ઉત્તર ભારતમાં વધશે ઠંડીનું જોર, દિલ્હી, પંજાબમાં ગગડ્યો તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2022-12-26 11:29:52

દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજસ્થાન, દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ઠંડીને કારણે કોલ્ડ વેવની અનુભૂતિ થઈ રહી છે. ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં ઠંડીને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઠંડી વધવાને કારણે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં યેલો એલર્ટ જાહેર કરી દીધો છે. દિલ્હીમાં આ વખતે એટલી બધી ઠંડી પડી કે છેલ્લા અનેક વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે.

 


દિલ્હી, રાજસ્થાનમાં વધ્યું ઠંડીનું પ્રમાણ 

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ભયંકર ચમકારો જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારો હોવાને કારણે ઠંડીનો અહેસાસ વધારો થતો હોય છે. દિલ્હીમાં તાપમાન ગગડતા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. IMDના અનુમાન અનુસાર આવનાર સમયમાં આ તાપમાન વધારે નીચે જઈ શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ ઠંડીને લઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડી વધતા બરફ જામી જતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

  


દક્ષિણ ભારતમાં પડી શકે છે વરસાદ 

ઠંડીનું પ્રમાણ વધતા ધૂમ્મસભર્યું વાતાવરણ રહે છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જેને કારણકે ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઉત્તરભારતમાં જ્યાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે ત્યાં દક્ષિણ ભારત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુ, કેરળમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.