હરિયાણામાં સૌથી વધુ બેરોજગાર, છત્તીસગઢમાં સૌથી ઓછા: CMIE


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-02 17:58:53

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી એટલે કે CMIEએ પોતાના આંકડા રજુ કરી સૌને ચોંકાવી દીધા હતા. દેશ અને રાજ્યોની સરકાર ભલે પોતાની વાહવાહી નગારા વગાડીને કરતી હોય પરંતુ વાસ્તવિક દ્રશ્યો આવા સર્વેમાંથી બહાર આવતા હોય છે. 


CMIEએ ઓગસ્ટ માસનો પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં તેણે બેરોજગારીના આંકડા દર્શાવ્યા હતા. જેમાં CMIEએ નોંધ્યું હતું કે જુલાઈ મહિનાની તુલનાએ ઓગસ્ટ મહિનામાં 20 લાખ લોકો બેરોજગાર થયા હતા. જુલાઈમાં બેરોજગારીનો દર 6.8 ટકા હતો અને રોજગારી 397 મિલિયન હતી. ઓગસ્ટમાં જુલાઈની તુલનામાં 20 લાખ લોકો બેરોજગાર થયા હોવાના કારણે બેરોજગારી દર 8.3 ટકા થઈ ગયો હતો. 


કયા રાજ્યમાં કેટલી બેરોજગારી?

 CMIEના રિપોર્ટ મુજબ હરિયાણામાં સૌથી વધુ બેરોજગારો છે અને છત્તીસગઢમાં સૌથી ઓછા બેરોજગારો છે. આંકડાના ચક્કરમાં પડીએ તો હરિયાણામાં 100એ 37 લોકો બેરોજગાર છે. જ્યારે છત્તીસગઢમાં 0.4 ટકા બેરોજગારી છે. એટલે કે છત્તીસગઢમાં 100 લોકોમાંથી માત્ર એક જ એવો વ્યક્તિ મળશે જેની પાસે રોજગારી નથી. 


CMIEના રિપોર્ટમાં કયા રાજ્યોમાં સૌથી ઓછી બેરોજગારી?  




ગામડાની તુલનામાં શહેરના લોકો વધુ બેરોજગાર

શહેરી બેરોજગારી દર સામાન્ય રીતે ગ્રામીણ બેરોજગારી દર કતાં 8 ટકા જેટલો ઉંચો હોય છે. ઓગસ્ટમાં શહેરી બેરોજગારીનો દર વધીને 9.6 ટકા અને ગ્રામ્ય બેરોજગારીને દર પણ વધીને 7.7 ટકા થઈ ગયો હતો. વરસાદમાં વાવણીને અસર થતા રોજગારી ઘટી ગઈ હતી. 




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .