ઉત્તર ભારતમાં વધશે ઠંડીનું જોર, દિલ્હી, પંજાબમાં ગગડ્યો તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2022-12-26 11:29:52

દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજસ્થાન, દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ઠંડીને કારણે કોલ્ડ વેવની અનુભૂતિ થઈ રહી છે. ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં ઠંડીને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઠંડી વધવાને કારણે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં યેલો એલર્ટ જાહેર કરી દીધો છે. દિલ્હીમાં આ વખતે એટલી બધી ઠંડી પડી કે છેલ્લા અનેક વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે.

 


દિલ્હી, રાજસ્થાનમાં વધ્યું ઠંડીનું પ્રમાણ 

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ભયંકર ચમકારો જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારો હોવાને કારણે ઠંડીનો અહેસાસ વધારો થતો હોય છે. દિલ્હીમાં તાપમાન ગગડતા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. IMDના અનુમાન અનુસાર આવનાર સમયમાં આ તાપમાન વધારે નીચે જઈ શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ ઠંડીને લઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડી વધતા બરફ જામી જતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

  


દક્ષિણ ભારતમાં પડી શકે છે વરસાદ 

ઠંડીનું પ્રમાણ વધતા ધૂમ્મસભર્યું વાતાવરણ રહે છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જેને કારણકે ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઉત્તરભારતમાં જ્યાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે ત્યાં દક્ષિણ ભારત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુ, કેરળમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.