ઉત્તર ભારતમાં વધશે ઠંડીનું જોર, દિલ્હી, પંજાબમાં ગગડ્યો તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2022-12-26 11:29:52

દેશના અનેક રાજ્યોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજસ્થાન, દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ઠંડીને કારણે કોલ્ડ વેવની અનુભૂતિ થઈ રહી છે. ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં ઠંડીને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઠંડી વધવાને કારણે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં યેલો એલર્ટ જાહેર કરી દીધો છે. દિલ્હીમાં આ વખતે એટલી બધી ઠંડી પડી કે છેલ્લા અનેક વર્ષોનો રેકોર્ડ તૂટી ગયો છે.

 


દિલ્હી, રાજસ્થાનમાં વધ્યું ઠંડીનું પ્રમાણ 

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ભયંકર ચમકારો જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારો હોવાને કારણે ઠંડીનો અહેસાસ વધારો થતો હોય છે. દિલ્હીમાં તાપમાન ગગડતા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. IMDના અનુમાન અનુસાર આવનાર સમયમાં આ તાપમાન વધારે નીચે જઈ શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ ઠંડીને લઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડી વધતા બરફ જામી જતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

  


દક્ષિણ ભારતમાં પડી શકે છે વરસાદ 

ઠંડીનું પ્રમાણ વધતા ધૂમ્મસભર્યું વાતાવરણ રહે છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જેને કારણકે ઠંડીનો અનુભવ થઈ શકે છે. ઉત્તરભારતમાં જ્યાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે ત્યાં દક્ષિણ ભારત માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમિલનાડુ, કેરળમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.