PM મોદીને 'અભણ' કહ્યા તો CM કેજરીવાલ સામે પટણામાં નોંધાયો કેસ, જાણો સમગ્ર મામલો શું હતો


  • Published By :
  • Published Date : 2023-05-23 19:06:47

બિહારમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. CM અરવિંદ કેજરીવાલ સામે પટનાની CJM કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. RBI દ્વારા 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે CM અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્ર પર ટ્વીટ કરતા તેમને અભણ પીએમ કહ્યા હતા. આ ટિપ્પણી બાદ મોદી સમર્થકોએ તેમનો વિરોધ કર્યો હતો. આ કારણે, પટનામાં એડવોકેટ રવિભૂષણ પ્રસાદ વર્માએ CJM કોર્ટમાં  તેમની વિરુદ્ધ અરજી કરી હતી.


CM કેજરીવાલની મુશ્કેલીઓ વધી 


પટના હાઈકોર્ટના એડવોકેટ રવિ ભૂષણ પ્રસાદ વર્માએ પટના CJM કોર્ટમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 19 મેના રોજ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટમાં PM મોદી માટે અપમાનજનક શબ્દ 'અભણ' વાપર્યો હતો. આ પહેલા પણ આરોપી અનેક વખત ટોચના રાજકારણી વિરુદ્ધ આવા શબ્દોનો ઉપયોગ કરી ચૂક્યો છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ દાખલ કરાયેલ ફરિયાદમાં IPCની કલમ 332, 500 અને 505 લાગુ કરવામાં આવી છે. આ અંગે આગામી સુનાવણી 25 મેના રોજ થશે. અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાન મોદીને અભણ કહેવાના અન્ય ઘણા કેસ પણ નોંધાયેલા છે. 


લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી - બદનક્ષી


કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી માટેના નોમિનેશન પેપરમાં વડાપ્રધાન મોદીની શૈક્ષણિક લાયકાતની માહિતી છે. સંબંધિત પ્રમાણપત્રો યુનિવર્સિટીની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ફરિયાદીએ કહ્યું કે વડાપ્રધાન વિરુદ્ધ વાંધાજનક શબ્દોથી કરોડો ભારતીયોને દુઃખ થયું છે. તેઓ ભારતના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. આવા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.