26 જાન્યુઆરીથી શરૂ થશે કોંગ્રેસનું હાથ સે હાથ જોડો અભિયાન, મતદારો સુધી પહોંચવા કરાયો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 12:49:44

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરૂ કરૂ દીધી હોય તેવું લાગી રહ્યું છે. લોકો સુધી પહોંચવા કોંગ્રેસ એક બાદ એક અભિયાન ચલાવી રહી છે. 26 જાન્યુઆરીથી કોંગ્રેસ હાથ સે હાથ જોડો કૈમ્પેન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 26 માર્ચ સુધી ચાલવાનું છે. આ અભિયાનમાં કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને પ્રચાર કરશે. આ અભિયાન અંગેની જાણકારી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે આપી હતી.

 

कांग्रेस का 'हाथ से हाथ जोड़ो' कैम्पेन 26 जनवरी से 26 मार्च तक चलेगा। - Dainik Bhaskar

હાથ સે હાથ જોડો અભિયાનની કરાઈ જાહેરાત 

રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રાને સારો જનપ્રતિસાદ પણ મળ્યો છે. અનેક રાજ્યોથી આ યાત્રા પસાર થઈ છે. હાલ આ યાત્રા પોતાના અંતિમ તબક્કામાં એટલે જમ્મુ-કાશ્મીર પહોંચી છે. આ યાત્રા પૂર્ણ થાય તે પહેલા કોંગ્રેસે નવા અભિયાનની જાહેરાત કરી દીધી છે. 


મતદારો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ  

26 જાન્યુઆરીથી લઈને 26 માર્ચ સુધી કોંગ્રેસનું હાથ સે હાથ જોડો અભિયાન ચાલવાનું છે. જમ્મુ-કાશ્મીરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો 6 લાખ ગામડા, 2.5 લાખ ગ્રામ પંચાયતના 10 લાખ મતદાન કેન્દ્રો પર પહોંચી રાહુલ ગાંધીના પત્ર મતદાતા સુધી પહોંચાડશે. આ અભિયાનના માધ્યમથી પાર્ટી સામાન્ય માણસ સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. રાહુલ ગાંધીના પત્રની સાથે સાથે ભાજપ સરકારની નિષ્ફળતાઓની ચાર્જસીટ પણ લોકોને વહેંચવામાં આવશે.  




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.