ઉત્તર ભારતમાં વધશે ઠંડીનું જોર, દિલ્હી, પંજાબમાં ગગડ્યો તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2022-12-26 11:29:52

દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજસ્થાન, દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ઠંડીને કારણે કોલ્ડ વેવની અનુભૂતિ થઈ રહી છે. ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં ઠંડીને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઠંડી વધવાને કારણે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં યેલો એલર્ટ જાહેર કરી દીધો છે. દિલ્હીમાં આ વખતે એટલી બધી ઠંડી પડી કે છેલ્લા અનેક વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે.

 


દિલ્હી, રાજસ્થાનમાં વધ્યું ઠંડીનું પ્રમાણ 

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ભયંકર ચમકારો જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારો હોવાને કારણે ઠંડીનો અહેસાસ વધારો થતો હોય છે. દિલ્હીમાં તાપમાન ગગડતા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. IMDના અનુમાન અનુસાર આવનાર સમયમાં આ તાપમાન વધારે નીચે જઈ શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ ઠંડીને લઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડી વધતા બરફ જામી જતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

  


દક્ષિણ ભારતમાં પડી શકે છે વરસાદ 

ઠંડીનું પ્રમાણ વધતા ધૂમ્મસભર્યું વાતાવરણ રહે છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જેને કારણકે ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઉત્તરભારતમાં જ્યાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે ત્યાં દક્ષિણ ભારત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુ, કેરળમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.