મોંઘવારીના માર માટે તૈયાર થઈ જાઓ, અપ્રિલમાં મોંઘી થશે આ ચીજો, જુઓ સંપુર્ણ લિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-03-28 20:53:53

માર્ચ મહિનો પૂરો થવાને હજુ ત્રણ દિવસ બાકી છે. થોડા દિવસ બાદ એપ્રિલ મહિનો શરૂ થતાં જ સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પડવાનો છે. એવી ઘણી વસ્તુઓ છે જે 1 એપ્રિલથી મોંઘી થઈ જશે. તેનો સીધો બોજ સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. સામાન્ય માણસ જે પહેલેથી જ મોંઘવારીની આગમાં સળગી રહ્યો છે. ચીજવસ્તુઓના ભાવ વધવાને કારણે તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થશે. જો કે એપ્રિલમાં કેટલીક વસ્તુઓના ભાવ પણ નીચે આવવાના છે. અહીં અમે તમને મોંઘી અને સસ્તી બંને વસ્તુઓની યાદી આપવા જઈ રહ્યા છીએ. તેનાથી તમને કોઈ પણ પ્રકારની પરેશાની નહીં થાય. ચાલો જણાવીએ કે એપ્રિલમાં શું થશે મોંઘુ અને શું સસ્તું થશે.


આ વસ્તુઓ મોંઘી થશે


સરકાર 1 એપ્રિલ 2023થી આયાત ડ્યૂટી વધારવાની યોજના બનાવી રહી છે. તેનું કારણ સ્થાનિક ઉદ્યોગને મજબૂત બનાવવાનું છે. જો સરકાર ઈમ્પોર્ટ ડ્યુટી વધારશે તો ઘણી વસ્તુઓના ભાવ વધી જશે. તેમાં પ્લાસ્ટિકની વસ્તુઓ, જ્વેલરી, હાઈ-ગ્લોસ પેપર, વિટામિન્સ, પ્રાઈવેટ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક્સની કિંમતો વધી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023માં જાહેરાત કરી હતી કે 1 એપ્રિલથી ઇલેક્ટ્રિક ચીમની, સોનું અને પ્લેટિનમ જેવી વસ્તુઓની કિંમતો વધશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીમની પર કસ્ટમ ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે.


આ વસ્તુઓ સસ્તી થશે


નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે 1 એપ્રિલથી કેમેરા લેન્સ, સ્માર્ટફોન જેવી ચીજો સસ્તી થઈ જશે. બજેટની રજૂઆત દરમિયાન, કપડાં, ફ્રોઝન મસલ્સ, ફ્રોઝન સ્કીડ, હિંગ અને કોકો બીન્સ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેન્દ્રએ એસિટિક એસિડ, કટ અને પોલિશ્ડ હીરા અને સેલ ફોન માટેના કેમેરા લેન્સ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. કેન્દ્રએ લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવતા હીરા બનાવવા માટે વપરાતા બીજ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.