હરિયાણામાં સૌથી વધુ બેરોજગાર, છત્તીસગઢમાં સૌથી ઓછા: CMIE


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 17:58:53

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી એટલે કે CMIEએ પોતાના આંકડા રજુ કરી સૌને ચોંકાવી દીધા હતા. દેશ અને રાજ્યોની સરકાર ભલે પોતાની વાહવાહી નગારા વગાડીને કરતી હોય પરંતુ વાસ્તવિક દ્રશ્યો આવા સર્વેમાંથી બહાર આવતા હોય છે. 


CMIEએ ઓગસ્ટ માસનો પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં તેણે બેરોજગારીના આંકડા દર્શાવ્યા હતા. જેમાં CMIEએ નોંધ્યું હતું કે જુલાઈ મહિનાની તુલનાએ ઓગસ્ટ મહિનામાં 20 લાખ લોકો બેરોજગાર થયા હતા. જુલાઈમાં બેરોજગારીનો દર 6.8 ટકા હતો અને રોજગારી 397 મિલિયન હતી. ઓગસ્ટમાં જુલાઈની તુલનામાં 20 લાખ લોકો બેરોજગાર થયા હોવાના કારણે બેરોજગારી દર 8.3 ટકા થઈ ગયો હતો. 


કયા રાજ્યમાં કેટલી બેરોજગારી?

 CMIEના રિપોર્ટ મુજબ હરિયાણામાં સૌથી વધુ બેરોજગારો છે અને છત્તીસગઢમાં સૌથી ઓછા બેરોજગારો છે. આંકડાના ચક્કરમાં પડીએ તો હરિયાણામાં 100એ 37 લોકો બેરોજગાર છે. જ્યારે છત્તીસગઢમાં 0.4 ટકા બેરોજગારી છે. એટલે કે છત્તીસગઢમાં 100 લોકોમાંથી માત્ર એક જ એવો વ્યક્તિ મળશે જેની પાસે રોજગારી નથી. 


CMIEના રિપોર્ટમાં કયા રાજ્યોમાં સૌથી ઓછી બેરોજગારી?  




ગામડાની તુલનામાં શહેરના લોકો વધુ બેરોજગાર

શહેરી બેરોજગારી દર સામાન્ય રીતે ગ્રામીણ બેરોજગારી દર કતાં 8 ટકા જેટલો ઉંચો હોય છે. ઓગસ્ટમાં શહેરી બેરોજગારીનો દર વધીને 9.6 ટકા અને ગ્રામ્ય બેરોજગારીને દર પણ વધીને 7.7 ટકા થઈ ગયો હતો. વરસાદમાં વાવણીને અસર થતા રોજગારી ઘટી ગઈ હતી. 




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે