26 જાન્યુઆરીથી શરૂ થશે કોંગ્રેસનું હાથ સે હાથ જોડો અભિયાન, મતદારો સુધી પહોંચવા કરાયો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 12:49:44

લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરૂ કરૂ દીધી હોય તેવું લાગી રહ્યું છે. લોકો સુધી પહોંચવા કોંગ્રેસ એક બાદ એક અભિયાન ચલાવી રહી છે. 26 જાન્યુઆરીથી કોંગ્રેસ હાથ સે હાથ જોડો કૈમ્પેન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 26 માર્ચ સુધી ચાલવાનું છે. આ અભિયાનમાં કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને પ્રચાર કરશે. આ અભિયાન અંગેની જાણકારી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે આપી હતી.

 

कांग्रेस का 'हाथ से हाथ जोड़ो' कैम्पेन 26 जनवरी से 26 मार्च तक चलेगा। - Dainik Bhaskar

હાથ સે હાથ જોડો અભિયાનની કરાઈ જાહેરાત 

રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ યાત્રાને સારો જનપ્રતિસાદ પણ મળ્યો છે. અનેક રાજ્યોથી આ યાત્રા પસાર થઈ છે. હાલ આ યાત્રા પોતાના અંતિમ તબક્કામાં એટલે જમ્મુ-કાશ્મીર પહોંચી છે. આ યાત્રા પૂર્ણ થાય તે પહેલા કોંગ્રેસે નવા અભિયાનની જાહેરાત કરી દીધી છે. 


મતદારો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ  

26 જાન્યુઆરીથી લઈને 26 માર્ચ સુધી કોંગ્રેસનું હાથ સે હાથ જોડો અભિયાન ચાલવાનું છે. જમ્મુ-કાશ્મીરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા જયરામ રમેશે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો 6 લાખ ગામડા, 2.5 લાખ ગ્રામ પંચાયતના 10 લાખ મતદાન કેન્દ્રો પર પહોંચી રાહુલ ગાંધીના પત્ર મતદાતા સુધી પહોંચાડશે. આ અભિયાનના માધ્યમથી પાર્ટી સામાન્ય માણસ સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. રાહુલ ગાંધીના પત્રની સાથે સાથે ભાજપ સરકારની નિષ્ફળતાઓની ચાર્જસીટ પણ લોકોને વહેંચવામાં આવશે.  




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.