Loksabha 2024માં BJP-Congress સામસામે! આ રણનીતિ કામે લાગશે?


  • Published By :
  • Published Date : 2023-04-02 12:46:10

કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ વચ્ચેનો ગજગ્રાહ વધી રહ્યો છે, મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સદસ્યતા ગયા બાદ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સતત એકબીજા પર આક્રમક પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધી, જયરામ રમેશ અને કનૈયા કુમાર સહિતના નેતા પીએમ મોદી અને અદાણીની સાંઠગાઠ પર નિવેદનો આપીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે હવે ભાજપે પણ સોશિયલ મીડિયાનો સહારો લઈને કોંગ્રેસના ભૂતકાળના શાસનમાં થયેલા ભ્ર્ષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. ભાજપે આ માટે 'Congress Files' નામની એક સિરીઝ શરૂ કરી છે. જેમાં કોંગ્રેસના 2004થી 2014 સુધીના સમયગાળામાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 


કોંગ્રેસના ભ્રષ્ટાચારનો પર્દાફાશ


ભાજપને તેના સત્તાવાર ટ્વીટર હેન્ડ્લ મારફતે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે છેલ્લા 70 વર્ષના તેના શાસનમાં લગભગ 48,20,69,00,00,000નો ભ્રષ્ટાચાર કર્યો છે, આટલી રકમથી તો 24 INS વિક્રાત, 300 રાફેલ વિમાન અને 1000 મંગલ મિશન બનાવી કે ખરીદી શકાય તેમ હતા. ભાજપે કોંગ્રેસના  2004થી 2014 સુધીના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે, ભાજપને આરોપ છે કે કોંગ્રેસના રાજમાં કોલસા કૌંભાડ, ટુજી સ્પેક્ટ્રમ કૌંભાડ, કોમનવેલ્થ કૌંભાડ અને મનરેગા કૌંભાડ દ્વારા કરોડો રૂપિયા ચાઉં કરવામાં આવ્યા છે.


કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર


ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચારની સિરીઝ બની હતી. 2004થી 2014 સુધીના સમયગાળામાં મનમોહન સિંહની સરકાર હતી અને રોજ નવા કૌંભાડો બહાર આવતા હતા. જેમ કે કોલસા કૌંભાંડ 1.86 લાખ કરોડ, ટુ જી સ્પેક્ટ્રમ કૌંભાંડ 1.76 લાખ કરોડ, 10 હજાર કરોડનું મનરેગા કૌંભાડ, 70 હજાર કરોડનું કોમન વેલ્થ કૌંભાડ, ઈટલી પાસેથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટરની ખરીદીમાં 362 કરોડની દલાલી અને રેલ્વે બોર્ડની ચેરમેનની ખુરશી માટે 12 કરોડની લાંચ સહિતના ભ્રષ્ટાચાર થયા હતા.


કોંગ્રેસ શું આપશે?


ભાજપે શરૂ કરેલી 'Congress Files'સિરીઝથી ભાજપે કોંગ્રેસને ભ્રષ્ટાચારને મોરચે ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે. હવે સૌની નજર કોંગ્રેસ પર છે કે કોંગ્રેસ શું વળતો પ્રહાર કરે છે. કોંગ્રસને અન્ય વિરોધ પક્ષોનું પણ સમર્થન છે. ભાજપ વિરૂધ્ધ કોંગ્રેસના ટેકામાં આ વિરોધ પક્ષો કેટલા આગળ આવે છે તે પણ જોવાનું રહેશે.    


PM મોદીનો આરોપ


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સપ્તાહની શરૂઆતમાં વિરોધ પક્ષો પર "ભ્રષ્ટાચારી બચાવો આંદોલન" શરૂ કરવાનો આરોપ મૂક્યો હતો, અને ભાજપ વિરોધી પક્ષોને ચેતવણી આપી હતી કે ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ બંધ થવાની નથી. PMએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય વિકાસ એક સાથે અસ્તિત્વમાં ન હોઈ શકે. તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)અને CBI સહિતની તપાસ એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.