મોંઘવારીના માર માટે તૈયાર થઈ જાઓ, અપ્રિલમાં મોંઘી થશે આ ચીજો, જુઓ સંપુર્ણ લિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-03-28 20:53:53

માર્ચ મહિનો પૂરો થવાને હજુ ત્રણ દિવસ બાકી છે. થોડા દિવસ બાદ એપ્રિલ મહિનો શરૂ થતાં જ સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પડવાનો છે. એવી ઘણી વસ્તુઓ છે જે 1 એપ્રિલથી મોંઘી થઈ જશે. તેનો સીધો બોજ સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. સામાન્ય માણસ જે પહેલેથી જ મોંઘવારીની આગમાં સળગી રહ્યો છે. ચીજવસ્તુઓના ભાવ વધવાને કારણે તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થશે. જો કે એપ્રિલમાં કેટલીક વસ્તુઓના ભાવ પણ નીચે આવવાના છે. અહીં અમે તમને મોંઘી અને સસ્તી બંને વસ્તુઓની યાદી આપવા જઈ રહ્યા છીએ. તેનાથી તમને કોઈ પણ પ્રકારની પરેશાની નહીં થાય. ચાલો જણાવીએ કે એપ્રિલમાં શું થશે મોંઘુ અને શું સસ્તું થશે.


આ વસ્તુઓ મોંઘી થશે


સરકાર 1 એપ્રિલ 2023થી આયાત ડ્યૂટી વધારવાની યોજના બનાવી રહી છે. તેનું કારણ સ્થાનિક ઉદ્યોગને મજબૂત બનાવવાનું છે. જો સરકાર ઈમ્પોર્ટ ડ્યુટી વધારશે તો ઘણી વસ્તુઓના ભાવ વધી જશે. તેમાં પ્લાસ્ટિકની વસ્તુઓ, જ્વેલરી, હાઈ-ગ્લોસ પેપર, વિટામિન્સ, પ્રાઈવેટ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક્સની કિંમતો વધી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023માં જાહેરાત કરી હતી કે 1 એપ્રિલથી ઇલેક્ટ્રિક ચીમની, સોનું અને પ્લેટિનમ જેવી વસ્તુઓની કિંમતો વધશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીમની પર કસ્ટમ ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે.


આ વસ્તુઓ સસ્તી થશે


નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે 1 એપ્રિલથી કેમેરા લેન્સ, સ્માર્ટફોન જેવી ચીજો સસ્તી થઈ જશે. બજેટની રજૂઆત દરમિયાન, કપડાં, ફ્રોઝન મસલ્સ, ફ્રોઝન સ્કીડ, હિંગ અને કોકો બીન્સ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેન્દ્રએ એસિટિક એસિડ, કટ અને પોલિશ્ડ હીરા અને સેલ ફોન માટેના કેમેરા લેન્સ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. કેન્દ્રએ લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવતા હીરા બનાવવા માટે વપરાતા બીજ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.