Puriના Congressના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, ટિકીટ પરત કરી, જાણો શું આપ્યું આ નિર્ણય પાછળનું કારણ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-04 16:40:39

દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે...  2 તબક્કા માટે મતદાન થઈ ગયું છે અને ત્રીજા તબક્કાની ચૂંટણી સાતમી તારીખે યોજાવાની છે... ગુજરાતની સુરત લોકસભા બેઠક પર જે ઘટના બની તે જાણે ટ્રેલર હતું તેવું લાગી રહ્યું છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી... સુરતમાં જે ઘટના બની તેવી ઘટના ઈન્દોરમાં બની અને હવે ઓડિશાની પૂરી લોકસભા બેઠક પર આ ઈતિહાસનો પુનરાવર્તન થાય તો નવાઈ નહીં.. કારણ કે પૂરી બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે અને તેમણે ટિકીટ પરત કરી દીધી છે..

પહેલા સુરત, પછી ઈન્દોર અને હવે પુરી!

ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત જાણે રાજકીય પ્રયોગ શાળા બની ગઈ છે તેવું કહીએ તો ખોટા ના પડીએ.. ગુજરાતમાં જે નીતિઓ પાર્ટી દ્વારા અપનાવવામાં આવે છે તેવી રણનીતિ બીજા રાજ્યોમાં પછી અપનાવવામાં આવે છે... ત્યારે ગુજરાતમાં થોડા સમય પહેલા સુરતની લોકસભા બેઠક બિનબરીફ જાહેર થઈ... કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને જે બાદ ત્યાં રાજકીય ડ્રામા શરૂ થયો તે આપણે જાણીએ છીએ.. સુરત જેવી ઘટના પછી ઈન્દોરમાં બની. કોંગ્રેસના ઉમેદવાર જ્યારે ટિકીટ પરત કરે છે ત્યારે પ્રશ્ન થાય કે શું તે બેઠક પર પણ સુરતવાળી થશે? આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે પુરી લોકસભા બેઠક માટે કોંગ્રેસે જે ઉમેદવારને ટિકીટ આપી તેમણે ટિકીટ પરત કરી દીધી છે..


સુયરિતા મોહંતીએ પરત કરી ટિકીટ!       

પુરી લોકસભા બેઠક  માટે કોંગ્રેસે સુચરિતા મોહંતીને ટિકીટ આપી હતી. પણ હવે તેમણે પોતાની ટિકીટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ આ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. મોકલવામાં આવેલા મેલમાં ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો જેના કારણે તેમને રેસમાંથી હટી જવાની ફરજ પડી હતી. સુચરિતાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીએ મને ભંડોળ આપવાની ના પાડી દીધી હતી. મીડિયા સમક્ષ તેમણે પોતાની વાત પણ મૂકી હતી..


આર્થિક સહાય આપવા માટે ઉમેદવારે કરી હતી અપીલ!

મહત્વનું છે કે કોંગ્રેસના અનેક ઉમેદવારો દ્વારા આર્થિક સહાયની માગણી પણ કરવામાં આવી રહી છે.. ગુજરાતના અનેક ઉમેદવારોએ પોતાની બેન્ક ડિટેલ તેમજ QR Code સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યારે મળતી માહિતી અનુસાર સુચરિતા મોહંતીએ પણ થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જનતા સમક્ષ પોતાનો QR કોડ પોસ્ટ કરી ભંડોળની માંગણી કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે પુરી સંસદીય ક્ષેત્રમાં પૈસાના અભાવે અમારું ચૂંટણી પ્રચાર અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કરી દીધો છે. મહત્વનું છે કે આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સંબિત પાત્રાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. ત્યારે જોવું રહ્યું કે આ બેઠક પર આગળ શું થાય છે? 



22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....