વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે કર્યા ભાજપ પર પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-12-27 16:33:09

દેશમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થતા સામાન્ય માણસને ભારે ફટકો પડી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થતા દરેક વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ત્યારે વધતા પેટ્રોલના ભાવને લઈ કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ગૌરવ વલ્લભે કહ્યું કે પેટ્રેલના ભાવ 14 રૂપિયા ઓછા થઈ શકે છે. પરંતુ મોદી સરકારે ભાવમાં ઘટાડો કર્યો નથી.


દૂધના વધતા ભાવને લઈને પર પણ કર્યા પ્રહાર 

મોંઘવારીને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. મોંઘવારીને કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. પેટ્રોલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. પેટ્રોલના ભાવ વધતા દરેક ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. દૂધના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલે તેમજ મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. દૂધનો ભાવ વધવાને કારણે સામાન્ય માણસના ખીસ્સા પર બોજ વધી ગયો છે.

  




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.