Puriના Congressના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, ટિકીટ પરત કરી, જાણો શું આપ્યું આ નિર્ણય પાછળનું કારણ?


  • Published By :
  • Published Date : 2024-05-04 16:40:39

દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે...  2 તબક્કા માટે મતદાન થઈ ગયું છે અને ત્રીજા તબક્કાની ચૂંટણી સાતમી તારીખે યોજાવાની છે... ગુજરાતની સુરત લોકસભા બેઠક પર જે ઘટના બની તે જાણે ટ્રેલર હતું તેવું લાગી રહ્યું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી... સુરતમાં જે ઘટના બની તેવી ઘટના ઈન્દોરમાં બની અને હવે ઓડિશાની પૂરી લોકસભા બેઠક પર આ ઈતિહાસનો પુનરાવર્તન થાય તો નવાઈ નહીં.. કારણ કે પૂરી બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે અને તેમણે ટિકીટ પરત કરી દીધી છે..

પહેલા સુરત, પછી ઈન્દોર અને હવે પુરી!

ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત જાણે રાજકીય પ્રયોગ શાળા બની ગઈ છે તેવું કહીએ તો ખોટા ના પડીએ.. ગુજરાતમાં જે નીતિઓ પાર્ટી દ્વારા અપનાવવામાં આવે છે તેવી રણનીતિ બીજા રાજ્યોમાં પછી અપનાવવામાં આવે છે... ત્યારે ગુજરાતમાં થોડા સમય પહેલા સુરતની લોકસભા બેઠક બિનબરીફ જાહેર થઈ... કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને જે બાદ ત્યાં રાજકીય ડ્રામા શરૂ થયો તે આપણે જાણીએ છીએ.. સુરત જેવી ઘટના પછી ઈન્દોરમાં બની. કોંગ્રેસના ઉમેદવાર જ્યારે ટિકીટ પરત કરે છે ત્યારે પ્રશ્ન થાય કે શું તે બેઠક પર પણ સુરતવાળી થશે? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે પુરી લોકસભા બેઠક માટે કોંગ્રેસે જે ઉમેદવારને ટિકીટ આપી તેમણે ટિકીટ પરત કરી દીધી છે..


સુયરિતા મોહંતીએ પરત કરી ટિકીટ!       

પુરી લોકસભા બેઠક  માટે કોંગ્રેસે સુચરિતા મોહંતીને ટિકીટ આપી હતી. પણ હવે તેમણે પોતાની ટિકીટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ આ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. મોકલવામાં આવેલા મેલમાં ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો જેના કારણે તેમને રેસમાંથી હટી જવાની ફરજ પડી હતી. સુચરિતાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ મને ભંડોળ આપવાની ના પાડી દીધી હતી. મીડિયા સમક્ષ તેમણે પોતાની વાત પણ મૂકી હતી..


આર્થિક સહાય આપવા માટે ઉમેદવારે કરી હતી અપીલ!

મહત્વનું છે કે કોંગ્રેસના અનેક ઉમેદવારો દ્વારા આર્થિક સહાયની માગણી પણ કરવામાં આવી રહી છે.. ગુજરાતના અનેક ઉમેદવારોએ પોતાની બેન્ક ડિટેલ તેમજ QR Code સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર સુચરિતા મોહંતીએ પણ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જનતા સમક્ષ પોતાનો QR કોડ પોસ્ટ કરી ભંડોળની માંગણી કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે પુરી સંસદીય ક્ષેત્રમાં પૈસાના અભાવે અમારું ચૂંટણી પ્રચાર અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કરી દીધો છે. મહત્વનું છે કે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સંબિત પાત્રાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. ત્યારે જોવું રહ્યું કે આ બેઠક પર આગળ શું થાય છે? 



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .