મોંઘવારીના માર માટે તૈયાર થઈ જાઓ, અપ્રિલમાં મોંઘી થશે આ ચીજો, જુઓ સંપુર્ણ લિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-03-28 20:53:53

માર્ચ મહિનો પૂરો થવાને હજુ ત્રણ દિવસ બાકી છે. થોડા દિવસ બાદ એપ્રિલ મહિનો શરૂ થતાં જ સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પડવાનો છે. એવી ઘણી વસ્તુઓ છે જે 1 એપ્રિલથી મોંઘી થઈ જશે. તેનો સીધો બોજ સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. સામાન્ય માણસ જે પહેલેથી જ મોંઘવારીની આગમાં સળગી રહ્યો છે. ચીજવસ્તુઓના ભાવ વધવાને કારણે તેમની મુશ્કેલીઓમાં વધુ વધારો થશે. જો કે એપ્રિલમાં કેટલીક વસ્તુઓના ભાવ પણ નીચે આવવાના છે. અહીં અમે તમને મોંઘી અને સસ્તી બંને વસ્તુઓની યાદી આપવા જઈ રહ્યા છીએ. તેનાથી તમને કોઈ પણ પ્રકારની પરેશાની નહીં થાય. ચાલો જણાવીએ કે એપ્રિલમાં શું થશે મોંઘુ અને શું સસ્તું થશે.


આ વસ્તુઓ મોંઘી થશે


સરકાર 1 એપ્રિલ 2023થી આયાત ડ્યૂટી વધારવાની યોજના બનાવી રહી છે. તેનું કારણ સ્થાનિક ઉદ્યોગને મજબૂત બનાવવાનું છે. જો સરકાર ઈમ્પોર્ટ ડ્યુટી વધારશે તો ઘણી વસ્તુઓના ભાવ વધી જશે. તેમાં પ્લાસ્ટિકની વસ્તુઓ, જ્વેલરી, હાઈ-ગ્લોસ પેપર, વિટામિન્સ, પ્રાઈવેટ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક્સની કિંમતો વધી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023માં જાહેરાત કરી હતી કે 1 એપ્રિલથી ઇલેક્ટ્રિક ચીમની, સોનું અને પ્લેટિનમ જેવી વસ્તુઓની કિંમતો વધશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીમની પર કસ્ટમ ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે.


આ વસ્તુઓ સસ્તી થશે


નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે 1 એપ્રિલથી કેમેરા લેન્સ, સ્માર્ટફોન જેવી ચીજો સસ્તી થઈ જશે. બજેટની રજૂઆત દરમિયાન, કપડાં, ફ્રોઝન મસલ્સ, ફ્રોઝન સ્કીડ, હિંગ અને કોકો બીન્સ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેન્દ્રએ એસિટિક એસિડ, કટ અને પોલિશ્ડ હીરા અને સેલ ફોન માટેના કેમેરા લેન્સ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. કેન્દ્રએ લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવતા હીરા બનાવવા માટે વપરાતા બીજ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.