Puriના Congressના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, ટિકીટ પરત કરી, જાણો શું આપ્યું આ નિર્ણય પાછળનું કારણ?


  • Published By :
  • Published Date : 2024-05-04 16:40:39

દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે...  2 તબક્કા માટે મતદાન થઈ ગયું છે અને ત્રીજા તબક્કાની ચૂંટણી સાતમી તારીખે યોજાવાની છે... ગુજરાતની સુરત લોકસભા બેઠક પર જે ઘટના બની તે જાણે ટ્રેલર હતું તેવું લાગી રહ્યું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી... સુરતમાં જે ઘટના બની તેવી ઘટના ઈન્દોરમાં બની અને હવે ઓડિશાની પૂરી લોકસભા બેઠક પર આ ઈતિહાસનો પુનરાવર્તન થાય તો નવાઈ નહીં.. કારણ કે પૂરી બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે અને તેમણે ટિકીટ પરત કરી દીધી છે..

પહેલા સુરત, પછી ઈન્દોર અને હવે પુરી!

ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત જાણે રાજકીય પ્રયોગ શાળા બની ગઈ છે તેવું કહીએ તો ખોટા ના પડીએ.. ગુજરાતમાં જે નીતિઓ પાર્ટી દ્વારા અપનાવવામાં આવે છે તેવી રણનીતિ બીજા રાજ્યોમાં પછી અપનાવવામાં આવે છે... ત્યારે ગુજરાતમાં થોડા સમય પહેલા સુરતની લોકસભા બેઠક બિનબરીફ જાહેર થઈ... કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને જે બાદ ત્યાં રાજકીય ડ્રામા શરૂ થયો તે આપણે જાણીએ છીએ.. સુરત જેવી ઘટના પછી ઈન્દોરમાં બની. કોંગ્રેસના ઉમેદવાર જ્યારે ટિકીટ પરત કરે છે ત્યારે પ્રશ્ન થાય કે શું તે બેઠક પર પણ સુરતવાળી થશે? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે પુરી લોકસભા બેઠક માટે કોંગ્રેસે જે ઉમેદવારને ટિકીટ આપી તેમણે ટિકીટ પરત કરી દીધી છે..


સુયરિતા મોહંતીએ પરત કરી ટિકીટ!       

પુરી લોકસભા બેઠક  માટે કોંગ્રેસે સુચરિતા મોહંતીને ટિકીટ આપી હતી. પણ હવે તેમણે પોતાની ટિકીટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ આ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. મોકલવામાં આવેલા મેલમાં ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો જેના કારણે તેમને રેસમાંથી હટી જવાની ફરજ પડી હતી. સુચરિતાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ મને ભંડોળ આપવાની ના પાડી દીધી હતી. મીડિયા સમક્ષ તેમણે પોતાની વાત પણ મૂકી હતી..


આર્થિક સહાય આપવા માટે ઉમેદવારે કરી હતી અપીલ!

મહત્વનું છે કે કોંગ્રેસના અનેક ઉમેદવારો દ્વારા આર્થિક સહાયની માગણી પણ કરવામાં આવી રહી છે.. ગુજરાતના અનેક ઉમેદવારોએ પોતાની બેન્ક ડિટેલ તેમજ QR Code સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર સુચરિતા મોહંતીએ પણ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જનતા સમક્ષ પોતાનો QR કોડ પોસ્ટ કરી ભંડોળની માંગણી કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે પુરી સંસદીય ક્ષેત્રમાં પૈસાના અભાવે અમારું ચૂંટણી પ્રચાર અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કરી દીધો છે. મહત્વનું છે કે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સંબિત પાત્રાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. ત્યારે જોવું રહ્યું કે આ બેઠક પર આગળ શું થાય છે? 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.