24 કલાક પહેલા AAPમાં જોડાયેલા કોંગ્રેસના ઉમેદવારોએ કરી ઘરવાપસી


  • Published By :
  • Published Date : 2022-12-10 09:04:33

7 ડિસેમ્બરના રોજ એમસીડી ચૂંટણીના પરિણામ આવ્યા હતા. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી હતી. જીત મેળ્યા બાદ કોંગ્રેસના 2 ઉમેદવારોએ આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ ગયા હતા. બ્રૃજબુરીથી વિજેતા બનેલા નાજિયા ખાતુન અને મુસ્તફાબાદથી વિજયી બનેલા સબિલા બેગમે માત્ર 2 દિવસ પછી ફરી પાછા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 

AAP bags MCD, too

બે ઉમેદવારોએ છોડ્યો હતો કોંગ્રેસનો સાથ 

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે.પરંતુ છેલ્લા અનેક વર્ષોથી MCDમાં ભાજપનો કબજો હતો. ત્યારે આ વખતે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એમસીડીને કબજે કરી લીધી છે. આ ચૂંટણીના પરિણામ 7 ડિસેમ્બરના રોજ આવ્યા હતા. ચૂંટણી પરિણામ આવ્યાને દિવસો વીતી ગયા છે પરંતુ આની ચર્ચાઓ પૂરી થવાનું નામ નથી લેતી. કોંગ્રેસમાંથી બે વિજતા ઉમેદવારો થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે આ બંને ઉમેદવારોએ ઘરવાપસી કરી લીધી છે.   

Gujarat jolt, Himachal boost leaves Congress with bittersweet taste;  sterner tests await party on road to 2024 | India News - Times of India

માત્ર 24 કલાકમાં કરી કોંગ્રેસમાં ઘરવાપસી 

બ્રૃજબુરીથી વિજેતા બનેલા નાજિયા ખાતુન અને મુસ્તફાબાદથી વિજયી બનેલા સબિલા બેગમે જીત મેળવ્યા બાદ કોંગ્રેસનો છેડો ફાળી દીધો હતો. નાજિયા ખાતુનને 9639 વોટ મળ્યા હતા જ્યારે સબિલા બેગમને 14921 વોટ મળ્યા હતા. સારા વોટથી જીત હાંસલ કર્યા બાદ એકાએક તેઓ આપમાં જોડાઈ ગયા. પરંતુ ચર્ચાની વાતએ બની રે માત્ર 24 કલાકની અંદર જ બંને ઉમેદવારોએ કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. જેને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.