PM મોદીને 'અભણ' કહ્યા તો CM કેજરીવાલ સામે પટણામાં નોંધાયો કેસ, જાણો સમગ્ર મામલો શું હતો


  • Published By :
  • Published Date : 2023-05-23 19:06:47

બિહારમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. CM અરવિંદ કેજરીવાલ સામે પટનાની CJM કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. RBI દ્વારા 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે CM અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્ર પર ટ્વીટ કરતા તેમને અભણ પીએમ કહ્યા હતા. આ ટિપ્પણી બાદ મોદી સમર્થકોએ તેમનો વિરોધ કર્યો હતો. આ કારણે, પટનામાં એડવોકેટ રવિભૂષણ પ્રસાદ વર્માએ CJM કોર્ટમાં  તેમની વિરુદ્ધ અરજી કરી હતી.


CM કેજરીવાલની મુશ્કેલીઓ વધી 


પટના હાઈકોર્ટના એડવોકેટ રવિ ભૂષણ પ્રસાદ વર્માએ પટના CJM કોર્ટમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 19 મેના રોજ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટમાં PM મોદી માટે અપમાનજનક શબ્દ 'અભણ' વાપર્યો હતો. આ પહેલા પણ આરોપી અનેક વખત ટોચના રાજકારણી વિરુદ્ધ આવા શબ્દોનો ઉપયોગ કરી ચૂક્યો છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ દાખલ કરાયેલ ફરિયાદમાં IPCની કલમ 332, 500 અને 505 લાગુ કરવામાં આવી છે. આ અંગે આગામી સુનાવણી 25 મેના રોજ થશે. અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાન મોદીને અભણ કહેવાના અન્ય ઘણા કેસ પણ નોંધાયેલા છે. 


લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી - બદનક્ષી


કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી માટેના નોમિનેશન પેપરમાં વડાપ્રધાન મોદીની શૈક્ષણિક લાયકાતની માહિતી છે. સંબંધિત પ્રમાણપત્રો યુનિવર્સિટીની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ફરિયાદીએ કહ્યું કે વડાપ્રધાન વિરુદ્ધ વાંધાજનક શબ્દોથી કરોડો ભારતીયોને દુઃખ થયું છે. તેઓ ભારતના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. આવા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.