રાયપુર ખાતે કોંગ્રેસનું અધિવેશન,ગાંધી પરિવારના સભ્યો છે હાજર, મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-02-25 13:41:48

છત્તીસગઢના રાયપુર ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય મહાસત્ર ચાલી રહ્યું છે. આજે અધિવેશનનો બીજો દિવસ છે. અધિવેશનમાં ભાગ લેવા પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે રસ્તા પર ગુલાબો પાથરવામાં આવ્યા હતા. અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશમાં નફરતનું વાતાવરણ છે. સરકાર રેલ, તેલ, જેલ બધું જ પોતાના મિત્રોને વેચી રહી છે. દિલ્હી સરકારમાં બેઠેલાં લોકોનો ડીએનએ ગરીબ વિરોધી છે.

  

રવિવારે રાહુલ ગાંધી કરશે અધિવેશનમાં સંબોધન 

શુક્રવારથી કોંગ્રેસનું અધિવેશન શરૂ થઈ ગયું હતું. ત્રણ દિવસ સુધી ચાલનારા આ અધિવેશનના પ્રથમ દિવસે સ્ટીયરિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કોંગ્રેસ કાર્યસમિતિની ચૂંટણી થશે નહીં. બેઠકમાં સામેલ સભ્યોએ સામાન્ય સમિતિના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સદસ્ય નિયુક્ત કરવાનો અધિકાર આપ્યો છે. રાહુલ ગાંધી રવિવારના દિવસે સંબોધન કરવાના છે. 


સોનિયા ગાંધી, ભૂપેશ બાઘેલે કર્યું સંબોધન 

સોનિયા ગાંધીએ અધિવેશનમાં કહ્યું કે દલિતો, અલ્પસંખ્યકો પર અત્યાચાર થઈ રહ્યા છે. દરેક સંસ્થાઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશવાસિયોએ એક સંકલ્પ લેવો જોઈએ. સેવા, સંઘર્ષ અને બલિદાન,, સૌથી પહેલા હિન્દુસ્તાન. 75 વર્ષમાં દેશ સૌથી કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે કહ્યું કે સરકાર એવી બનવી જોઈએ કે દરેક વર્ગના માણસને લાગવું જોઈએ કે સરકાર મારી છે. આજે અમને કહેવામાં ગર્વ થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીએ જે વાયદો કર્યો હતો તે પૂર્ણ થઈ ગયો છે.      


આવનાર સમયમાં પાર્ટીના સંવિધાનમાં થઈ શકે છે ફેરફાર 

સંગઠનના પદાધિકારીઓના નિયમોમાં ફેરફાર થઈ શકે છે જેમાં આ પાંચ મુખ્ય છે - મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સીડબ્લુસીના આજીવન સભ્ય હશે. દારૂ ન પીનાર અને માત્ર ખાદી પહેરવાવારા લોકોને સભ્ય બનાવે તેવો નિયમ પણ બનાવાશે. કોંગ્રેસ સંવિધાન સંશોધન કમિટી સંવિધાન અને નિયમોમાં ફેરફાર પ્રસ્તાવ આપશે, લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં અડધી સીટ ઉપર 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ટિકિટ મળશે. કોંગ્રેસ સંગઠનમાં મતદાન કેન્દ્રથી લઈને રાષ્ટ્રીય સ્તરે સોશિયલ ઓડિટ થશે. તે ઉપરાંત દેશભરમાં આરક્ષિત લોકસભા સીટ ઉપર ચૂંટણી પહેલાં નવા અને યુવા લીડર તૈયાર કરવામાં આવશે.     




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.