DRI ટીમને મળી મોટી સફળતા, 30 કરોડની કિંમતના 2.97 કિલો કોકેઈનના જથ્થા સાથે બે નાઈજીરિયનની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-07 20:52:00

કોકેઈનની દાણચોરીના આરોપમાં મુંબઈ એરપોર્ટ પરથી બે નાઈજીરીયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ કેપ્સ્યુલ સ્વરૂપે કોકેઈન લઈ જતા હતા. આ કેપ્સ્યુલ્સની કિંમત લગભગ ત્રીસ કરોડ રૂપિયા છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી છે.


DRIને મળી હતી બાતમી


DRIના મુંબઈ યુનિટે ગુપ્ત માહિતીના આધારે કોકેઈનનું આ વિશાળ કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું છે. તેને બાતમી મળી હતી કે બે નાઈજીરીયન નાગરિકો લાગોસથી અદીસ અબાબા થઈને મુંબઈ આવી રહ્યા છે અને તેમની પાસે માદક પદાર્થ છે.


શરીરમાં ડ્રગ્સ છુપાવ્યું 


DRIના અધિકારીઓએ બંનેને કોર્ટમાં રજૂ કર્યા અને તેમના શરીરમાં ડ્રગ્સ છુપાવ્યું હોવાના આધારે તેમની તબીબી તપાસની માંગ કરી. બાદમાં તબીબી તપાસમાં પુષ્ટિ થઈ કે બંને મુસાફરોએ કોઈ નશીલા પદાર્થ ધરાવતી કેપ્સ્યુલનું સેવન કર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં બંનેમાંથી 167 કેપ્સ્યુલ કાઢવામાં આવી છે.


ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા


DRIઅધિકારીએ જણાવ્યું કે કેપ્સ્યુલમાં કુલ 2.97 કિલો કોકેઈન છે, જેની કિંમત 29.76 કરોડ રૂપિયા છે. બંને સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે,  આજે કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.