26 જાન્યુઆરીથી શરૂ થશે કોંગ્રેસનું હાથ સે હાથ જોડો અભિયાન, મતદારો સુધી પહોંચવા કરાયો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 12:49:44

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરૂ કરૂ દીધી હોય તેવું લાગી રહ્યું છે. લોકો સુધી પહોંચવા કોંગ્રેસ એક બાદ એક અભિયાન ચલાવી રહી છે. 26 જાન્યુઆરીથી કોંગ્રેસ હાથ સે હાથ જોડો કૈમ્પેન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 26 માર્ચ સુધી ચાલવાનું છે. આ અભિયાનમાં કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને પ્રચાર કરશે. આ અભિયાન અંગેની જાણકારી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે આપી હતી.

 

कांग्रेस का 'हाथ से हाथ जोड़ो' कैम्पेन 26 जनवरी से 26 मार्च तक चलेगा। - Dainik Bhaskar

હાથ સે હાથ જોડો અભિયાનની કરાઈ જાહેરાત 

રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રાને સારો જનપ્રતિસાદ પણ મળ્યો છે. અનેક રાજ્યોથી આ યાત્રા પસાર થઈ છે. હાલ આ યાત્રા પોતાના અંતિમ તબક્કામાં એટલે જમ્મુ-કાશ્મીર પહોંચી છે. આ યાત્રા પૂર્ણ થાય તે પહેલા કોંગ્રેસે નવા અભિયાનની જાહેરાત કરી દીધી છે. 


મતદારો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ  

26 જાન્યુઆરીથી લઈને 26 માર્ચ સુધી કોંગ્રેસનું હાથ સે હાથ જોડો અભિયાન ચાલવાનું છે. જમ્મુ-કાશ્મીરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો 6 લાખ ગામડા, 2.5 લાખ ગ્રામ પંચાયતના 10 લાખ મતદાન કેન્દ્રો પર પહોંચી રાહુલ ગાંધીના પત્ર મતદાતા સુધી પહોંચાડશે. આ અભિયાનના માધ્યમથી પાર્ટી સામાન્ય માણસ સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. રાહુલ ગાંધીના પત્રની સાથે સાથે ભાજપ સરકારની નિષ્ફળતાઓની ચાર્જસીટ પણ લોકોને વહેંચવામાં આવશે.  




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.