Loksabha 2024માં BJP-Congress સામસામે! આ રણનીતિ કામે લાગશે?


  • Published By :
  • Published Date : 2023-04-02 12:46:10

કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ વચ્ચેનો ગજગ્રાહ વધી રહ્યો છે, મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સદસ્યતા ગયા બાદ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સતત એકબીજા પર આક્રમક પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધી, જયરામ રમેશ અને કનૈયા કુમાર સહિતના નેતા પીએમ મોદી અને અદાણીની સાંઠગાઠ પર નિવેદનો આપીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે હવે ભાજપે પણ સોશિયલ મીડિયાનો સહારો લઈને કોંગ્રેસના ભૂતકાળના શાસનમાં થયેલા ભ્ર્ષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. ભાજપે આ માટે 'Congress Files' નામની એક સિરીઝ શરૂ કરી છે. જેમાં કોંગ્રેસના 2004થી 2014 સુધીના સમયગાળામાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 


કોંગ્રેસના ભ્રષ્ટાચારનો પર્દાફાશ


ભાજપને તેના સત્તાવાર ટ્વીટર હેન્ડ્લ મારફતે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે છેલ્લા 70 વર્ષના તેના શાસનમાં લગભગ 48,20,69,00,00,000નો ભ્રષ્ટાચાર કર્યો છે, આટલી રકમથી તો 24 INS વિક્રાત, 300 રાફેલ વિમાન અને 1000 મંગલ મિશન બનાવી કે ખરીદી શકાય તેમ હતા. ભાજપે કોંગ્રેસના  2004થી 2014 સુધીના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે, ભાજપને આરોપ છે કે કોંગ્રેસના રાજમાં કોલસા કૌંભાડ, ટુજી સ્પેક્ટ્રમ કૌંભાડ, કોમનવેલ્થ કૌંભાડ અને મનરેગા કૌંભાડ દ્વારા કરોડો રૂપિયા ચાઉં કરવામાં આવ્યા છે.


કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર


ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચારની સિરીઝ બની હતી. 2004થી 2014 સુધીના સમયગાળામાં મનમોહન સિંહની સરકાર હતી અને રોજ નવા કૌંભાડો બહાર આવતા હતા. જેમ કે કોલસા કૌંભાંડ 1.86 લાખ કરોડ, ટુ જી સ્પેક્ટ્રમ કૌંભાંડ 1.76 લાખ કરોડ, 10 હજાર કરોડનું મનરેગા કૌંભાડ, 70 હજાર કરોડનું કોમન વેલ્થ કૌંભાડ, ઈટલી પાસેથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટરની ખરીદીમાં 362 કરોડની દલાલી અને રેલ્વે બોર્ડની ચેરમેનની ખુરશી માટે 12 કરોડની લાંચ સહિતના ભ્રષ્ટાચાર થયા હતા.


કોંગ્રેસ શું આપશે?


ભાજપે શરૂ કરેલી 'Congress Files'સિરીઝથી ભાજપે કોંગ્રેસને ભ્રષ્ટાચારને મોરચે ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે. હવે સૌની નજર કોંગ્રેસ પર છે કે કોંગ્રેસ શું વળતો પ્રહાર કરે છે. કોંગ્રસને અન્ય વિરોધ પક્ષોનું પણ સમર્થન છે. ભાજપ વિરૂધ્ધ કોંગ્રેસના ટેકામાં આ વિરોધ પક્ષો કેટલા આગળ આવે છે તે પણ જોવાનું રહેશે.    


PM મોદીનો આરોપ


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સપ્તાહની શરૂઆતમાં વિરોધ પક્ષો પર "ભ્રષ્ટાચારી બચાવો આંદોલન" શરૂ કરવાનો આરોપ મૂક્યો હતો, અને ભાજપ વિરોધી પક્ષોને ચેતવણી આપી હતી કે ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ બંધ થવાની નથી. PMએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય વિકાસ એક સાથે અસ્તિત્વમાં ન હોઈ શકે. તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)અને CBI સહિતની તપાસ એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.