વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-27 16:33:09

દેશમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થતા સામાન્ય માણસને ભારે ફટકો પડી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થતા દરેક વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ત્યારે વધતા પેટ્રોલના ભાવને લઈ કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ગૌરવ વલ્લભે કહ્યું કે પેટ્રેલના ભાવ 14 રૂપિયા ઓછા થઈ શકે છે. પરંતુ મોદી સરકારે ભાવમાં ઘટાડો કર્યો નથી.


દૂધના વધતા ભાવને લઈને પર પણ કર્યા પ્રહાર 

મોંઘવારીને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. મોંઘવારીને કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. પેટ્રોલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલના ભાવ વધતા દરેક ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. દૂધના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલે તેમજ મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધનો ભાવ વધવાને કારણે સામાન્ય માણસના ખીસ્સા પર બોજ વધી ગયો છે.

  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે