બ્રેકિંગ ન્યૂઝ! રાજસ્થાનના CM અશોક ગેહલોતને પગમાં ઈજા, જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરાયા


  • Published By :
  • Published Date : 2023-06-29 21:44:16

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ઘાયલ થયા છે, તેમના પગમાં ઈજા થઈ છે. તેઓ સારવાર માટે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સીએમ ગેહલોતના પગમાં ઈજાના કારણે તેમને એસએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, ગેહલોતને આ ઈજા સીએમ આવાસમાં ફરતી વખતે થઈ હતી.



પગ લપસી જતા પગના અંગુઠામાં ઈજા


સીએમ ગેહલોતના સત્તાવાર નિવાસસ્થાનમાં જ તેમનો પગ લપસી ગયા બાદ પગના અંગુઠામાં ઈજા થઈ હતી, જેના કારણે લોહી વહેવા લાગ્યું હતું. જે બાદ તેમને એસએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જ્યાં તેમનું ડ્રેસિંગ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ પગનો એક્સ-રે પણ કરવામાં આવશે. ડોક્ટરોની આખી ટીમ મુખ્યમંત્રી અશોક ગેહલોતની તપાસ કરી રહી છે. PCC ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા અને મંત્રી ભજન લાલ જાટવ પણ SMS હોસ્પિટલ પહોંચ્યા છે.


અગાઉ મમતા બેનર્જી પણ ઘાયલ થયા હતા


અશોક ગેહલોત પહેલા બંગાળના સીએમ મમતા બેનર્જી પણ ઘાયલ થયા હતા. 27 જૂને તેમના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ લેન્ડિંગમાં મમતા બેનર્જીને ઈજા થઈ હતી. તેમના ઘૂંટણ અને કમરના પાછળના ભાગે ઈજા થઈ હતી. આ પછી તે હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલથી બહાર નીકળતી વખતે મમતા પણ વ્હીલ ચેર પર જોવા મળ્યા હતા.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.