રાયપુર ખાતે કોંગ્રેસનું અધિવેશન,ગાંધી પરિવારના સભ્યો છે હાજર, મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-02-25 13:41:48

છત્તીસગઢના રાયપુર ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય મહાસત્ર ચાલી રહ્યું છે. આજે અધિવેશનનો બીજો દિવસ છે. અધિવેશનમાં ભાગ લેવા પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે રસ્તા પર ગુલાબો પાથરવામાં આવ્યા હતા. અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશમાં નફરતનું વાતાવરણ છે. સરકાર રેલ, તેલ, જેલ બધું જ પોતાના મિત્રોને વેચી રહી છે. દિલ્હી સરકારમાં બેઠેલાં લોકોનો ડીએનએ ગરીબ વિરોધી છે.

  

રવિવારે રાહુલ ગાંધી કરશે અધિવેશનમાં સંબોધન 

શુક્રવારથી કોંગ્રેસનું અધિવેશન શરૂ થઈ ગયું હતું. ત્રણ દિવસ સુધી ચાલનારા આ અધિવેશનના પ્રથમ દિવસે સ્ટીયરિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કોંગ્રેસ કાર્યસમિતિની ચૂંટણી થશે નહીં. બેઠકમાં સામેલ સભ્યોએ સામાન્ય સમિતિના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સદસ્ય નિયુક્ત કરવાનો અધિકાર આપ્યો છે. રાહુલ ગાંધી રવિવારના દિવસે સંબોધન કરવાના છે. 


સોનિયા ગાંધી, ભૂપેશ બાઘેલે કર્યું સંબોધન 

સોનિયા ગાંધીએ અધિવેશનમાં કહ્યું કે દલિતો, અલ્પસંખ્યકો પર અત્યાચાર થઈ રહ્યા છે. દરેક સંસ્થાઓનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશવાસિયોએ એક સંકલ્પ લેવો જોઈએ. સેવા, સંઘર્ષ અને બલિદાન,, સૌથી પહેલા હિન્દુસ્તાન. 75 વર્ષમાં દેશ સૌથી કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલે કહ્યું કે સરકાર એવી બનવી જોઈએ કે દરેક વર્ગના માણસને લાગવું જોઈએ કે સરકાર મારી છે. આજે અમને કહેવામાં ગર્વ થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીએ જે વાયદો કર્યો હતો તે પૂર્ણ થઈ ગયો છે.      


આવનાર સમયમાં પાર્ટીના સંવિધાનમાં થઈ શકે છે ફેરફાર 

સંગઠનના પદાધિકારીઓના નિયમોમાં ફેરફાર થઈ શકે છે જેમાં આ પાંચ મુખ્ય છે - મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સીડબ્લુસીના આજીવન સભ્ય હશે. દારૂ ન પીનાર અને માત્ર ખાદી પહેરવાવારા લોકોને સભ્ય બનાવે તેવો નિયમ પણ બનાવાશે. કોંગ્રેસ સંવિધાન સંશોધન કમિટી સંવિધાન અને નિયમોમાં ફેરફાર પ્રસ્તાવ આપશે, લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં અડધી સીટ ઉપર 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ટિકિટ મળશે. કોંગ્રેસ સંગઠનમાં મતદાન કેન્દ્રથી લઈને રાષ્ટ્રીય સ્તરે સોશિયલ ઓડિટ થશે. તે ઉપરાંત દેશભરમાં આરક્ષિત લોકસભા સીટ ઉપર ચૂંટણી પહેલાં નવા અને યુવા લીડર તૈયાર કરવામાં આવશે.     




આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.