રાયપુર ખાતે કોંગ્રેસનું અધિવેશન,ગાંધી પરિવારના સભ્યો છે હાજર, મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-02-25 13:41:48

છત્તીસગઢના રાયપુર ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય મહાસત્ર ચાલી રહ્યું છે. આજે અધિવેશનનો બીજો દિવસ છે. અધિવેશનમાં ભાગ લેવા પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે રસ્તા પર ગુલાબો પાથરવામાં આવ્યા હતા. અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશમાં નફરતનું વાતાવરણ છે. સરકાર રેલ, તેલ, જેલ બધું જ પોતાના મિત્રોને વેચી રહી છે. દિલ્હી સરકારમાં બેઠેલાં લોકોનો ડીએનએ ગરીબ વિરોધી છે.

  

રવિવારે રાહુલ ગાંધી કરશે અધિવેશનમાં સંબોધન 

શુક્રવારથી કોંગ્રેસનું અધિવેશન શરૂ થઈ ગયું હતું. ત્રણ દિવસ સુધી ચાલનારા આ અધિવેશનના પ્રથમ દિવસે સ્ટીયરિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કોંગ્રેસ કાર્યસમિતિની ચૂંટણી થશે નહીં. બેઠકમાં સામેલ સભ્યોએ સામાન્ય સમિતિના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સદસ્ય નિયુક્ત કરવાનો અધિકાર આપ્યો છે. રાહુલ ગાંધી રવિવારના દિવસે સંબોધન કરવાના છે. 


સોનિયા ગાંધી, ભૂપેશ બાઘેલે કર્યું સંબોધન 

સોનિયા ગાંધીએ અધિવેશનમાં કહ્યું કે દલિતો, અલ્પસંખ્યકો પર અત્યાચાર થઈ રહ્યા છે. દરેક સંસ્થાઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશવાસિયોએ એક સંકલ્પ લેવો જોઈએ. સેવા, સંઘર્ષ અને બલિદાન,, સૌથી પહેલા હિન્દુસ્તાન. 75 વર્ષમાં દેશ સૌથી કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે કહ્યું કે સરકાર એવી બનવી જોઈએ કે દરેક વર્ગના માણસને લાગવું જોઈએ કે સરકાર મારી છે. આજે અમને કહેવામાં ગર્વ થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીએ જે વાયદો કર્યો હતો તે પૂર્ણ થઈ ગયો છે.      


આવનાર સમયમાં પાર્ટીના સંવિધાનમાં થઈ શકે છે ફેરફાર 

સંગઠનના પદાધિકારીઓના નિયમોમાં ફેરફાર થઈ શકે છે જેમાં આ પાંચ મુખ્ય છે - મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સીડબ્લુસીના આજીવન સભ્ય હશે. દારૂ ન પીનાર અને માત્ર ખાદી પહેરવાવારા લોકોને સભ્ય બનાવે તેવો નિયમ પણ બનાવાશે. કોંગ્રેસ સંવિધાન સંશોધન કમિટી સંવિધાન અને નિયમોમાં ફેરફાર પ્રસ્તાવ આપશે, લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં અડધી સીટ ઉપર 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ટિકિટ મળશે. કોંગ્રેસ સંગઠનમાં મતદાન કેન્દ્રથી લઈને રાષ્ટ્રીય સ્તરે સોશિયલ ઓડિટ થશે. તે ઉપરાંત દેશભરમાં આરક્ષિત લોકસભા સીટ ઉપર ચૂંટણી પહેલાં નવા અને યુવા લીડર તૈયાર કરવામાં આવશે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.