હાસ્ય સમ્રાટ રાજુ શ્રીવાસ્તવે દુનિયાથી વિદાય લીધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 14:12:43

દુનિયાને હસાવનાર કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું છે.  


ઘણા સમયથી સારવાર હેઠળ હતા 

10 ઓગસ્ટ 2022ના રોજ તેઓ જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમની સારવાર દરમિયાન તેમના મગજમાં સોજો જોવા મળ્યો હતો અને ન્યુરોલોજિસ્ટ દ્વારા તેમની સારવાર પણ કરવામાં આવી હતી. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. આજે દિલ્લીની એઈમ્સ ખાતે તેમણે આપણી વચ્ચેથી વિદાઈ લીધી છે.


બોલિવુડમાં નાના રોલથી કારકિર્દીની શરૂઆત 

તેમણે બોલિવુડ ફિલ્મ્સમાં નાના રોલ કરી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે મેને પ્યાર કીયા, બાઝીગર અને બોમ્બે ટુ ગોવામાં પણ કામ કર્યું છે. ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ નામના ટેલેન્ટ શૉથી પોતાનું નામ બનાવ્યું હતું. આ ટેલેન્ટ શૉમાં પોતાના પર્ફોર્મન્સથી ધ કિંગ ઓફ કોમેડીનું બિરુદ મેળવ્યું હતું. રાજુ શ્રીવાસ્તવે બિગ બોસ સીઝન 3માં પણ ભાગ લીધો હતો. તેમણે કોમેડી કા મહામુકાબલા નામના કોમેડી શોમાં પણ ભાગ લીધો હતો. 


રાજુ શ્રીવાસ્તવનું અંગત જીવન

રાજુ શ્રીવાસ્તવે 1 જુલાઈ 1993ના રોજ લખનૌની શિખા સાથે લગ્ન કર્યા હતા, તેઓને અંતરા અને આયુષ્માન નામના બે બાળકો છે. 2010 માં, શ્રીવાસ્તવને પાકિસ્તાન તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા જેમાં તેમને તેમના શો દરમિયાન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને પાકિસ્તાન પર જોક્સ ન કરવા ચેતવણી આપવામાં આવી હતી. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.