Loksabha Electionને લઈ Congressએ યાદી કરી જાહેર, Gujaratના આટલા વર્તમાન ધારાસભ્યોને બનાવ્યા ઉમેદવાર. જાણો કોને ક્યાં માટે અપાઈ ટિકીટ?


  • Published By :
  • Published Date : 2024-03-13 10:54:38

રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપે હજી સુધી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર પાડી છે જેમાં 195 ઉમેદવારોના નામ હતા જ્યારે કોંગ્રેસે બે યાદી ઉમેદવારોના નામની બહાર પાડી છે. પ્રથમ યાદીમાં 39 ઉમેદવારોના નામ હતા જ્યારે બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ સામેલ છે. ગુજરાતની 24 બેઠકોમાંથી 7 બેઠકો માટે ઉમેદવારો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ, બારડોલી, વલસાડ, અમદાવાદ પશ્ચિમ, પોરબંદર, દમણ-દીવ તેમજ કચ્છ માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 



કોંગ્રેસે બીજી યાદીમાં જાહેર કર્યા ગુજરાતના ઉમેદવારોના નામ

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ રાજકીય પાર્ટી દ્વારા તેજ કરવામાં આવી ગઈ છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખોનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ચૂંટણીની તારીખોની રાહ તો લોકો જોઈ જ રહ્યા છે પરંતુ તેની સાથે સાથે ઉમેદવારોના નામની પણ બેતાબી મતદાતાઓને રહેલી છે. ગુજરાત સહિત અનેક રાજ્યો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર ઘણા દિવસો પહેલા કરવામાં આવી હતી. ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી તેના થોડા દિવસો બાદ કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી ઉમેદવારોની જાહેર કરવામાં આવી. પ્રથમ યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામ અંગે જાહેરાત કરવામાં ન આવી હતી. ત્યારે ગઈકાલે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની સાત બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. 








ગેનીબેન ઠાકોર, અનંત પટેલ સહિત આમને બનાવ્યા ઉમેદવાર

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. 26માંથી 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટી ઉમેદવાર ઉતારશે, 24માંથી 7 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે જ્યારે વલસાડથી અનંત પટેલને, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, પોરબંદરથી લલિત વસોયા, દીવ-દમણથી કેતન પટેલ જ્યારે કચ્છથી નિતીશ લાલનને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસે વર્તમાન ધારાસભ્યોને લોકસભા માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.     



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.