24 કલાક પહેલા AAPમાં જોડાયેલા કોંગ્રેસના ઉમેદવારોએ કરી ઘરવાપસી


  • Published By :
  • Published Date : 2022-12-10 09:04:33

7 ડિસેમ્બરના રોજ એમસીડી ચૂંટણીના પરિણામ આવ્યા હતા. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી હતી. જીત મેળ્યા બાદ કોંગ્રેસના 2 ઉમેદવારોએ આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ ગયા હતા. બ્રૃજબુરીથી વિજેતા બનેલા નાજિયા ખાતુન અને મુસ્તફાબાદથી વિજયી બનેલા સબિલા બેગમે માત્ર 2 દિવસ પછી ફરી પાછા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 

AAP bags MCD, too

બે ઉમેદવારોએ છોડ્યો હતો કોંગ્રેસનો સાથ 

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે.પરંતુ છેલ્લા અનેક વર્ષોથી MCDમાં ભાજપનો કબજો હતો. ત્યારે આ વખતે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એમસીડીને કબજે કરી લીધી છે. આ ચૂંટણીના પરિણામ 7 ડિસેમ્બરના રોજ આવ્યા હતા. ચૂંટણી પરિણામ આવ્યાને દિવસો વીતી ગયા છે પરંતુ આની ચર્ચાઓ પૂરી થવાનું નામ નથી લેતી. કોંગ્રેસમાંથી બે વિજતા ઉમેદવારો થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે આ બંને ઉમેદવારોએ ઘરવાપસી કરી લીધી છે.   

Gujarat jolt, Himachal boost leaves Congress with bittersweet taste;  sterner tests await party on road to 2024 | India News - Times of India

માત્ર 24 કલાકમાં કરી કોંગ્રેસમાં ઘરવાપસી 

બ્રૃજબુરીથી વિજેતા બનેલા નાજિયા ખાતુન અને મુસ્તફાબાદથી વિજયી બનેલા સબિલા બેગમે જીત મેળવ્યા બાદ કોંગ્રેસનો છેડો ફાળી દીધો હતો. નાજિયા ખાતુનને 9639 વોટ મળ્યા હતા જ્યારે સબિલા બેગમને 14921 વોટ મળ્યા હતા. સારા વોટથી જીત હાંસલ કર્યા બાદ એકાએક તેઓ આપમાં જોડાઈ ગયા. પરંતુ ચર્ચાની વાતએ બની રે માત્ર 24 કલાકની અંદર જ બંને ઉમેદવારોએ કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. જેને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે.    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.