બ્રેકિંગ ન્યૂઝ! રાજસ્થાનના CM અશોક ગેહલોતને પગમાં ઈજા, જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરાયા


  • Published By :
  • Published Date : 2023-06-29 21:44:16

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ઘાયલ થયા છે, તેમના પગમાં ઈજા થઈ છે. તેઓ સારવાર માટે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સીએમ ગેહલોતના પગમાં ઈજાના કારણે તેમને એસએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, ગેહલોતને આ ઈજા સીએમ આવાસમાં ફરતી વખતે થઈ હતી.



પગ લપસી જતા પગના અંગુઠામાં ઈજા


સીએમ ગેહલોતના સત્તાવાર નિવાસસ્થાનમાં જ તેમનો પગ લપસી ગયા બાદ પગના અંગુઠામાં ઈજા થઈ હતી, જેના કારણે લોહી વહેવા લાગ્યું હતું. જે બાદ તેમને એસએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જ્યાં તેમનું ડ્રેસિંગ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ પગનો એક્સ-રે પણ કરવામાં આવશે. ડોક્ટરોની આખી ટીમ મુખ્યમંત્રી અશોક ગેહલોતની તપાસ કરી રહી છે. PCC ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા અને મંત્રી ભજન લાલ જાટવ પણ SMS હોસ્પિટલ પહોંચ્યા છે.


અગાઉ મમતા બેનર્જી પણ ઘાયલ થયા હતા


અશોક ગેહલોત પહેલા બંગાળના સીએમ મમતા બેનર્જી પણ ઘાયલ થયા હતા. 27 જૂને તેમના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ લેન્ડિંગમાં મમતા બેનર્જીને ઈજા થઈ હતી. તેમના ઘૂંટણ અને કમરના પાછળના ભાગે ઈજા થઈ હતી. આ પછી તે હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલથી બહાર નીકળતી વખતે મમતા પણ વ્હીલ ચેર પર જોવા મળ્યા હતા.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.