2000 રૂપિયાની નોટ પર RBIના નિર્ણય અંગે CM કેજરીવાલે કર્યું ટ્વીટ, મોદીને કહ્યા અભણ PM, ગોપાલ ઈટાલિયાએ પણ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-05-20 12:31:31

RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. જે નોટો હાલ ચલણમાં છે તે 30 સપ્ટેમ્બર 2023 સુધી બદલી શકાશે. આ દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ફરી એક વખત પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીના સીએમએ કહ્યું કે અમે એટલા માટે જ કહીએ છીએ કે વડાપ્રધાન શિક્ષિત હોવા જોઈએ. એક અભણ પીએમને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલી જાય છે. આ જ મુદ્દે ગોપાલ ઈટાલિયા પણ પીએમ મોદીની ટીકા કરતું ટ્વીટ કર્યું છે.


CM અરવિંદ કેજરીવાલે આ ટ્વીટ કર્યું


સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, "પહેલાં કહ્યું હતું કે 2000ની નોટ લાવીને ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. હવે તેઓ કહીં રહ્યા છે કે 2000ની નોટને નાબૂદ કરવાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. એટલા માટે જ અમે કહીએ છીએ કે, PM શિક્ષિત હોવા જોઈએ. એક અભણ PM કોઈ કંઈ પણ કહે છે. તેને સમજણ પડતી નથી, પણ તેનું પરિણામ જનતાને ભોગવવું પડે છે.


ગોપાલ ઈટાલિયાએ પણ સાધ્યું નિશાન


CM અરવિંદ કેજરીવાલ બાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને  મહારાષ્ટ્રના સહપ્રભારી ગોપાલ ઈટાલિયાએ પણ પીએમ પર નિશાન સાધી ટ્વીટ કર્યું છે. "તેમણે મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે વારંવાર નોટ બદલવાનથી ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય, આ વખતે તો ચોથું ધોરણ પાસ અભણને જ બદલવો પડશે"






રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.