2000 રૂપિયાની નોટ પર RBIના નિર્ણય અંગે CM કેજરીવાલે કર્યું ટ્વીટ, મોદીને કહ્યા અભણ PM, ગોપાલ ઈટાલિયાએ પણ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-05-20 12:31:31

RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. જે નોટો હાલ ચલણમાં છે તે 30 સપ્ટેમ્બર 2023 સુધી બદલી શકાશે. આ દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ફરી એક વખત પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીના સીએમએ કહ્યું કે અમે એટલા માટે જ કહીએ છીએ કે વડાપ્રધાન શિક્ષિત હોવા જોઈએ. એક અભણ પીએમને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલી જાય છે. આ જ મુદ્દે ગોપાલ ઈટાલિયા પણ પીએમ મોદીની ટીકા કરતું ટ્વીટ કર્યું છે.


CM અરવિંદ કેજરીવાલે આ ટ્વીટ કર્યું


સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, "પહેલાં કહ્યું હતું કે 2000ની નોટ લાવીને ભ્રષ્ટાચાર બંધ થઈ જશે. હવે તેઓ કહીં રહ્યા છે કે 2000ની નોટને નાબૂદ કરવાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. એટલા માટે જ અમે કહીએ છીએ કે, PM શિક્ષિત હોવા જોઈએ. એક અભણ PM કોઈ કંઈ પણ કહે છે. તેને સમજણ પડતી નથી, પણ તેનું પરિણામ જનતાને ભોગવવું પડે છે.


ગોપાલ ઈટાલિયાએ પણ સાધ્યું નિશાન


CM અરવિંદ કેજરીવાલ બાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને  મહારાષ્ટ્રના સહપ્રભારી ગોપાલ ઈટાલિયાએ પણ પીએમ પર નિશાન સાધી ટ્વીટ કર્યું છે. "તેમણે મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે વારંવાર નોટ બદલવાનથી ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય, આ વખતે તો ચોથું ધોરણ પાસ અભણને જ બદલવો પડશે"






અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.