વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-27 16:33:09

દેશમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થતા સામાન્ય માણસને ભારે ફટકો પડી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થતા દરેક વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ત્યારે વધતા પેટ્રોલના ભાવને લઈ કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ગૌરવ વલ્લભે કહ્યું કે પેટ્રેલના ભાવ 14 રૂપિયા ઓછા થઈ શકે છે. પરંતુ મોદી સરકારે ભાવમાં ઘટાડો કર્યો નથી.


દૂધના વધતા ભાવને લઈને પર પણ કર્યા પ્રહાર 

મોંઘવારીને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. મોંઘવારીને કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. પેટ્રોલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલના ભાવ વધતા દરેક ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. દૂધના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલે તેમજ મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધનો ભાવ વધવાને કારણે સામાન્ય માણસના ખીસ્સા પર બોજ વધી ગયો છે.

  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.