Loksabha 2024માં BJP-Congress સામસામે! આ રણનીતિ કામે લાગશે?


  • Published By :
  • Published Date : 2023-04-02 12:46:10

કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ વચ્ચેનો ગજગ્રાહ વધી રહ્યો છે, મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સદસ્યતા ગયા બાદ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સતત એકબીજા પર આક્રમક પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધી, જયરામ રમેશ અને કનૈયા કુમાર સહિતના નેતા પીએમ મોદી અને અદાણીની સાંઠગાઠ પર નિવેદનો આપીને ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે હવે ભાજપે પણ સોશિયલ મીડિયાનો સહારો લઈને કોંગ્રેસના ભૂતકાળના શાસનમાં થયેલા ભ્ર્ષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે. ભાજપે આ માટે 'Congress Files' નામની એક સિરીઝ શરૂ કરી છે. જેમાં કોંગ્રેસના 2004થી 2014 સુધીના સમયગાળામાં થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 


કોંગ્રેસના ભ્રષ્ટાચારનો પર્દાફાશ


ભાજપને તેના સત્તાવાર ટ્વીટર હેન્ડ્લ મારફતે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે છેલ્લા 70 વર્ષના તેના શાસનમાં લગભગ 48,20,69,00,00,000નો ભ્રષ્ટાચાર કર્યો છે, આટલી રકમથી તો 24 INS વિક્રાત, 300 રાફેલ વિમાન અને 1000 મંગલ મિશન બનાવી કે ખરીદી શકાય તેમ હતા. ભાજપે કોંગ્રેસના  2004થી 2014 સુધીના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે, ભાજપને આરોપ છે કે કોંગ્રેસના રાજમાં કોલસા કૌંભાડ, ટુજી સ્પેક્ટ્રમ કૌંભાડ, કોમનવેલ્થ કૌંભાડ અને મનરેગા કૌંભાડ દ્વારા કરોડો રૂપિયા ચાઉં કરવામાં આવ્યા છે.


કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર


ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચારની સિરીઝ બની હતી. 2004થી 2014 સુધીના સમયગાળામાં મનમોહન સિંહની સરકાર હતી અને રોજ નવા કૌંભાડો બહાર આવતા હતા. જેમ કે કોલસા કૌંભાંડ 1.86 લાખ કરોડ, ટુ જી સ્પેક્ટ્રમ કૌંભાંડ 1.76 લાખ કરોડ, 10 હજાર કરોડનું મનરેગા કૌંભાડ, 70 હજાર કરોડનું કોમન વેલ્થ કૌંભાડ, ઈટલી પાસેથી 12 વીવીઆઈપી હેલિકોપ્ટરની ખરીદીમાં 362 કરોડની દલાલી અને રેલ્વે બોર્ડની ચેરમેનની ખુરશી માટે 12 કરોડની લાંચ સહિતના ભ્રષ્ટાચાર થયા હતા.


કોંગ્રેસ શું આપશે?


ભાજપે શરૂ કરેલી 'Congress Files'સિરીઝથી ભાજપે કોંગ્રેસને ભ્રષ્ટાચારને મોરચે ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો છે. હવે સૌની નજર કોંગ્રેસ પર છે કે કોંગ્રેસ શું વળતો પ્રહાર કરે છે. કોંગ્રસને અન્ય વિરોધ પક્ષોનું પણ સમર્થન છે. ભાજપ વિરૂધ્ધ કોંગ્રેસના ટેકામાં આ વિરોધ પક્ષો કેટલા આગળ આવે છે તે પણ જોવાનું રહેશે.    


PM મોદીનો આરોપ


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સપ્તાહની શરૂઆતમાં વિરોધ પક્ષો પર "ભ્રષ્ટાચારી બચાવો આંદોલન" શરૂ કરવાનો આરોપ મૂક્યો હતો, અને ભાજપ વિરોધી પક્ષોને ચેતવણી આપી હતી કે ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ બંધ થવાની નથી. PMએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય વિકાસ એક સાથે અસ્તિત્વમાં ન હોઈ શકે. તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)અને CBI સહિતની તપાસ એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.