24 કલાક પહેલા AAPમાં જોડાયેલા કોંગ્રેસના ઉમેદવારોએ કરી ઘરવાપસી


  • Published By :
  • Published Date : 2022-12-10 09:04:33

7 ડિસેમ્બરના રોજ એમસીડી ચૂંટણીના પરિણામ આવ્યા હતા. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી હતી. જીત મેળ્યા બાદ કોંગ્રેસના 2 ઉમેદવારોએ આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ ગયા હતા. બ્રૃજબુરીથી વિજેતા બનેલા નાજિયા ખાતુન અને મુસ્તફાબાદથી વિજયી બનેલા સબિલા બેગમે માત્ર 2 દિવસ પછી ફરી પાછા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 

AAP bags MCD, too

બે ઉમેદવારોએ છોડ્યો હતો કોંગ્રેસનો સાથ 

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે.પરંતુ છેલ્લા અનેક વર્ષોથી MCDમાં ભાજપનો કબજો હતો. ત્યારે આ વખતે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ એમસીડીને કબજે કરી લીધી છે. આ ચૂંટણીના પરિણામ 7 ડિસેમ્બરના રોજ આવ્યા હતા. ચૂંટણી પરિણામ આવ્યાને દિવસો વીતી ગયા છે પરંતુ આની ચર્ચાઓ પૂરી થવાનું નામ નથી લેતી. કોંગ્રેસમાંથી બે વિજતા ઉમેદવારો થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે આ બંને ઉમેદવારોએ ઘરવાપસી કરી લીધી છે.   

Gujarat jolt, Himachal boost leaves Congress with bittersweet taste;  sterner tests await party on road to 2024 | India News - Times of India

માત્ર 24 કલાકમાં કરી કોંગ્રેસમાં ઘરવાપસી 

બ્રૃજબુરીથી વિજેતા બનેલા નાજિયા ખાતુન અને મુસ્તફાબાદથી વિજયી બનેલા સબિલા બેગમે જીત મેળવ્યા બાદ કોંગ્રેસનો છેડો ફાળી દીધો હતો. નાજિયા ખાતુનને 9639 વોટ મળ્યા હતા જ્યારે સબિલા બેગમને 14921 વોટ મળ્યા હતા. સારા વોટથી જીત હાંસલ કર્યા બાદ એકાએક તેઓ આપમાં જોડાઈ ગયા. પરંતુ ચર્ચાની વાતએ બની રે માત્ર 24 કલાકની અંદર જ બંને ઉમેદવારોએ કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. જેને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે.    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.