DRI ટીમને મળી મોટી સફળતા, 30 કરોડની કિંમતના 2.97 કિલો કોકેઈનના જથ્થા સાથે બે નાઈજીરિયનની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-07 20:52:00

કોકેઈનની દાણચોરીના આરોપમાં મુંબઈ એરપોર્ટ પરથી બે નાઈજીરીયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ કેપ્સ્યુલ સ્વરૂપે કોકેઈન લઈ જતા હતા. આ કેપ્સ્યુલ્સની કિંમત લગભગ ત્રીસ કરોડ રૂપિયા છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી છે.


DRIને મળી હતી બાતમી


DRIના મુંબઈ યુનિટે ગુપ્ત માહિતીના આધારે કોકેઈનનું આ વિશાળ કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું છે. તેને બાતમી મળી હતી કે બે નાઈજીરીયન નાગરિકો લાગોસથી અદીસ અબાબા થઈને મુંબઈ આવી રહ્યા છે અને તેમની પાસે માદક પદાર્થ છે.


શરીરમાં ડ્રગ્સ છુપાવ્યું 


DRIના અધિકારીઓએ બંનેને કોર્ટમાં રજૂ કર્યા અને તેમના શરીરમાં ડ્રગ્સ છુપાવ્યું હોવાના આધારે તેમની તબીબી તપાસની માંગ કરી. બાદમાં તબીબી તપાસમાં પુષ્ટિ થઈ કે બંને મુસાફરોએ કોઈ નશીલા પદાર્થ ધરાવતી કેપ્સ્યુલનું સેવન કર્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં બંનેમાંથી 167 કેપ્સ્યુલ કાઢવામાં આવી છે.


ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા


DRIઅધિકારીએ જણાવ્યું કે કેપ્સ્યુલમાં કુલ 2.97 કિલો કોકેઈન છે, જેની કિંમત 29.76 કરોડ રૂપિયા છે. બંને સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે,  આજે કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.