનેક વખત જોવા મળતો હોય છે સ્વચ્છતાનો અભાવ

દેશમાં ઘણા વર્ષોથી સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. લોકોમાં સફાઈને લઈ જાગૃતિ આવે તે માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. વિવિધ રીતે લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. એસટી બસમાં પણ સફાઈનો અભાવ જોવા મળતો હોય છે. ત્યારે એસટી બસમાં સ્વચ્છતા જળવાય અને લોકો આ અભિયાન અંગે જાગૃત થાય તે માટે એક નવો પ્રયત્ન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જીએસઆરટીસી દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લોકોને કચરા પેટીને લઈ માહિતગાર કરવામાં આવી રહ્યા છે.     



લોકોમાં જાગૃત્તિ લાવવા કરાયો અનોખો પ્રયાસ 

સોશિયલ મીડિયા પર જીએસઆરટીસી વિભાગ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લોકોને અભિયાન વિશે, આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ, કચરા પેટીનો ઉપયોગ કરવો જોઈએ તેવી માહિતી ગીત દ્વારા આપવામાં આવી રહી છે. એસટી બસમાં મુસાફરી કરી રહેલા લોકોને જાગૃત કરવાની વાત કરી રહ્યા છે. મહત્વનું છે કે આની પહેલા પણ આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા છે. 


સ્વચ્છતા જાળવવાની આપણી પણ છે જવાબદારી! 

મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે, કદાચ તમે પણ અનુભવ કર્યો હશે કે જ્યારે કોઈ બીજુ રસ્તા પર કચરો નાખતો હશે તો તેને સલાહ આપવામાં આવતી હશે કે આવી રીતે રસ્તાને ખરાબ ન કરાય, પરંતુ કદાચ જે સલાહ એ બીજાને આપી રહ્યા છે તેનો અમલ લગભગ તે જ નહીં કરતા હોય! સ્વચ્છતા અભિયાન એક અભિયાન પૂરતું સીમિત ન રહી જાય તેનું ધ્યાન પણ આપણે રાખવું જોઈએ. After all આ શહેર આપણું છે, આ દેશ આપણો છે...               



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.