હરિયાણામાં સૌથી વધુ બેરોજગાર, છત્તીસગઢમાં સૌથી ઓછા: CMIE


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 17:58:53

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી એટલે કે CMIEએ પોતાના આંકડા રજુ કરી સૌને ચોંકાવી દીધા હતા. દેશ અને રાજ્યોની સરકાર ભલે પોતાની વાહવાહી નગારા વગાડીને કરતી હોય પરંતુ વાસ્તવિક દ્રશ્યો આવા સર્વેમાંથી બહાર આવતા હોય છે. 


CMIEએ ઓગસ્ટ માસનો પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં તેણે બેરોજગારીના આંકડા દર્શાવ્યા હતા. જેમાં CMIEએ નોંધ્યું હતું કે જુલાઈ મહિનાની તુલનાએ ઓગસ્ટ મહિનામાં 20 લાખ લોકો બેરોજગાર થયા હતા. જુલાઈમાં બેરોજગારીનો દર 6.8 ટકા હતો અને રોજગારી 397 મિલિયન હતી. ઓગસ્ટમાં જુલાઈની તુલનામાં 20 લાખ લોકો બેરોજગાર થયા હોવાના કારણે બેરોજગારી દર 8.3 ટકા થઈ ગયો હતો. 


કયા રાજ્યમાં કેટલી બેરોજગારી?

 CMIEના રિપોર્ટ મુજબ હરિયાણામાં સૌથી વધુ બેરોજગારો છે અને છત્તીસગઢમાં સૌથી ઓછા બેરોજગારો છે. આંકડાના ચક્કરમાં પડીએ તો હરિયાણામાં 100એ 37 લોકો બેરોજગાર છે. જ્યારે છત્તીસગઢમાં 0.4 ટકા બેરોજગારી છે. એટલે કે છત્તીસગઢમાં 100 લોકોમાંથી માત્ર એક જ એવો વ્યક્તિ મળશે જેની પાસે રોજગારી નથી. 


CMIEના રિપોર્ટમાં કયા રાજ્યોમાં સૌથી ઓછી બેરોજગારી?  




ગામડાની તુલનામાં શહેરના લોકો વધુ બેરોજગાર

શહેરી બેરોજગારી દર સામાન્ય રીતે ગ્રામીણ બેરોજગારી દર કતાં 8 ટકા જેટલો ઉંચો હોય છે. ઓગસ્ટમાં શહેરી બેરોજગારીનો દર વધીને 9.6 ટકા અને ગ્રામ્ય બેરોજગારીને દર પણ વધીને 7.7 ટકા થઈ ગયો હતો. વરસાદમાં વાવણીને અસર થતા રોજગારી ઘટી ગઈ હતી. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.