Loksabha Electionને લઈ Congressએ યાદી કરી જાહેર, Gujaratના આટલા વર્તમાન ધારાસભ્યોને બનાવ્યા ઉમેદવાર. જાણો કોને ક્યાં માટે અપાઈ ટિકીટ?


  • Published By :
  • Published Date : 2024-03-13 10:54:38

રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપે હજી સુધી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર પાડી છે જેમાં 195 ઉમેદવારોના નામ હતા જ્યારે કોંગ્રેસે બે યાદી ઉમેદવારોના નામની બહાર પાડી છે. પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ હતા જ્યારે બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ સામેલ છે. ગુજરાતની 24 બેઠકોમાંથી 7 બેઠકો માટે ઉમેદવારો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ, બારડોલી, વલસાડ, અમદાવાદ પશ્ચિમ, પોરબંદર, દમણ-દીવ તેમજ કચ્છ માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 



કોંગ્રેસે બીજી યાદીમાં જાહેર કર્યા ગુજરાતના ઉમેદવારોના નામ

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા તેજ કરવામાં આવી ગઈ છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખોનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ચૂંટણીની તારીખોની રાહ તો લોકો જોઈ જ રહ્યા છે પરંતુ તેની સાથે સાથે ઉમેદવારોના નામની પણ બેતાબી મતદાતાઓને રહેલી છે. ગુજરાત સહિત અનેક રાજ્યો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર ઘણા દિવસો પહેલા કરવામાં આવી હતી. ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી તેના થોડા દિવસો બાદ કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી ઉમેદવારોની જાહેર કરવામાં આવી. પ્રથમ યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામ અંગે જાહેરાત કરવામાં ન આવી હતી. ત્યારે ગઈકાલે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની સાત બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. 








ગેનીબેન ઠાકોર, અનંત પટેલ સહિત આમને બનાવ્યા ઉમેદવાર

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26માંથી 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉતારશે, 24માંથી 7 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે જ્યારે વલસાડથી અનંત પટેલને, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, પોરબંદરથી લલિત વસોયા, દીવ-દમણથી કેતન પટેલ જ્યારે કચ્છથી નિતીશ લાલનને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે વર્તમાન ધારાસભ્યોને લોકસભા માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.     



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.