26 જાન્યુઆરીથી શરૂ થશે કોંગ્રેસનું હાથ સે હાથ જોડો અભિયાન, મતદારો સુધી પહોંચવા કરાયો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 12:49:44

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરૂ કરૂ દીધી હોય તેવું લાગી રહ્યું છે. લોકો સુધી પહોંચવા કોંગ્રેસ એક બાદ એક અભિયાન ચલાવી રહી છે. 26 જાન્યુઆરીથી કોંગ્રેસ હાથ સે હાથ જોડો કૈમ્પેન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 26 માર્ચ સુધી ચાલવાનું છે. આ અભિયાનમાં કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને પ્રચાર કરશે. આ અભિયાન અંગેની જાણકારી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે આપી હતી.

 

कांग्रेस का 'हाथ से हाथ जोड़ो' कैम्पेन 26 जनवरी से 26 मार्च तक चलेगा। - Dainik Bhaskar

હાથ સે હાથ જોડો અભિયાનની કરાઈ જાહેરાત 

રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રાને સારો જનપ્રતિસાદ પણ મળ્યો છે. અનેક રાજ્યોથી આ યાત્રા પસાર થઈ છે. હાલ આ યાત્રા પોતાના અંતિમ તબક્કામાં એટલે જમ્મુ-કાશ્મીર પહોંચી છે. આ યાત્રા પૂર્ણ થાય તે પહેલા કોંગ્રેસે નવા અભિયાનની જાહેરાત કરી દીધી છે. 


મતદારો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ  

26 જાન્યુઆરીથી લઈને 26 માર્ચ સુધી કોંગ્રેસનું હાથ સે હાથ જોડો અભિયાન ચાલવાનું છે. જમ્મુ-કાશ્મીરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો 6 લાખ ગામડા, 2.5 લાખ ગ્રામ પંચાયતના 10 લાખ મતદાન કેન્દ્રો પર પહોંચી રાહુલ ગાંધીના પત્ર મતદાતા સુધી પહોંચાડશે. આ અભિયાનના માધ્યમથી પાર્ટી સામાન્ય માણસ સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. રાહુલ ગાંધીના પત્રની સાથે સાથે ભાજપ સરકારની નિષ્ફળતાઓની ચાર્જસીટ પણ લોકોને વહેંચવામાં આવશે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.