બ્રેકિંગ ન્યૂઝ! રાજસ્થાનના CM અશોક ગેહલોતને પગમાં ઈજા, જયપુરની SMS હોસ્પિટલમાં દાખલ કરાયા


  • Published By :
  • Published Date : 2023-06-29 21:44:16

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત ઘાયલ થયા છે, તેમના પગમાં ઈજા થઈ છે. તેઓ સારવાર માટે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સીએમ ગેહલોતના પગમાં ઈજાના કારણે તેમને એસએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, ગેહલોતને આ ઈજા સીએમ આવાસમાં ફરતી વખતે થઈ હતી.



પગ લપસી જતા પગના અંગુઠામાં ઈજા


સીએમ ગેહલોતના સત્તાવાર નિવાસસ્થાનમાં જ તેમનો પગ લપસી ગયા બાદ પગના અંગુઠામાં ઈજા થઈ હતી, જેના કારણે લોહી વહેવા લાગ્યું હતું. જે બાદ તેમને એસએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જ્યાં તેમનું ડ્રેસિંગ કરવામાં આવ્યું છે. ત્યાર બાદ પગનો એક્સ-રે પણ કરવામાં આવશે. ડોક્ટરોની આખી ટીમ મુખ્યમંત્રી અશોક ગેહલોતની તપાસ કરી રહી છે. PCC ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા અને મંત્રી ભજન લાલ જાટવ પણ SMS હોસ્પિટલ પહોંચ્યા છે.


અગાઉ મમતા બેનર્જી પણ ઘાયલ થયા હતા


અશોક ગેહલોત પહેલા બંગાળના સીએમ મમતા બેનર્જી પણ ઘાયલ થયા હતા. 27 જૂને તેમના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ લેન્ડિંગમાં મમતા બેનર્જીને ઈજા થઈ હતી. તેમના ઘૂંટણ અને કમરના પાછળના ભાગે ઈજા થઈ હતી. આ પછી તે હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલથી બહાર નીકળતી વખતે મમતા પણ વ્હીલ ચેર પર જોવા મળ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.