DRI ટીમને મળી મોટી સફળતા, 30 કરોડની કિંમતના 2.97 કિલો કોકેઈનના જથ્થા સાથે બે નાઈજીરિયનની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-07 20:52:00

કોકેઈનની દાણચોરીના આરોપમાં મુંબઈ એરપોર્ટ પરથી બે નાઈજીરીયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ કેપ્સ્યુલ સ્વરૂપે કોકેઈન લઈ જતા હતા. આ કેપ્સ્યુલ્સની કિંમત લગભગ ત્રીસ કરોડ રૂપિયા છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી છે.


DRIને મળી હતી બાતમી


DRIના મુંબઈ યુનિટે ગુપ્ત માહિતીના આધારે કોકેઈનનું આ વિશાળ કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું છે. તેને બાતમી મળી હતી કે બે નાઈજીરીયન નાગરિકો લાગોસથી અદીસ અબાબા થઈને મુંબઈ આવી રહ્યા છે અને તેમની પાસે માદક પદાર્થ છે.


શરીરમાં ડ્રગ્સ છુપાવ્યું 


DRIના અધિકારીઓએ બંનેને કોર્ટમાં રજૂ કર્યા અને તેમના શરીરમાં ડ્રગ્સ છુપાવ્યું હોવાના આધારે તેમની તબીબી તપાસની માંગ કરી. બાદમાં તબીબી તપાસમાં પુષ્ટિ થઈ કે બંને મુસાફરોએ કોઈ નશીલા પદાર્થ ધરાવતી કેપ્સ્યુલનું સેવન કર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં બંનેમાંથી 167 કેપ્સ્યુલ કાઢવામાં આવી છે.


ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા


DRIઅધિકારીએ જણાવ્યું કે કેપ્સ્યુલમાં કુલ 2.97 કિલો કોકેઈન છે, જેની કિંમત 29.76 કરોડ રૂપિયા છે. બંને સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે,  આજે કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.