PM મોદીને 'અભણ' કહ્યા તો CM કેજરીવાલ સામે પટણામાં નોંધાયો કેસ, જાણો સમગ્ર મામલો શું હતો


  • Published By :
  • Published Date : 2023-05-23 19:06:47

બિહારમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. CM અરવિંદ કેજરીવાલ સામે પટનાની CJM કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. RBI દ્વારા 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે CM અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્ર પર ટ્વીટ કરતા તેમને અભણ પીએમ કહ્યા હતા. આ ટિપ્પણી બાદ મોદી સમર્થકોએ તેમનો વિરોધ કર્યો હતો. આ કારણે, પટનામાં એડવોકેટ રવિભૂષણ પ્રસાદ વર્માએ CJM કોર્ટમાં  તેમની વિરુદ્ધ અરજી કરી હતી.


CM કેજરીવાલની મુશ્કેલીઓ વધી 


પટના હાઈકોર્ટના એડવોકેટ રવિ ભૂષણ પ્રસાદ વર્માએ પટના CJM કોર્ટમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 19 મેના રોજ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટમાં PM મોદી માટે અપમાનજનક શબ્દ 'અભણ' વાપર્યો હતો. આ પહેલા પણ આરોપી અનેક વખત ટોચના રાજકારણી વિરુદ્ધ આવા શબ્દોનો ઉપયોગ કરી ચૂક્યો છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ દાખલ કરાયેલ ફરિયાદમાં IPCની કલમ 332, 500 અને 505 લાગુ કરવામાં આવી છે. આ અંગે આગામી સુનાવણી 25 મેના રોજ થશે. અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાન મોદીને અભણ કહેવાના અન્ય ઘણા કેસ પણ નોંધાયેલા છે. 


લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી - બદનક્ષી


કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી માટેના નોમિનેશન પેપરમાં વડાપ્રધાન મોદીની શૈક્ષણિક લાયકાતની માહિતી છે. સંબંધિત પ્રમાણપત્રો યુનિવર્સિટીની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ફરિયાદીએ કહ્યું કે વડાપ્રધાન વિરુદ્ધ વાંધાજનક શબ્દોથી કરોડો ભારતીયોને દુઃખ થયું છે. તેઓ ભારતના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. આવા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.