વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-27 16:33:09

દેશમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થતા સામાન્ય માણસને ભારે ફટકો પડી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થતા દરેક વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ત્યારે વધતા પેટ્રોલના ભાવને લઈ કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ગૌરવ વલ્લભે કહ્યું કે પેટ્રેલના ભાવ 14 રૂપિયા ઓછા થઈ શકે છે. પરંતુ મોદી સરકારે ભાવમાં ઘટાડો કર્યો નથી.


દૂધના વધતા ભાવને લઈને પર પણ કર્યા પ્રહાર 

મોંઘવારીને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. મોંઘવારીને કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. પેટ્રોલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલના ભાવ વધતા દરેક ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. દૂધના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલે તેમજ મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધનો ભાવ વધવાને કારણે સામાન્ય માણસના ખીસ્સા પર બોજ વધી ગયો છે.

  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.