PM મોદીને 'અભણ' કહ્યા તો CM કેજરીવાલ સામે પટણામાં નોંધાયો કેસ, જાણો સમગ્ર મામલો શું હતો


  • Published By :
  • Published Date : 2023-05-23 19:06:47

બિહારમાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. CM અરવિંદ કેજરીવાલ સામે પટનાની CJM કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. RBI દ્વારા 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે CM અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્ર પર ટ્વીટ કરતા તેમને અભણ પીએમ કહ્યા હતા. આ ટિપ્પણી બાદ મોદી સમર્થકોએ તેમનો વિરોધ કર્યો હતો. આ કારણે, પટનામાં એડવોકેટ રવિભૂષણ પ્રસાદ વર્માએ CJM કોર્ટમાં  તેમની વિરુદ્ધ અરજી કરી હતી.


CM કેજરીવાલની મુશ્કેલીઓ વધી 


પટના હાઈકોર્ટના એડવોકેટ રવિ ભૂષણ પ્રસાદ વર્માએ પટના CJM કોર્ટમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 19 મેના રોજ અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટમાં PM મોદી માટે અપમાનજનક શબ્દ 'અભણ' વાપર્યો હતો. આ પહેલા પણ આરોપી અનેક વખત ટોચના રાજકારણી વિરુદ્ધ આવા શબ્દોનો ઉપયોગ કરી ચૂક્યો છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ દાખલ કરાયેલ ફરિયાદમાં IPCની કલમ 332, 500 અને 505 લાગુ કરવામાં આવી છે. આ અંગે આગામી સુનાવણી 25 મેના રોજ થશે. અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાન મોદીને અભણ કહેવાના અન્ય ઘણા કેસ પણ નોંધાયેલા છે. 


લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી - બદનક્ષી


કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી માટેના નોમિનેશન પેપરમાં વડાપ્રધાન મોદીની શૈક્ષણિક લાયકાતની માહિતી છે. સંબંધિત પ્રમાણપત્રો યુનિવર્સિટીની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. ફરિયાદીએ કહ્યું કે વડાપ્રધાન વિરુદ્ધ વાંધાજનક શબ્દોથી કરોડો ભારતીયોને દુઃખ થયું છે. તેઓ ભારતના લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ છે. આવા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.