રાયપુર ખાતે કોંગ્રેસનું અધિવેશન,ગાંધી પરિવારના સભ્યો છે હાજર, મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-02-25 13:41:48

છત્તીસગઢના રાયપુર ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય મહાસત્ર ચાલી રહ્યું છે. આજે અધિવેશનનો બીજો દિવસ છે. અધિવેશનમાં ભાગ લેવા પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે રસ્તા પર ગુલાબો પાથરવામાં આવ્યા હતા. અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશમાં નફરતનું વાતાવરણ છે. સરકાર રેલ, તેલ, જેલ બધું જ પોતાના મિત્રોને વેચી રહી છે. દિલ્હી સરકારમાં બેઠેલાં લોકોનો ડીએનએ ગરીબ વિરોધી છે.

  

રવિવારે રાહુલ ગાંધી કરશે અધિવેશનમાં સંબોધન 

શુક્રવારથી કોંગ્રેસનું અધિવેશન શરૂ થઈ ગયું હતું. ત્રણ દિવસ સુધી ચાલનારા આ અધિવેશનના પ્રથમ દિવસે સ્ટીયરિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કોંગ્રેસ કાર્યસમિતિની ચૂંટણી થશે નહીં. બેઠકમાં સામેલ સભ્યોએ સામાન્ય સમિતિના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સદસ્ય નિયુક્ત કરવાનો અધિકાર આપ્યો છે. રાહુલ ગાંધી રવિવારના દિવસે સંબોધન કરવાના છે. 


સોનિયા ગાંધી, ભૂપેશ બાઘેલે કર્યું સંબોધન 

સોનિયા ગાંધીએ અધિવેશનમાં કહ્યું કે દલિતો, અલ્પસંખ્યકો પર અત્યાચાર થઈ રહ્યા છે. દરેક સંસ્થાઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશવાસિયોએ એક સંકલ્પ લેવો જોઈએ. સેવા, સંઘર્ષ અને બલિદાન,, સૌથી પહેલા હિન્દુસ્તાન. 75 વર્ષમાં દેશ સૌથી કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે કહ્યું કે સરકાર એવી બનવી જોઈએ કે દરેક વર્ગના માણસને લાગવું જોઈએ કે સરકાર મારી છે. આજે અમને કહેવામાં ગર્વ થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીએ જે વાયદો કર્યો હતો તે પૂર્ણ થઈ ગયો છે.      


આવનાર સમયમાં પાર્ટીના સંવિધાનમાં થઈ શકે છે ફેરફાર 

સંગઠનના પદાધિકારીઓના નિયમોમાં ફેરફાર થઈ શકે છે જેમાં આ પાંચ મુખ્ય છે - મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સીડબ્લુસીના આજીવન સભ્ય હશે. દારૂ ન પીનાર અને માત્ર ખાદી પહેરવાવારા લોકોને સભ્ય બનાવે તેવો નિયમ પણ બનાવાશે. કોંગ્રેસ સંવિધાન સંશોધન કમિટી સંવિધાન અને નિયમોમાં ફેરફાર પ્રસ્તાવ આપશે, લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં અડધી સીટ ઉપર 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ટિકિટ મળશે. કોંગ્રેસ સંગઠનમાં મતદાન કેન્દ્રથી લઈને રાષ્ટ્રીય સ્તરે સોશિયલ ઓડિટ થશે. તે ઉપરાંત દેશભરમાં આરક્ષિત લોકસભા સીટ ઉપર ચૂંટણી પહેલાં નવા અને યુવા લીડર તૈયાર કરવામાં આવશે.     




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.