Election તટસ્થતાથી થાય તે માટે Congressએ મતદાતાઓને કરી અપીલ, જો મતદાર પર દબાણ કરવામાં આવે છે તો ફોન રેકોર્ડિંગ કરો અને...!


  • Published By :
  • Published Date : 2024-04-24 13:22:51

પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠતા હોય છે. ત્યારે એક સવાલ, એક આરોપ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા લગાવવામાં આવ્યો છે...! સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં પોલીસ અને તંત્ર પર આરોપ લગાવવમાં આવ્યો છે કે પોલીસ અને તંત્ર દ્વારા ડરાવી, ધમકાવી કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆતો મારી (શક્તિસિંહ ગોહિલ) પાસે આવી છે. સાથે સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે જો આવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે તો તેનું રેકોર્ડિંગ કરવામાં આવે અને વોટ્સઅપ નંબર 8200059989 પર મોકલવામાં આવે...

સોશિયલ મીડિયા પર શક્તિસિંહ ગોહિલે લખ્યું કે.. 

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો દરેક નાગરિકની ફરજ છે.. મતદાન કરી લોકશાહીને જાળવવી એ આપણી ફરજ છે.. પોતાના પસંદના ઉમેદવારને મત આપી મતદાતાઓ સંસદ તેમને પહોંચાડતા હોય છે.. ચૂંટણી પક્ષપાત વગર તટસ્તાથી પૂર્ણ થાય તેની જવાબદારી તંત્રની અને પોલીસની હોય છે... ત્યારે પોલીસ અને તંત્રને લઈ શક્તિસિંહ ગોહિલ દ્વારા વાત કરવામાં આવી છે.. સોશિયલ મીડિયા પર અનેક મતદાતાઓને ડરાવી ધમકાવીને સત્તાધારી પક્ષને મત આપવા માટે ફોર્સ કરવામાં આવે છે પોલીસ અને તંત્ર દ્વારા આવી અનેક રજૂઆત કોંગ્રેસને મળી છે તેવી વાત શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે...



શક્તિસિંહ ગોહિલે કહ્યું કે.... 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શક્તિસિંહ ગોહિલ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં તેમણે આ અંગેની વાત કરી છે...  ટ્વિટમાં તેમણે લખ્યું છે  ચૂંટણીનું પવિત્ર પર્વ ભય કે પક્ષપાત વગર તટસ્થતાથી યોજાય એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત. પોલીસ અને તંત્ર દ્વારા ડરાવી, ધમકાવી  કે સત્તાધારી પક્ષ તરફી મતદાન કરાવવા માટે મતદાતા પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆતો મારી પાસે આવી છે. હું સૌ જાગૃત મતદાતાઓને કહેવા માગું છું કે, પોલીસ કે તંત્ર દ્વારા આપને મતદાન બાબતે ધમકાવવામાં આવતા હોય તો આ ગુન્હાહીત કૃત્યનું  મોબાઈલ ફોનમાં વિડીયો કે ઓડિયો રેકોર્ડિંગ કરો,  CCTV કેમેરા હોય તો તેની ફૂટેજ મેળવીને કોંગ્રસ પક્ષના વોરરૂમના વોટ્સઅપ નંબર 8200059989 પર મોકલો. અમારી ટીમ કાયદાકીય કાર્યવાહી કરશે.

તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ જનસેવક છે. આપનો ધર્મ  તટસ્થતાથી ભય વગર કામ કરવાનો છે અને આપ આપની પવિત્ર ફરજ જનસેવક તરીકેની બજાવશો તેવી અપેક્ષા.     



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .